શોધખોળ કરો

Nawab Malik PC:નવાબે ફોડ્યો હાઇડ્રોજન બોંબ, દાઉદના નજીકના રિયાઝ ભાટી સાથે ફડણવીસનો શું છે સંબંધ

મુંબઈ ક્રૂઝ ડ્રગ કેસનો મામલો હવે નકલી નોટ તરફ વળ્યો છે. આજે પ્રેસ કોન્ફરન્સ કરીને NCP નેતા નવાબ મલિકે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે.

Nawab Malik PC:મુંબઈ ક્રૂઝ ડ્રગ કેસનો મામલો હવે નકલી નોટ તરફ વળ્યો છે. આજે પ્રેસ કોન્ફરન્સ કરીને NCP નેતા નવાબ મલિકે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન મહારાષ્ટ્રમાં નકલી નોટોનો કારોબાર કરતા હતા. તેમના આશ્રય હેઠળ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સુધી આ ધંધો ચાલતો હતો.

મલિકે આક્ષેપ કર્યો હતો કે 8 નવેમ્બર, 2016 ના રોજ નોટબંધી પછી, દેશમાં ઘણી જગ્યાએ નકલી નોટો પકડાઈ હતી, પરંતુ મહારાષ્ટ્રમાં આખા વર્ષમાં એક પણ કેસ નોંધાયો નથી. 8 ઓક્ટોબર 2017ના રોજ મહારાષ્ટ્રમાં દરોડામાં 14 કરોડ 56 લાખથી વધુની નકલી નોટો ઝડપાઈ હતી. દેવેન્દ્ર ફડણવીસે તે બાબતને ઢાંકવાનું કામ કર્યું હતું. દરોડો માત્ર આઠ લાખ 80 હજારનો હોવાનું કહી મામલો દબાવી દેવાયો હતો. કેસ નોંધવામાં આવ્યો અને થોડા દિવસોમાં જામીન મંજૂર કરવામાં આવ્યા. આ મામલો NIAને મોકલવામાં આવ્યો ન હતો. કારણ કે, જેઓ નકલી ચલણનું રેકેટ ચલાવતા હતા, તેમને તત્કાલિન સરકારનું રક્ષણ હતું.

એનસીપીના નેતાએ આરોપ લગાવ્યો કે, ફડણવીસે સીએમ તરીકે અંડરવર્લ્ડ સાથે કનેક્શન ધરાવતા લોકોને જ રાજકીય પદો આપ્યા હતા. તેણે મુન્ના યાદવ નામના વ્યક્તિને કન્સ્ટ્રક્શન બોર્ડનો ચેરમેન બનાવ્યો. જ્યારે તે માફિયા હતો ત્યારે તેની સામે હત્યાના ઘણા કેસ નોંધાયેલા હતા. આરોપ છે કે ફડણવીસ દાઉદના નજીકના સાથી રિયાઝ ભાટી દ્વારા ખંડણી વસૂલવાનું કામ કરી રહ્યા હતા.. જમીનમાલિકોને પકડીને લાવવામાં આવ્યા અને તમામ જમીન તેમના નામે લખાવી દેવામાં આવી. તેમના કાર્યકાળ દરમિયાન લોકોને વિદેશથી ગુંડાઓના ફોન આવતા હતા.

મલિકે કહ્યું કે, દાઉદ ઈબ્રાહિમનો નજીકનો સાથી રિયાઝ ભાટી બે પાસપોર્ટ સાથે પકડાયો હતો. બે પાસપોર્ટ સાથે પકડાયેલ માણસને બે દિવસમાં જામીન મળી જાય છે. તેઓ ભાજપના કાર્યક્રમોમાં દેખાતા હતા. સીએમ દેવેન્દ્ર ફડણવીસના ડિનર ટેબલ પર જોવા મળ્યો હતો.  એટલું જ નહીં રિયાઝ ભાટી ફડણવીસના આશીર્વાદ લઈને જ વડાપ્રધાનના કાર્યક્રમમાં પહોંચ્યા હતા.

નવાબ મલિકે કહ્યું કે જ્યારે નકલી ચલણનો મામલો સામે આવ્યો ત્યારે સમીર વાનખેડે જ આ મામલાની તપાસ કરી રહ્યા હતા. આ એક સંયોગ હોઈ શકે, પરંતુ સમીર વાનખેડે દેવેન્દ્ર ફડણવીસના નજીકના છે. એટલા માટે તેને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ડીઆરઆઈએ મુંબઈમાં નકલી નોટો સામે દરોડા પાડ્યા હતા. સમીર વાનખેડે મારફત આ કેસને હળવો કરવા માટે મદદ પૂરી પાડવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
તત્કાલ ટિકિટ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર, 1 ઓગસ્ટથી લાગુ થશે નવો નિયમ
તત્કાલ ટિકિટ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર, 1 ઓગસ્ટથી લાગુ થશે નવો નિયમ
રેશન કાર્ડ એલર્ટ: 31 જુલાઈ છેલ્લી તારીખ, મફત અનાજ માટે ઘરે બેઠા જ પતાવી લો આ કામ
રેશન કાર્ડ એલર્ટ: 31 જુલાઈ છેલ્લી તારીખ, મફત અનાજ માટે ઘરે બેઠા જ પતાવી લો આ કામ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
Embed widget