શોધખોળ કરો
સુરતના 100થી વધુ જ્વેલર્સને ITની નોટિસ, ઝવેરીઓમાં ફફડાટ
1/4

સુરતઃ આવકવેરા વિભાગે ગત તારીખ સાત, આઠ અને નવમીના રોજનો હિસાબ જાણવા માટે સુરત શહેરના 100થી વધુ જ્વેલર્સને કલમ 133(6) હેઠળ નોટિસ પાઠવતા ફફડાટ મચી ગયો છે. આઇટી દ્વારા જ્વેલર્સોને ત્રણ દિવસમાં નોટિસનો જવાબ આપવાનો નિર્દેશ કર્યો છે. સાથોસાથ આઇટીના અધિકારીએ ગર્ભિત ચીમકી ઉચ્ચારી છે કે જો વિગતો નહીં આવે તો સરવે કરવામાં આવશે અને છૂપાવેલી માહિતી બહાર લવાશે. મહત્વની વાત એ છે કે ગત 8 નવેમ્બરે રાત્રે નોટબંધીની જાહેરાત બાદ જ્વેલર્સ દ્વારા બેક ડેટમાં સ્ટોક ખાલી થઈ જાય હદે જૂની નોટ સ્વીકારી વેપાર કર્યો હતો.
2/4

આવકવેરા વિભાગને શંકા છે કે નવમી નવેમ્બરના રોજ પણ અનેક જવેલર્સે સોનું વેચ્યું હતું અને જુન સુધીનું બુકિંગ લઈ લીધું હતું. કેટલાંક સોના-ચાંદીના દાગીનાના વેપારીઓએ તો આઠમી પહેલાંના બિલ ગ્રાહકોને આપ્યા હતા. જેથી રદ થયેલી કરન્સીમાં સોદા કરવાનો ગુનો બને. જોકે રૂપિયા બે લાખની સોનાની ખરીદી પર પાનકાર્ડ આપવું પડે છે. આથી અનેક ગ્રાહકો પણ આઇટીની ઝપટે ચઢશે એવી સંભાવના છે.
Published at : 23 Nov 2016 11:50 AM (IST)
View More





















