Pahalgam Terror Attack Update: પહેલગામ હુમલા બાદ મોટી કાર્યવાહીની તૈયારી, ઘાટીમાં રહેતા સ્થાનિક આતંકવાદીઓનું લીસ્ટ તૈયાર
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ થયેલા ભયાનક આતંકવાદી હુમલા, જેમાં ૨૮ લોકો માર્યા ગયા (પ્રાપ્ત માહિતી મુજબ) હતા, તે પછી સુરક્ષા દળો અને ગુપ્તચર એજન્સીઓ સંપૂર્ણપણે સક્રિય થઈ ગઈ છે. આ ઘટના બાદ સરકાર સતત કડક પગલાં લઈ રહી છે અને તપાસ એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરમાં સક્રિય એવા સ્થાનિક આતંકવાદીઓની એક યાદી તૈયાર કરી છે, જેઓ પાકિસ્તાની આતંકવાદીઓને મદદ કરી રહ્યા છે.
આ સ્થાનિક આતંકવાદીઓ પાકિસ્તાની આતંકવાદીઓને આશ્રય આપે છે, તેમને સંસાધનો પૂરા પાડે છે અને તેમની ગતિવિધિઓમાં મદદગાર સાબિત થાય છે. પહલગામ હુમલા બાદ સુરક્ષાદળોએ આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહીના ભાગરૂપે, આતંકવાદીઓના ઘરોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. શનિવારે પુલવામા અને કુલગામમાં આતંકીઓના ઘરોને IED બ્લાસ્ટ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા.




















