શોધખોળ કરો

ચૂંટણીમાં કોને સોંપાય છે ડ્યૂટી, ગેરહાજર રહેનારા પર શું થાય કાર્યવાહી? આ સ્થિતિમાં મળી શકે છૂટ

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને હવે થોડો સમય બાકી છે. ચૂંટણી કરાવવાની જવાબદારી ચૂંટણી પંચની છે

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને હવે થોડો સમય બાકી છે. ચૂંટણી કરાવવાની જવાબદારી ચૂંટણી પંચની છે. ચૂંટણી પંચની જવાબદારી છે કે તમામ કામ સમયસર અને યોગ્ય રીતે થાય છે. પરંતુ તેના અધિકારીઓ થોડા છે અને માત્ર મોટી જવાબદારીઓ સંભાળી શકે છે. આવી સ્થિતિમાં રાજ્ય, જિલ્લાઓ અને દરેક ગામમાં ચૂંટણીની દેખરેખ માટે અન્ય કર્મચારીઓની પસંદગી કરવામાં આવે છે. આ કર્મચારીઓને વિવિધ સરકારી વિભાગોમાંથી લેવામાં આવે છે.

પોલિંગ ટીમમાં પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસર, સેક્ટર અને ઝોનલ ઓફિસર્સ, માઇક્રો ઓબ્ઝર્વરથી લઇને ચૂંટણી દરમિયાન ઉપયોગમાં લેવાતા વાહનોના ડ્રાઇવરો અને કંડક્ટર સુધીના સંખ્યાબંધ લોકોનો સમાવેશ થાય છે. એકવાર કોઈ વ્યક્તિ ચૂંટણીની ફરજ પર હોય પછી સૂચના વિના ગાયબ થઈ જવું એ ગંભીર બેદરકારીની શ્રેણીમાં આવે છે.

કોની ફરજ છે?

ચૂંટણી પંચ આ કામ માટે તમામને ફરજ સોંપી શકતું નથી. જેઓ કેન્દ્ર કે રાજ્યના કાયમી કર્મચારી હોય તેમને પર જ ડ્યુટી સોંપવામાં આવે છે. જો મોટી સંખ્યામાં જરૂરિયાત હોય તો ડેપ્યુટેશન પરના અધિકારીઓને પણ જવાબદારી મળે છે. શિક્ષકો, ઇજનેરો, કારકુનો, એકાઉન્ટન્ટ્સ, વહીવટી અને સહાયક ટીમો મતદાનની કામગીરી સંભાળવામાં સામેલ છે. સરકારી લેબ અને હોસ્પિટલના કર્મચારીઓ પણ ફરજ પર રહે છે.

કોની ફરજ સોંપી શકાતી નથી?

જે કર્મચારીઓ સરકારી સંસ્થાઓમાં છે પરંતુ કોન્ટ્રાક્ટ પર છે અથવા દૈનિક વેતન મેળવનારા છે તેમને આ જવાબદારી આપવામાં આવતી નથી. સરકારી કર્મચારીઓને જવાબદારી મળે છે કારણ કે તેઓ સરકારના નિયંત્રણમાં છે. લોકસભાની ચૂંટણી સામાન્ય રીતે 45 થી 90 દિવસ સુધી ચાલી શકે છે. આ સમયગાળા માટે આ સરકારી કર્મચારીઓ ચૂંટણી પંચ માટે પોસ્ટેડ રહે છે. જો પતિ અને પત્ની બંને સરકારી નોકરી કરે છે, તો તેમાંથી કોઈ એક બાળકો અથવા વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવાની ફરજમાંથી મુક્ત થવા વિનંતી કરી શકે છે.

કેટલી સજા થઈ શકે?

જો કોઈ અધિકારી કે કર્મચારી ચૂંટણી માટે તૈનાત થયા પછી નોટિસ આપ્યા વગર ગાયબ થઈ જાય તો તે નોન-કોગ્નિઝેબલ ગુનાની શ્રેણીમાં આવે છે. આવી વ્યક્તિ સામે ચૂંટણી કાયદા (સુધારા) અધિનિયમ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. જો તે દોષિત સાબિત થાય તો તેને 6 મહિનાની જેલ થઈ શકે છે. જોકે તેમાં જામીનની પણ જોગવાઈ છે.

