શોધખોળ કરો

Rajkot: ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા! 90 ટકા ડુંગળીનું વેચાણ કરી દીધા બાદ હવે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસને છૂટ આપતા ખેડૂતોમાં રોષ

રાજકોટ: ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ કેન્દ્ર સરકારે કર્યો છે. સૌરાષ્ટ્રના ખેડૂતોએ 90 ટકા ડુંગળીનું વેચાણ કરી દીધા બાદ હવે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસને છૂટ આપી છે.

રાજકોટ: ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ કેન્દ્ર સરકારે કર્યો છે. સૌરાષ્ટ્રના ખેડૂતોએ 90 ટકા ડુંગળીનું વેચાણ કરી દીધા બાદ હવે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસને છૂટ આપી છે. સૌરાષ્ટ્રના ખેડૂતોએ આક્રોશ સાથે કહ્યું કે, ત્રણ મહિના વહેલી નિકાસને છૂટ આપવાની જરૂર હતી. ખેડૂતોએ પાણીના ભાવે ડુંગળી વેચી દીધા બાદ હવે સરકારે નિકાસને છૂટ આપી.

 

સૌરાષ્ટ્ર કે જયાં મોટાભાગનો વર્ગ ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલો છે, પાંચ વર્ષથી સૌરાષ્ટ્રના ખેડૂતો ડુંગળીના વાવેતર તરફ વળ્યા છે. સૌથી વધુ ડુંગળી ભાવનગર જીલ્લો અને ત્યારબાદ રાજકોટ જિલ્લામાં વાવેતર થાય છે.જો કે સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચ વર્ષથી ડુંગળીનું વાવેતરની સાથે ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં થાય છે. સવાલ એ થાય કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોએ મોટા પ્રમાણમાં ડુંગળીનું વેચાણ કરી દીધા બાદ સરકારએ નિકાસની છૂટ આપી છે. છેલ્લા ત્રણ મહિનાથી મહુવા,ભાવનગર,રાજકોટ અને ગોંડલ જેવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી ની કેટલી આવક થતી હતી કે ડુંગળી રાખવાની જગ્યા પણ ન હતી.સરકાર દ્વારા નીકાસની છૂટ આપવામાં આવી છે ત્યારે ખેડૂતો પાસેથી જ ચોકાવનારી હકીકત સામે આવી છે. સૌરાષ્ટ્રના ખેડૂતોએ અત્યાર સુધીમાં 80 થી 90 ટકા ડુંગળી હરરાજીમાં સસ્તા ભાવે વેચી નાખી છે.

સૌરાષ્ટ્રમાં ખરીફ ડુંગળીનું આ વર્ષે બમ્પર ઉત્પાદન થયું હતું. સરકારે નિકાસ પર પ્રતિબંધ મુકતા ડુંગળીના ભાવ ગગળી ગયા હતા. ડુંગળીની કેન્દ્ર સરકાર છૂટ આપે તે માટે સૌરાષ્ટ્રના સાંસદોએ કેન્દ્ર સરકાર અને કેન્દ્રના કૃષિ મંત્રીને રજૂઆત કરી હતી કે નિકાસની છૂટ આપવામાં આવે. દોઢ મહિના પહેલા સૌરાષ્ટ્રના સાંસદોએ ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકારને પત્રો લખ્યા હતા. રાજકોટના સાંસદ મોહન કુંડારીયા, રમેશભાઈ ધડુક સહિતના સાંસદોએ કેન્દ્ર સરકારને રજૂઆતો પણ કરી હતી.

સૌરાષ્ટ્રના ખેડૂતોએ ખરીફ લાલપતી ડુંગરી સસ્તા ભાવે વેચી નાખ્યા બાદ સરકારે હવેની નિકાસ છૂટ આપતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને અત્યાર સુધી સરેરાશ એક મણ ડુંગળીના 100 રૂપિયાથી લઈ અને 250 રૂપિયા મળ્યા છે. ખેડુતોનું કહેવું છે કે બિયારણ,રાસાયણિક જંતુનાશક દવા,મજૂરી,ડીઝલ સહિત તમામ વસ્તુના ભાવ દર વર્ષે વધે છે. ખેડૂતોને એક મણ ડુંગળીના સરેરાશ 600 થી 700 રૂપિયા મળે તો ખેડૂતોની પાછળ કંઈક વધે.

