શોધખોળ કરો
શું મકાઈ દરેક માટે સલામત છે? આ 6 પ્રકારના લોકોએ મકાઈ ખાતા પહેલા સાવધાન રહેવું જોઈએ
ચોમાસામાં ગરમ અને શેકેલી મકાઈ ખાવાની મજા અનોખી હોય છે. મકાઈમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, જે સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. પરંતુ, મકાઈ દરેક વ્યક્તિ માટે ફાયદાકારક નથી?
કેટલાક શારીરિક પરિસ્થિતિઓ ધરાવતા લોકો માટે મકાઈનું સેવન જીવલેણ સાબિત થઈ શકે છે. અહીં આપણે તે 6 પ્રકારના લોકો વિશે વાત કરીશું જેમણે મકાઈ ખાતા પહેલા સાવચેતી રાખવી જોઈએ.
1/6

1. ડાયાબિટીસના દર્દીઓ: મકાઈમાં નેચરલ શુગર અને કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે, જે બ્લડ સુગર લેવલને ઝડપથી વધારી શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ મકાઈનું સેવન ખૂબ જ નિયંત્રિત માત્રામાં કરવું જોઈએ અથવા તો ડૉક્ટરની સલાહ મુજબ તેને ટાળવું જોઈએ.
2/6

2. પાચન સમસ્યાઓવાળા લોકો: મકાઈમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે, જે સામાન્ય રીતે પાચન માટે સારું છે. પરંતુ જે લોકોને પહેલેથી જ પેટ ફૂલવું, ગેસ અથવા ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ (IBS) જેવી સમસ્યાઓ હોય, તેમના માટે મકાઈ આ સમસ્યાઓને વધુ ગંભીર બનાવી શકે છે.
Published at : 09 Aug 2025 07:49 PM (IST)
આગળ જુઓ





















