શોધખોળ કરો

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાથી બબાલ, સ્થિતિ તણાવપૂર્ણ, અનેક વાહનોમાં તોડફોડ

સ્થાનિક ધારાસભ્ય કાંતિ બલર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

Stone pelting at Ganesh mandap in Surat: શહેરના સૈયદપુરા વિસ્તારમાં આજે સાંજે એક ગણપતિ મંડપ પર પથ્થરમારાની ઘટનાએ તણાવપૂર્ણ સ્થિતિ સર્જી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લઘુમતી સમુદાયના એક યુવકે ગણપતિ મંડપ પર પથ્થર ફેંક્યો હતો, જેના પગલે સ્થાનિક રહીશોએ તેને પકડીને પોલીસને સોંપ્યો હતો.

ઘટનાની જાણ થતાં લાલગેટ અને ચોક બજાર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન, હિન્દુ સમાજના યુવાનોએ સૈયદપુરા પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો હતો અને આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

સ્થાનિક ધારાસભ્ય કાંતિ બલર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "ગણપતિ મંડપ પર પથ્થરમારો કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. પોલીસ આરોપી સામે યોગ્ય કાર્યવાહી કરશે."

પોલીસે હિન્દુ સમુદાયના લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી અને ખાતરી આપી હતી કે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિક નેતાઓ અને સામાજિક કાર્યકરો પણ લોકોને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પથ્થરમારાને લઈને અપડેટ

એબીપી અસ્મિતાની સુરતના શહેરીજનોને શાંતિ જાળવવાની અપીલ કરે છે.

પોલીસ પણ બંને સમુદાયના લોકોને શાંતિ રાખવા કરી રહી છે અપીલ કરે છે. 

પોલીસની તોફાનીઓ સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે. 

સૈયદપુરાની ઘટનાની કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ કરી નિંદા.

કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાની શાંતિ જાળવવા અપીલ કરી છે. 

શહેરની શાંતિ ડહોળનાર કોઈને સાંખી નહીં લેવાની પોલીસે ખાતરી આપી છે. 

પોલીસની ખાતરી છતા હિંદુ યુવકો પોલીસ મથક છોડવા માટે તૈયાર નથી.

ઘટનાને ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. 

પોલીસે કોઈ પણ જવાબદારોને નહીં છોડવા આપી ખાતરી.

શહેરની શાંતિ ડહોળનારાને કાયદાનો પાઠ ભણાવવા પોલીસ મક્કમ.

સુરત શહેરમાં શાંતિનો માહોલ યથાવત રાખવા પોલીસ મક્કમ.

ગણેશજીની પ્રતિમાને ખંડિત કરવાના પ્રયાસને સાંખી નહીં લેવાયઃ સાંસદ

સાંસદ મુકેશ દલાલની લોકોને શાંતિ જાળવવાની અપીલઃ સાંસદ

ગૃહરાજ્યમંત્રીએ કડક કાર્યવાહીના આપ્યા આદેશ.

ગણેશ ઉત્સવ પર પથ્થરમારો કરનારને નહીં બક્ષવાની ગૃહરાજ્યમંત્રીની ખાતરી.

એક પણ અસામાજિક તત્વને નહીં છોડવાની ગૃહરાજ્યમંત્રીની પોલીસને સૂચના.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની પોલીસને સ્પષ્ટ સૂચના.

શાંતિ ડહોળનારા તત્વને નહીં છોડવા સુરત પોલીસ કમિશનરને સૂચના.

ઉત્સવમાં કાંકરિચાળો કરનારા એક પણને ન બક્ષવા આદેશ.

ગૃહરાજ્યમંત્રીએ કડકમાં કડક કાર્યવાહની આપ્યા આદેશ.

સવાર સુધીમાં આવી પ્રવૃતિમાં સંડોવાયેલાને પકડી પાડવા સૂચના.

ગૃહરાજ્યમંત્રી સંઘવીએ પોલીસ કમિશનરને પકડવાના કર્યા આદેશ.