ચૂંટણીમાં ગેરરીતિને અવકાશ ન રહે તે માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે. આ જ કારણ છે કે જો કોઈ અધિકારી તેની ચૂંટણી ફરજમાં રાહત મેળવવા માંગે છે તો તેમણે તેના વરિષ્ઠ અધિકારીઓને કારણ જણાવવું પડશે. મુક્તિ આપવાનો અધિકાર પણ માત્ર જિલ્લા ચૂંટણી અધિકારી પાસે રહેલો છે. તે માન્યતા તપાસ્યા પછી સંમતિ આપે છે.

આ કારણોસર ડ્યુટી રદ થઈ શકે છે

- જો કોઈએ ડ્યુટી સોંપ્યા અગાઉ વિદેશ પ્રવાસનું આયોજન કર્યું હોય, જેની તારીખ ચૂંટણીની તારીખ સાથે ક્લેશ થતી હોય તો ટ્રાવેલ ટિકિટ અને વિઝા જેવા દસ્તાવેજો આપીને ડ્યુટીમાંથી રજા લઇ શકાય છે.

- જો કોઈ વ્યક્તિ હાર્ટ કે અન્ય કોઈ ગંભીર બીમારીથી પીડિત હોય જેના કારણે ચૂંટણી દરમિયાન સમસ્યા ઊભી થઈ શકે તો પણ છૂટ આપી શકાય છે, પરંતુ શરત એ છે કે તમામ દસ્તાવેજો આપવા પડશે.

- ઘણી વખત એક જ કર્મચારી બે જગ્યાએ ફરજ પર હોય છે. આવી સ્થિતિમાં પણ એક જગ્યાએ ફરજ રદ થઈ શકે છે.

- જો કોઈ કર્મચારી રાજકીય પક્ષ સાથે સક્રિય રીતે સંકળાયેલો હોય તો તેની હાજરી ચૂંટણી પર અસર કરી શકે છે. આવી સ્થિતિમાં તે પોતે ફરજ પરથી હટાવવા માટે અરજી કરી શકે છે.

ફરજ પરના અધિકારીઓ કેવી રીતે આપી શકે છે મતદાન?

ધ હિંદુમાં છપાયેલા અહેવાલ મુજબ ચૂંટણી પંચે મતદાન ફરજ પર રોકાયેલા લોકો માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. મતદાન ફરજ પર તૈનાત કર્મચારીઓ બે રીતે પોતાનો મત આપી શકે છે. એક- પોસ્ટલ બેલેટ દ્વારા અને બીજું- ઇલેક્શન ડ્યૂટી સર્ટિફિકેટ(EDC) ની મદદથી. EDC મેળવવા પર તમારે જ્યાં તમારું નામ છે તે મતદાન મથક પર જવું જરૂરી નથી, તેના બદલે તમે તમારા મતવિસ્તારમાં ગમે ત્યાંથી તમારો મત આપી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
Advertisement

વિડિઓઝ

Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત
Lavingji Thakor News: પાટણના રાધનપુર ભાજપના MLA લવિંગજી ઠાકોર સામે ગંભીર આરોપ
MP Mayank Nayak: રાજ્યસભા સાંસદ મયંક નાયકે ખેડૂતો મુદ્દે રાજ્યસભામાં ઉઠાવ્યો અવાજ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
સલમાન અને શાહરૂખ ખાનને આ 27 વર્ષના છોકરાએ ધૂળ ચટાડી દીધી, સૈયારાએ 5 દિવસમાં બોક્સ ઓફિસ પર તોડ્યા આ રેકોર્ડ
સલમાન અને શાહરૂખ ખાનને આ 27 વર્ષના છોકરાએ ધૂળ ચટાડી દીધી, સૈયારાએ 5 દિવસમાં બોક્સ ઓફિસ પર તોડ્યા આ રેકોર્ડ
ભારત સામેની ચોથી ટેસ્ટમાં જો રૂટ ઇતિહાસ રચવા તૈયાર: 7 મોટા રેકોર્ડ તોડવાની નજીક
ભારત સામેની ચોથી ટેસ્ટમાં જો રૂટ ઇતિહાસ રચવા તૈયાર: 7 મોટા રેકોર્ડ તોડવાની નજીક
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
Embed widget