શોધખોળ કરો
દલિતોની ચીમકીઃ 72 કલાકમાં જમીન ફાળવો બાકી નિર્વસ્ત્ર રેલી યોજીશું
1/5

ગામડેથી આવેલી મહિલાઓએ કહ્યું છે કે જમીનની સોંપણીનો કાગળ લીધા વગર પાછા ફરવાના નથી. તેથી અમારૂ અલ્ટીમેટમ છે કે, જો 72 કલાક પૂરા થયા બાદ જમીન નહીં મળે તો મણિપુર રાજયમાં થયું હતું તેમ ભાઇઓ અને બહેનો સરોડાથી અને કલેકટર કચેરીની સામે જ નિર્વસ્ત્ર થઇને રેલી કાઢીશું. ધોળકામાં પણ આ મુદ્દે દેખાવો કરવામાં આવ્યા હતા.
2/5

સંઘના સંયોજક જીજ્ઞેશ મેવાણી અને કૌશિક પરમારે જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓને અમે જણાવ્યું છે કે, જો 72 કલાકમાં જમીન નહીં મળે તો પોલીસ જયાં ઉતારશે ત્યાં ફરીથી રસ્તા રોકો આંદોલન કરીશું. દલિતોને મળેલી જમીન કેમ ફાળવાતી નથી તેનો જવાબ આપવામાં તંત્ર નિષ્ફળ ગયું છે ત્યારે ફક્ત દેખાવો કરીને કાર્યક્રમ પૂર્ણ કરવાનો અર્થ નથી.
Published at : 20 Sep 2016 06:52 AM (IST)
View More




