સૈયદપુરાની ઘટના અંગે મે પોલીસ કમિશનર સાથે કરી વાતઃ પૂર્ણેશ મોદી

CPને કડક હાથે કાર્યવાહી કરવા કરી રજૂઆતઃ પૂર્ણેશ મોદી

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું: ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું: ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી
IND vs NZ LIVE Score: વરુણ ચક્રવર્તીએ ન્યૂઝીલેન્ડને આપ્યો બીજો ઝટકો
IND vs NZ LIVE Score: વરુણ ચક્રવર્તીએ ન્યૂઝીલેન્ડને આપ્યો બીજો ઝટકો
પદ પરથી હટતાં જ સેબીના પૂર્વ વડા માધબી પુરીની મુશ્કેલીમાં વધારો, મુંબઈ કોર્ટે આપ્યો આ આદેશ
પદ પરથી હટતાં જ સેબીના પૂર્વ વડા માધબી પુરીની મુશ્કેલીમાં વધારો, મુંબઈ કોર્ટે આપ્યો આ આદેશ
UP Politics: યુપીના રણસંગ્રામમાં નવો મોરચો, ભાજપના મિત્ર પક્ષે એકલા ચૂંટણી લડવાની કરી જાહેરાત
UP Politics: યુપીના રણસંગ્રામમાં નવો મોરચો, ભાજપના મિત્ર પક્ષે એકલા ચૂંટણી લડવાની કરી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Chhota Udepur News: છોટાઉદેપુરમાં પ્રેમ લગ્ન કરનાર યુવક-યુવતીનો સમાજે કર્યો બહિષ્કારAnand Samuh Lagna Controversy: રાજકોટ બાદ આણંદમાં સમૂહ લગ્ન આવ્યા વિવાદમાંSurat News: સુરતમાં અઠવાલાઈન્સમાં રહેતા મહિલા કોન્સ્ટેબલની આત્મહત્યાPanchmahal News: ગોધરામાં બાઈક અકસ્માતાં સામાન્ય ઈજા બાદ 14 વર્ષના કિશોરને ધનુર્વાની અસર જોવા મળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું: ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું: ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી
IND vs NZ LIVE Score: વરુણ ચક્રવર્તીએ ન્યૂઝીલેન્ડને આપ્યો બીજો ઝટકો
IND vs NZ LIVE Score: વરુણ ચક્રવર્તીએ ન્યૂઝીલેન્ડને આપ્યો બીજો ઝટકો
પદ પરથી હટતાં જ સેબીના પૂર્વ વડા માધબી પુરીની મુશ્કેલીમાં વધારો, મુંબઈ કોર્ટે આપ્યો આ આદેશ
પદ પરથી હટતાં જ સેબીના પૂર્વ વડા માધબી પુરીની મુશ્કેલીમાં વધારો, મુંબઈ કોર્ટે આપ્યો આ આદેશ
UP Politics: યુપીના રણસંગ્રામમાં નવો મોરચો, ભાજપના મિત્ર પક્ષે એકલા ચૂંટણી લડવાની કરી જાહેરાત
UP Politics: યુપીના રણસંગ્રામમાં નવો મોરચો, ભાજપના મિત્ર પક્ષે એકલા ચૂંટણી લડવાની કરી જાહેરાત
રાજકોટ BRTS ડ્રાઇવરની ખતરનાક બેદરકારી: ચાલુ બસે માવો ઘસતા વિડીયો વાયરલ
રાજકોટ BRTS ડ્રાઇવરની ખતરનાક બેદરકારી: ચાલુ બસે માવો ઘસતા વિડીયો વાયરલ
Chamoli Avalanche Update:ચમોલી હિમસ્ખલનમાં 4 કામદાર હજુ પણ લાપત્તા, ડ્રોનથી કરવામાં આવી રહી છે શોધ
Chamoli Avalanche Update:ચમોલી હિમસ્ખલનમાં 4 કામદાર હજુ પણ લાપત્તા, ડ્રોનથી કરવામાં આવી રહી છે શોધ
Bihar Politics: ‘હવે બિહારમાં ખેલા હોવે’, JDUના 9 સાંસદો BJPની છાવણી...’RJD ધારાસભ્યના દાવાથી રાજકીય ભૂકંપ
Bihar Politics: ‘હવે બિહારમાં ખેલા હોવે’, JDUના 9 સાંસદો BJPની છાવણી...’RJD ધારાસભ્યના દાવાથી રાજકીય ભૂકંપ
UP Politics: માયાવતીનો મોટો નિર્ણય,પોતાના ભત્રીજાને તમામ પદો પરથી હટાવ્યો, આ નેતાને સોંપી જવાબદારી
UP Politics: માયાવતીનો મોટો નિર્ણય,પોતાના ભત્રીજાને તમામ પદો પરથી હટાવ્યો, આ નેતાને સોંપી જવાબદારી
Embed widget