શોધખોળ કરો

ગોંડલને બદનામ કરનારા સાંભળી લો! જયરાજસિંહ અને ગણેશ જાડેજાએ આપ્યો જવાબ

ગોંડલને બદનામ કરનારાઓને પૂર્વ ધારાસભ્યનો જવાબ, ગણેશ જાડેજાએ પણ વિરોધીઓને આકરા શબ્દોમાં સંભળાવ્યું.

Jayarajsinh Jadeja news: ગોંડલમાં તાજેતરમાં બનેલી અલગ અલગ ઘટનાઓ બાદ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ આખરે મૌન તોડ્યું છે. ઘણા સમય પછી ગોંડલના લોકોને સંબોધતા તેમણે દરેક સમાજનો આભાર માન્યો હતો અને ગોંડલને બદનામ કરનારા તત્વોને આકરા શબ્દોમાં જવાબ આપ્યો હતો. આ સાથે જ ગણેશ જાડેજાએ પણ ગોંડલને મિરઝાપુર કહેનારાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો.

ગોંડલના લોકોને સંબોધતા જયરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે ગોંડલને બદનામ કરવામાં કોઈ કઈ બાકી રાખતું નથી. તેમણે લોકોને આવી વાતોમાં નહીં પડવાની સલાહ આપી હતી અને જણાવ્યું હતું કે ગોંડલમાં જે શાંતિ અને સલામતી છે તે સૌના સહિયારા પ્રયાસોનું પરિણામ છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે જ્યારે પણ ગોંડલને બદનામ કરવાનો પ્રયત્ન થશે ત્યારે આપણે બધા સાથે મળીને તેનો જવાબ આપીશું.

જયરાજસિંહ જાડેજાએ પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું કે અમુક લોકો ગોંડલિયાઓને બદનામ કરવા માટે ટેવાયેલા છે. તેમણે ગોંડલમાં થયેલા વિકાસની વાત કરતા જણાવ્યું કે રાજકોટ જિલ્લામાં સૌથી વધારે ધંધા રોજગારનો વિકાસ ગોંડલમાં થયો છે, જે અમુક લોકો જોઈ શકતા નથી. જો કે, તેમણે કોઈનું નામ લીધા વિના જ પોતાના વિરોધીઓ પર પ્રહારો કર્યા હતા. આ કાર્યક્રમમાં માત્ર પાટીદાર કે ક્ષત્રિય સમાજના જ નહીં પરંતુ તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જે ગોંડલની એકતાનું પ્રતીક હતું. અંતમાં તેમણે કહ્યું કે મારે વિરોધીઓને કંઈ વધારે જવાબ આપવાનો રહેતો નથી.

તો બીજી તરફ, એક બાદ એક આક્ષેપો બાદ ગણેશ જાડેજાએ પણ મૌન તોડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 4-5 દિવસથી ગોંડલને સતત બદનામ કરવામાં આવી રહ્યું છે. ગોંડલને જે લોકો મિરઝાપુર ગણે છે તેમને ગોંડલના યુવાન તરીકે તેઓ જવાબ આપવા માંગે છે. ગણેશ જાડેજાએ ગર્વથી કહ્યું કે ગોંડલ ભગવતસિંહજીનું ગોકુળિયું ગોંડલ છે અને અહીંયા કોઈ એક સમાજના વાળા નથી, પરંતુ તમામ સમાજના લોકો સાથે મળીને રહે છે. તેમણે આક્ષેપ કર્યો કે 200 કે 500 કિલોમીટર દૂર બેઠેલા અમુક ટપોરીઓ ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજને સામસામે મૂકી દેવા માંગે છે, પરંતુ તેમની આ કોશિશ ક્યારેય સફળ થશે નહીં કારણ કે ગોંડલમાં તમામ સમાજના લોકો પ્રેમ અને ભાઈચારા સાથે રહે છે.

આમ, ગોંડલમાં તાજેતરની ઘટનાઓ બાદ જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા બંનેએ મૌન તોડીને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને ગોંડલની એકતા અને વિકાસની વાત કરી હતી. તેમણે ગોંડલને બદનામ કરનારા તત્વોને પણ આકરો સંદેશ આપ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
Weather : રાજ્યમાં  માવઠાનું સંકટ,  હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
Weather : રાજ્યમાં માવઠાનું સંકટ, હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
ઊંઝા APMC: એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ બંધ રહેશે
ઊંઝા APMC: એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ બંધ રહેશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Deesa News : તલવાર સાથે વીડિયો બનાવવો યુવકને પડ્યો ભારે, પોલીસે મંગાવી માફીVadodara News : ડભોઇમાં પેસેન્જર ભરવા મુદ્દે ઇકા ચાલાકો વચ્ચે મારામારીGondal Big Breaking : ગોંડલમાં પટેલ- ક્ષત્રિય સમાજ સંયુક્ત પ્રેસ , ગણેશ જાડેજાએ કોને આપી ચેતવણી?Anand Crime : આણંદમાં બાળકને ઝેરી દવા આપી હત્યાનો પ્રયાસ, કારણ જાણી ચોંકી જશો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
Weather : રાજ્યમાં  માવઠાનું સંકટ,  હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
Weather : રાજ્યમાં માવઠાનું સંકટ, હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
ઊંઝા APMC: એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ બંધ રહેશે
ઊંઝા APMC: એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ બંધ રહેશે
Justice Yashwant Varma:  ફોનમાંથી એક પણ ચેટ ડિલિટ ન કરવાના જસ્ટિસ યશવંત વર્માને આદેશ, જાણો કેસ કાંડનું અપડેટ્સ
Justice Yashwant Varma: ફોનમાંથી એક પણ ચેટ ડિલિટ ન કરવાના જસ્ટિસ યશવંત વર્માને આદેશ, જાણો કેસ કાંડનું અપડેટ્સ
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
Embed widget