AICC National Convention in Ahmedabad: કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનો બીજો દિવસ | Abp Asmita
ગુજરાતમાં આશરે 64 વર્ષ પછી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ચાલી રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનો મંગળવારે પહેલો દિવસ હતો. જ્યારે આજે બુધવારે બીજો દિવસ છે. મંગળવારે સરદાર સ્મારકમાં CWCની બેઠક મળી હતી. અને ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા યોજાઈ હતી. જ્યારે આજે અમદાવાદમાં સાબરમતીના કિનારે બીજા દિવસની બેઠક થશે.આ બેઠકમાં કોંગ્રેસના 3000થી વધારે નેતાઓ હાજર રહેશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનના બીજા દિવસે દેશના કોંગ્રેસ નેતાઓનો જમાવડો થશે અને પાર્ટીના એજન્ડા ઉપર ચર્ચા કરશે. રાષ્ટ્રીય અધિવેશનમાં એક બાદ એક ઠરાવ પર ચર્ચા કરવામાં આવશે. એટલું જ નહીં. ગુજરાત કોંગ્રેસ અંગે મોટા ફેરફારો પણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ 2027માં ગુજરાતમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપી છે ત્યારે આજના અધિવેશનમાં ગુજરાત કોંગ્રેસને લઈ મહત્વનો નિર્ણય થઈ શકે છે.


















