સેહવાગે આઈપીએલમાં 104 મેચમાં કુલ 2728 રન બનાવ્યા છે. જેમાં 2 સદી અને 16 અડધી સદી સામેલ છે. કિંગ્સ ઈલેવન પંજાબ આઈપીએલમાં હજુ સુધી એક પણ વખત વિજેતા બની શકી નથી.
2/4
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગે શનિવારથી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબ સાથે છેડો ફાડી નાંખ્યો છે. તે 2016થી આ ટીમ સાથે સંકળાયેલો હતો અને આઈપીએલની 3 એડિશનમાં ટીમનો મેન્ટર હતો. સેહવાગ કિંગ્સ ઈલેવન ટીમ તરફતી આઈપીએલમાં 2 વખત ખેલાડી તરીકે પણ રમ્યો હતો. વન ડે કરિયરમાં 8000થી વધારે રન બનાવનારા સેહવાગે ટ્વિટ કરીને તેના ફેંસલા અંગે જણાવ્યું હતું.
3/4
સેહવાગે ટ્વિટ કરીને જણાવ્યું કે, તમામ સારી ચીજોનો અંત હોય છે અને મેં કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ સાથે સારો સમય ગાળ્યો. હું 2 સીઝનમાં ટીમ તરફથી રમ્યો અને 3 સીઝન સુધી ટીમનો મેન્ટર રહ્યો. કિંગ્સ 11 પંજાબથી અલગ થઈ રહ્યો છું અને ટીમ સાથે સારો સમય વીતાવવા બદલ તમામનો આભાર માનું છું. ટીમને ભવિષ્ય માટે શુભકામના.