શોધખોળ કરો

Waqf Amendment Act: દેશમાં આજથી જ લાગું થશે વકફ સુધારા કાયદો, કેન્દ્ર સરકારે બહાર પાડ્યું જાહેરનામું

Waqf Amendment Act: વકફ સુધારા કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં કુલ 15 અરજીઓ દાખલ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળ અને મણિપુર સહિત ઘણા રાજ્યોમાં આ કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.

Waqf Amendment Act:  કેન્દ્ર સરકારે વકફ સુધારા અધિનિયમ અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. કેન્દ્રએ કહ્યું છે કે નવો વકફ કાયદો આજથી એટલે કે બુધવાર, 8 એપ્રિલ, 2025 થી અમલમાં આવશે. સંસદના બંને ગૃહો દ્વારા વકફ સુધારા બિલ પસાર થયા બાદ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે (5 એપ્રિલ) તેને મંજૂરી આપી.

 

દેશના ઘણા રાજ્યોમાં નવા વક્ફ કાયદા સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ, AIMIM અને આમ આદમી પાર્ટી (AAP) એ અલગ-અલગ અરજીઓ સાથે તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. કેન્દ્ર સરકારના મતે, આ કાયદો મુસ્લિમ વિરોધી નથી અને તેનો ઉદ્દેશ્ય વકફ મિલકતોના ભેદભાવ અને દુરુપયોગને રોકવાનો છે. લોકસભામાં વક્ફ સુધારા બિલના પક્ષમાં 288 મત પડ્યા અને તેની વિરુદ્ધમાં 232 મત પડ્યા. જ્યારે રાજ્યસભામાં બિલના પક્ષમાં 128 અને વિરોધમાં 95 મત પડ્યા.

આ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં કુલ 15 અરજીઓ દાખલ કરવામાં આવી છે. તે જ સમયે, કેન્દ્ર સરકારે એકપક્ષીય આદેશની શક્યતા ટાળવા માટે કેવિયેટ દાખલ કરી. મણિપુર, પશ્ચિમ બંગાળ અને પટના સહિત દેશના ઘણા રાજ્યોમાં વક્ફ સુધારા કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.

જમાત-એ-ઇસ્લામી હિંદે વકફ કાયદાને લઈને કેન્દ્ર સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. જમાત-એ-ઇસ્લામી હિંદના પ્રમુખ સૈયદ સદાતુલ્લાહ હુસૈનીએ કહ્યું, "વકફ કાયદો દેશના મુસ્લિમોની વિરુદ્ધ છે. મને લાગે છે કે આ કાયદો વકફના વહીવટને સુધારવામાં મદદ કરતો નથી."

તેમણે કહ્યું, "સરકાર કહે છે કે આ કાયદો સુધારા લાવશે, પરંતુ અમારું માનવું છે કે તેમાં ફેરફાર કરવાથી વધુ સમસ્યાઓ ઊભી થશે. વહીવટને વધુ ખરાબ કરતી, ભ્રષ્ટાચાર વધારતી અને મુસ્લિમોના અધિકારો છીનવી લેતી જોગવાઈઓનો આ કાયદામાં સમાવેશ કરવામાં આવ્યો છે."

મુસ્લિમ સંગઠનો વિરોધ કરી રહ્યા છે
કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદ અને AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં વક્ફ (સુધારા) બિલની માન્યતાને પડકારતા કહ્યું કે તે બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે. જાવેદની અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે આ બિલ વકફ મિલકતો અને તેમના સંચાલન પર "મનસ્વી પ્રતિબંધો" ની જોગવાઈ કરે છે, જે મુસ્લિમ સમુદાયની ધાર્મિક સ્વાયત્તતાને નબળી પાડશે. એડવોકેટ અનસ તનવીર દ્વારા દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ બિલ મુસ્લિમ સમુદાય સાથે ભેદભાવ કરે છે કારણ કે તે "એવા પ્રતિબંધો લાદે છે જે અન્ય ધાર્મિક દાનોમાં અસ્તિત્વમાં નથી." ઓવૈસીની અરજી એડવોકેટ લઝફિર અહેમદ દ્વારા દાખલ કરવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
Embed widget