એક વિઘે ડુંગળીનો ખર્ચ અને ઉત્પાદન

  • બિયારણ -2000
  • વાવેતર ખર્ચ -500
  • રાસાયણિક ખાતર- 1500 રૂપિયા
  • રાસાયણિક દવાનો ખર્ચ 3000
  • નિંદામણ મજૂરી  -1000
  • ડીટામણ ખર્ચ - 5000
  • પીછીનો ખર્ચ- 1300
  • માર્કેટિંગ યાર્ડ સુધી લઈ લાવવાનું ભાડું 4000
  • ડુંગળી યાર્ડમાં ઉતારવાનું ભાડું -400

કુલ ખર્ચ -18700

  • ખેડૂતોને જો સરેરાશ 200 મણનું ઉત્પાદન થાય અને એક મણના 150 રૂપિયા ભાવ આવે તો 30 હજાર રૂપિયાની ડુંગળીનું ઉત્પાદન આવે. ગણતરી મુજબ ખેડૂતને 11000 રૂપિયાની આવક થાય.
  • જો ખેડૂતને સો રૂપિયા કે તેનાથી નીચા ભાવ મળે તો ખેડૂતોને ખોટ સહન કરવી પડે.  કેમકે એક વીઘે 18000 થી 20,000 જેટલો સરેરાશ ખર્ચ થાય.
  • મોંઘવારીને કાબુ કરવા માટે કેન્દ્ર સરકાર વારંવાર ખેડૂતોને નિકાસ પર પ્રતિબંધ મૂકી દે છે,જેના કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. સરકારે વારંવાર નિકાસ પર પ્રતિબંધ મૂકવાના બદલે વચેટીયા વેપારી અને સંગ્રહખોરો પર પણ બાજ નજર રાખવાની જરૂરિયાત છે અને તેમને પણ કંટ્રોલ કરવાની જરૂરિયાત છે, જેથી સરકારને ડુંગળી જેવી જણસ પર વારંવાર નિકાસ પર પ્રતિબંધ મૂકવો ન પડે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત, કાર વૃક્ષ સાથે અથડાતા પૂજા રાજગોરનું મોત
Rajkot: રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત, કાર વૃક્ષ સાથે અથડાતા પૂજા રાજગોરનું મોત
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot News: ભાજપ આગેવાન પર ગંભીર આરોપ, યુવતીનું અપહરણ કરી 2 મહિના ગોંધી રાખ્યાનો આક્ષેપ
Rajkot News: ભાજપ આગેવાન પર ગંભીર આરોપ, યુવતીનું અપહરણ કરી 2 મહિના ગોંધી રાખ્યાનો આક્ષેપ
RMC Mayor News: રાજકોટના મેયર બન્યા નેહલ શુક્લ, ડે.મેયર તરીકે દક્ષાબેન વસાણીની પસંદગી
RMC Mayor News: રાજકોટના મેયર બન્યા નેહલ શુક્લ, ડે.મેયર તરીકે દક્ષાબેન વસાણીની પસંદગી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દારુ નકલી, અસલી મહુડો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં કોણે ફોડી સોપારી ?
Praful Pansheriya: આરોગ્ય સેન્ટરના બાંધકામમાં ગુણવત્તા ન જળવાતા આરોગ્ય મંત્રી એકશનમાં
Gujarat Monsoon 2026: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર
Gujarat DGP : ગુજરાત પોલીસને મળ્યા નવા વડા, GS મલિક બન્યા ગુજરાતના નવા DGP

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ
LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ
FIFA World Cup: ઈરાકના સ્ટાર ફૂટબોલરને અમેરિકાએ એરપોર્ટ પર કર્યો ડિટેઈન, સાત કલાક બાદ છોડ્યો
FIFA World Cup: ઈરાકના સ્ટાર ફૂટબોલરને અમેરિકાએ એરપોર્ટ પર કર્યો ડિટેઈન, સાત કલાક બાદ છોડ્યો
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!
Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!
શું પેટ્રોલ-ડીઝલ ફરી 5 રૂપિયા મોંઘા થશે? તેલ કંપનીઓના નુકસાન વચ્ચે નિષ્ણાતોની ચિંતા
શું પેટ્રોલ-ડીઝલ ફરી 5 રૂપિયા મોંઘા થશે? તેલ કંપનીઓના નુકસાન વચ્ચે નિષ્ણાતોની ચિંતા
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ખાદ્ય તેલ કંપનીઓની ચાલાકી બંધ: 850 કે 900 ગ્રામના પેકિંગ પર સરકારે મૂક્યો મોટો પ્રતિબંધ
ખાદ્ય તેલ કંપનીઓની ચાલાકી બંધ: 850 કે 900 ગ્રામના પેકિંગ પર સરકારે મૂક્યો મોટો પ્રતિબંધ
Embed widget