શોધખોળ કરો

ગોંડલને બદનામ કરનારા સાંભળી લો! જયરાજસિંહ અને ગણેશ જાડેજાએ આપ્યો જવાબ

ગોંડલને બદનામ કરનારાઓને પૂર્વ ધારાસભ્યનો જવાબ, ગણેશ જાડેજાએ પણ વિરોધીઓને આકરા શબ્દોમાં સંભળાવ્યું.

Jayarajsinh Jadeja news: ગોંડલમાં તાજેતરમાં બનેલી અલગ અલગ ઘટનાઓ બાદ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ આખરે મૌન તોડ્યું છે. ઘણા સમય પછી ગોંડલના લોકોને સંબોધતા તેમણે દરેક સમાજનો આભાર માન્યો હતો અને ગોંડલને બદનામ કરનારા તત્વોને આકરા શબ્દોમાં જવાબ આપ્યો હતો. આ સાથે જ ગણેશ જાડેજાએ પણ ગોંડલને મિરઝાપુર કહેનારાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો.

ગોંડલના લોકોને સંબોધતા જયરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે ગોંડલને બદનામ કરવામાં કોઈ કઈ બાકી રાખતું નથી. તેમણે લોકોને આવી વાતોમાં નહીં પડવાની સલાહ આપી હતી અને જણાવ્યું હતું કે ગોંડલમાં જે શાંતિ અને સલામતી છે તે સૌના સહિયારા પ્રયાસોનું પરિણામ છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે જ્યારે પણ ગોંડલને બદનામ કરવાનો પ્રયત્ન થશે ત્યારે આપણે બધા સાથે મળીને તેનો જવાબ આપીશું.

જયરાજસિંહ જાડેજાએ પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું કે અમુક લોકો ગોંડલિયાઓને બદનામ કરવા માટે ટેવાયેલા છે. તેમણે ગોંડલમાં થયેલા વિકાસની વાત કરતા જણાવ્યું કે રાજકોટ જિલ્લામાં સૌથી વધારે ધંધા રોજગારનો વિકાસ ગોંડલમાં થયો છે, જે અમુક લોકો જોઈ શકતા નથી. જો કે, તેમણે કોઈનું નામ લીધા વિના જ પોતાના વિરોધીઓ પર પ્રહારો કર્યા હતા. આ કાર્યક્રમમાં માત્ર પાટીદાર કે ક્ષત્રિય સમાજના જ નહીં પરંતુ તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જે ગોંડલની એકતાનું પ્રતીક હતું. અંતમાં તેમણે કહ્યું કે મારે વિરોધીઓને કંઈ વધારે જવાબ આપવાનો રહેતો નથી.

તો બીજી તરફ, એક બાદ એક આક્ષેપો બાદ ગણેશ જાડેજાએ પણ મૌન તોડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 4-5 દિવસથી ગોંડલને સતત બદનામ કરવામાં આવી રહ્યું છે. ગોંડલને જે લોકો મિરઝાપુર ગણે છે તેમને ગોંડલના યુવાન તરીકે તેઓ જવાબ આપવા માંગે છે. ગણેશ જાડેજાએ ગર્વથી કહ્યું કે ગોંડલ ભગવતસિંહજીનું ગોકુળિયું ગોંડલ છે અને અહીંયા કોઈ એક સમાજના વાળા નથી, પરંતુ તમામ સમાજના લોકો સાથે મળીને રહે છે. તેમણે આક્ષેપ કર્યો કે 200 કે 500 કિલોમીટર દૂર બેઠેલા અમુક ટપોરીઓ ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજને સામસામે મૂકી દેવા માંગે છે, પરંતુ તેમની આ કોશિશ ક્યારેય સફળ થશે નહીં કારણ કે ગોંડલમાં તમામ સમાજના લોકો પ્રેમ અને ભાઈચારા સાથે રહે છે.

