શોધખોળ કરો
Govinda Birthday: જ્યારે આ એક્ટ્રેસના પ્રેમમાં પાગલ થઇ ગયો હતો ગોવિંદા, તોડી નાખી હતી સુનીતા સાથેની સગાઇ
Govinda Birthday: ગોવિંદાએ 90ના દાયકામાં બોલિવૂડ પર રાજ કર્યું હતું. તેમની દરેક ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. જો કે છેલ્લા કેટલાક દિવસોથી ગોવિંદા સિલ્વર સ્ક્રીનથી દૂર છે.

ગોવિંદા
1/9

Govinda Birthday: ગોવિંદાએ 90ના દાયકામાં બોલિવૂડ પર રાજ કર્યું હતું. તેમની દરેક ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. જો કે છેલ્લા કેટલાક દિવસોથી ગોવિંદા સિલ્વર સ્ક્રીનથી દૂર છે.
2/9

ગોવિંદાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે તેની લવ લાઈફ પણ ઘણી ચર્ચામાં રહી છે. અભિનેતા દર વર્ષે 21 ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવે છે. આ ખાસ અવસર પર ચાલો તેની લવ સ્ટોરી જાણીએ.
3/9

ગોવિંદાએ તેની કારકિર્દીની શરૂઆતમાં જ સુનીતા સાથે લગ્નનું કમિટમેન્ટ આપ્યું હતું. પરંતુ તે દરમિયાન, તેના જીવનમાં એક અભિનેત્રીનો પ્રવેશ થયો જેના પ્રેમમાં તે પાગલ થઈ ગયો હતો. એટલું જ નહીં તેણે સુનીતા સાથેની સગાઈ પણ તોડી નાખી. તે અભિનેત્રીનું નામ છે નીલમ કોઠારી.
4/9

નીલમ કોઠારીની ગોવિંદા સાથેની લવસ્ટોરીએ 90ના દાયકામાં ઘણી ચર્ચામાં રહેતી હતી. બંનેની પહેલી મુલાકાત 1986માં રિલીઝ થયેલી ફિલ્મ 'ઈલ્ઝામ'ના સેટ પર થઈ હતી. ગોવિંદા નીલમને પહેલીવાર જોતાં જ તેના પ્રેમમાં પડી ગયો હતો.
5/9

ગોવિંદાને નીલમ કોઠારી સાથે પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો હતો. બંને સ્ટાર્સે લગભગ 14 ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. ગોવિંદા અને નીલમની જોડીએ સિલ્વર સ્ક્રીન પર છવાઇ ગઇ હતી.
6/9

સ્ટારડસ્ટ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન ગોવિંદાએ જણાવ્યું કે તે ઘણીવાર સુનીતાને કહેતો કે તેણે નીલમ પાસેથી શીખવું જોઈએ અને તેના જેવું બનવું જોઈએ. ગોવિંદાના મોઢેથી નીલમના વખાણ સાંભળીને સુનીતા કંટાળી જવા લાગી. આ પછી બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા.
7/9

ગોવિંદાએ કહ્યું કે એક સમય એવો આવ્યો જ્યારે સુનીતા આહુજા નીલમ કોઠારીને કારણે ઇનસિક્યોર ફિલ કરવા લાગી હતી. નીલમને લઈને બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. એકવાર સુનીતાએ નીલમ વિશે કંઈક એવું કહ્યું જેનાથી ગોવિંદા ખૂબ જ ગુસ્સે થઈ ગયા.
8/9

મામલો એ હદે વધી ગયો હતો કે ગોવિંદાએ સુનીતા સાથેની સગાઈ પણ તોડી નાખી હતી. ગોવિંદાએ કહ્યું કે જો સુનીતાએ તેને પાંચ દિવસ પછી ફોન કરીને મનાવ્યો ન હોત તો તે નીલમ કોઠારી સાથે લગ્ન કરી લેત. જો કે, આવું બન્યું ન હતું.
9/9

આ પછી ગોવિંદા અને સુનીતા આહુજાએ 11 માર્ચ 1987ના રોજ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતા. આ દંપતીને યશવર્ધન અને ટીના આહુજા નામના બે બાળકો છે. જો કે, લગ્ન પછી પણ ગોવિંદાએ નીલમ પ્રત્યેના પ્રેમનો અનેક પ્રસંગોએ સ્વીકાર કર્યો છે.
Published at : 21 Dec 2023 12:53 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ઓટો
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
