શનિવારે સાંજે ભારતીના મોબાઇલ પર કોઈ વ્યક્તિનો ફોન આવ્યો હતો. આ બાબતે ગૌરવ અને ભારતી વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી ભારતીએ રવિવારે સવારે રસોડામાં પંખા સાથે લટકીને આપઘાત કરી લીધો હતો.
2/4
ભારતીએ આપઘાત કરતાં તેનો મૃતદેહ અઠવા પોલીસે પીએમ માટે નવી સિવિલ હોસ્વપિટલ મોકલી આપ્યો છે અને આ પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી છે. ગૌરવ ઉત્તરપ્રદેશનો વતની હોવાનું જાણવા મળ્યું છે.
3/4
આ અંગેની વિગતો એવી છે કે, શહેરના નાપુરા ખાખીબાવાના મંદિર ખાતે ભારતી નિરંજન જૈના(ઉ.વ.24) અને ગૌરવ રાકેશભાઈ મિશ્રા લિવ ઇન રિલેશનમાં રહેતા હતા. ભારતી ખાનગી હોસ્પિટલમાં ફિઝીયોથેરાપીસ્ટ તરીકે કામ કરતી હતી. જ્યારે ગૌરવ હોટલમાં કામ કરતો હતો.
4/4
સુરતઃ શહેરના નાનપુરા વિસ્તારમાં લિવ ઇન રિલેશનમાં રહેતી એક યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. યુવતીએ પંખા સાથે સાડી બાંધીને આપઘાત કરી લીધો હતો. યુવતી અજાણ્યા યુવક સાથે ફોન પર વાત કરતી હોય બંને વચ્ચે ઝઘડો થયા બાદ યુવતીએ આ પગલું ભર્યું હતું.