હરિદ્વાર મહાકુંભમાં અખિલ ભારતીય શ્રી પંચ નિર્મોહી અની અખાડાના મહામંડલેશ્વર કનીરામ બાપુ સુરેન્દ્રનગર ખાલસા ગુજરાતની ભજન સંધ્યા કાર્યક્રમમાં ભક્તોએ લગભગ અઢી કરોડ રૂપિયાની ધનવર્ષા કરી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીના ડાયરામાં નોટોનો વરસાદ વરસ્યો હતો.