આમ, ગોંડલમાં તાજેતરની ઘટનાઓ બાદ જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા બંનેએ મૌન તોડીને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને ગોંડલની એકતા અને વિકાસની વાત કરી હતી. તેમણે ગોંડલને બદનામ કરનારા તત્વોને પણ આકરો સંદેશ આપ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mumbai Rain : મુંબઇમાં મુશળધાર વરસાદ બન્યો આફત, અનેક વિસ્તાર જળબંબાકાર, BMCની ખૂલ્લી પોલ
Mumbai Rain : મુંબઇમાં મુશળધાર વરસાદ બન્યો આફત, અનેક વિસ્તાર જળબંબાકાર, BMCની ખૂલ્લી પોલ
છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઈંચ વરસાદ ખાબક્યો, ખેડૂતો ખુશખુશાલ
છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઈંચ વરસાદ ખાબક્યો, ખેડૂતો ખુશખુશાલ
Pune: સિયાએ અગાઉ પણ કર્યો હતો મંગેતર કેતનને મારવાનો પ્રયાસ, હત્યા બાદ કરી હતી ભાવુક પોસ્ટ
Pune: સિયાએ અગાઉ પણ કર્યો હતો મંગેતર કેતનને મારવાનો પ્રયાસ, હત્યા બાદ કરી હતી ભાવુક પોસ્ટ
Marriage Certificate: ફક્ત એક ક્લિકમાં મળશે મેરેજ સર્ટિફિકેટ, Digilockerથી કરો ડાઉનલોડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ
Marriage Certificate: ફક્ત એક ક્લિકમાં મળશે મેરેજ સર્ટિફિકેટ, Digilockerથી કરો ડાઉનલોડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai Rain : મુંબઇમાં મુશળધાર વરસાદ બન્યો આફત, અનેક વિસ્તાર જળબંબાકાર, BMCની ખૂલ્લી પોલ
Mumbai Rain : મુંબઇમાં મુશળધાર વરસાદ બન્યો આફત, અનેક વિસ્તાર જળબંબાકાર, BMCની ખૂલ્લી પોલ
છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઈંચ વરસાદ ખાબક્યો, ખેડૂતો ખુશખુશાલ
છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઈંચ વરસાદ ખાબક્યો, ખેડૂતો ખુશખુશાલ
Pune: સિયાએ અગાઉ પણ કર્યો હતો મંગેતર કેતનને મારવાનો પ્રયાસ, હત્યા બાદ કરી હતી ભાવુક પોસ્ટ
Pune: સિયાએ અગાઉ પણ કર્યો હતો મંગેતર કેતનને મારવાનો પ્રયાસ, હત્યા બાદ કરી હતી ભાવુક પોસ્ટ
Marriage Certificate: ફક્ત એક ક્લિકમાં મળશે મેરેજ સર્ટિફિકેટ, Digilockerથી કરો ડાઉનલોડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ
Marriage Certificate: ફક્ત એક ક્લિકમાં મળશે મેરેજ સર્ટિફિકેટ, Digilockerથી કરો ડાઉનલોડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ
હોમ લોન લેતા સમયે અપનાવો આ સ્માર્ટ ટ્રિક્સ, વ્યાજમાં બચાવી શકો છો લાખો રૂપિયા
હોમ લોન લેતા સમયે અપનાવો આ સ્માર્ટ ટ્રિક્સ, વ્યાજમાં બચાવી શકો છો લાખો રૂપિયા
ગુજરાતમાં ચોમાસાનું ક્યારે થશે આગમન, પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે ક્યાં વરસશે વરસાદ, જાણો હવામાન આગાહી
ગુજરાતમાં ચોમાસાનું ક્યારે થશે આગમન, પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે ક્યાં વરસશે વરસાદ, જાણો હવામાન આગાહી
ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
FIFA World Cup 2026: પોર્ટુગલે ઉઝબેકિસ્તાનને 5-0થી કચડ્યું, રોનાલ્ડોએ કર્યા બે ગોલ
FIFA World Cup 2026: પોર્ટુગલે ઉઝબેકિસ્તાનને 5-0થી કચડ્યું, રોનાલ્ડોએ કર્યા બે ગોલ
Embed widget