શોધખોળ કરો

કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ

દર વર્ષે 13 ઓગસ્ટના રોજ World Organ Donation Day સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે

દર વર્ષે 13 ઓગસ્ટના રોજ World Organ Donation Day સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસ એ નાયકોને સલામ કરવાનો દિવસ છે જેમણે અંગોનું દાન કરીને બીજાઓને જીવનની સૌથી કિંમતી ભેટ આપી છે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ વ્યક્તિના મૃત્યુ પછી પણ તેના અંગો બીજાના શરીરમાં ધબકી શકે છે, શ્વાસ લઈ શકે છે અને જોઈ શકે છે? હા, આ દિવસ આપણને આ ચમત્કાર વિશે જણાવે છે અને અંગદાન જેવા મહાન દાનમાં ભાગ લેવા પ્રેરણા આપે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને અંગદાનના મહત્વથી વાકેફ કરવાનો અને આ સંદર્ભમાં ફેલાયેલી ગેરમાન્યતાઓને દૂર કરવાનો છે.

અંગદાન શા માટે મહત્વપૂર્ણ છે?

અમેરિકાના યુનાઇટેડ નેટવર્ક ફોર ઓર્ગન શેરિંગ (UNOS) અનુસાર, હજારો લોકો જીવન બચાવનાર અંગ પ્રત્યારોપણ માટે રાહ જોવાની યાદીમાં છે પરંતુ ઉપલબ્ધ દાતાઓની સંખ્યા ખૂબ ઓછી છે. દરેક દાતા 8 લોકોના જીવન બચાવી શકે છે અને 75થી વધુ લોકોના જીવનને સુધારી શકે છે. આ જ કારણ છે કે અંગદાનને જીવનની સૌથી મોટી ભેટ કહેવામાં આવે છે.

વિશ્વ અંગદાન દિવસ શા માટે ઉજવવામાં આવે છે?

ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત 20મી સદીથી જોઈ શકાય છે. 1954માં ડૉ. જોસેફ મરેએ પ્રથમ વખત જીવંત દાતા (રોનાલ્ડ લી હેરિક) માંથી એક કિડની તેમના જોડિયા ભાઈને સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરી હતી. આ તે ક્ષણ હતી જેણે પાછળથી હૃદય, લીવર, ફેફસાં અને અન્ય અંગોના પ્રત્યારોપણનો માર્ગ ખોલ્યો. આ ઐતિહાસિક ઘટનાએ અંગ દાનના ક્ષેત્રમાં એક નવી ક્રાંતિ લાવી હતી. આ દિવસ આપણને તબીબી પ્રગતિની યાદ અપાવે છે જેણે હજારો લોકોને નવું જીવન આપ્યું છે.

વર્ષ 2025ની થીમ શું છે?

આ વર્ષે વિશ્વ અંગ દાન દિવસનું સૂત્ર છે - "Answering the Call" એટલે કે અંગ દાન સાથે સંકળાયેલા તમામ પ્રોફેશનલ્સ, ડોકટર્સ, નર્સો અને સંગઠનોએ તેમની પ્રતિબદ્ધતા અને ટીમવર્કને મજબૂત બનાવવું જોઈએ, જેથી વધુને વધુ લોકો નવું જીવન મેળવી શકે. આ થીમ દર્દીઓ અને તેમના પરિવારો માટે આશાનું કિરણ પણ છે.

ભારતમાં અંગદાનનો ઇતિહાસ

ભારતની વાત કરીએ તો દેશનું પ્રથમ સફળ ડિસીસ ડોનર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ 3 ઓગસ્ટ 1994 ના રોજ થયું હતું, જેણે તબીબી જગતમાં એક નવો અધ્યાય ઉમેર્યો હતો. આ જ કારણ છે કે 2023માં ભારત સરકારે રાષ્ટ્રીય અંગદાન દિવસની તારીખ 27 નવેમ્બરથી બદલીને 3 ઓગસ્ટ કરી જેથી આ ઐતિહાસિક ક્ષણને યાદ રાખી શકાય.

અંગદાન સંબંધિત ગેરમાન્યતાઓ

અંગદાન અંગે લોકોના મનમાં હજુ પણ ઘણી માન્યતાઓ અને ભય છે - જેમ કે મૃત્યુ પછી અંગોનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવો અથવા પરિવારને કોઈપણ પ્રકારની મુશ્કેલી ઊભી કરવી. વિશ્વ અંગદાન દિવસનો એક ખાસ હેતુ આ ગેરમાન્યતાઓને દૂર કરવાનો અને સાચી માહિતી આપવાનો છે, જેથી લોકો જાગૃત નિર્ણય લઈ શકે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
ભારતને આ 5 કારણોને લીધે મળી ત્રીજી વનડેમાં હાર,રોહિત-ગિલની નિષ્ફળતા, આ બોલર બન્યો ટીમ ઈન્ડિયા પર બોજ
ભારતને આ 5 કારણોને લીધે મળી ત્રીજી વનડેમાં હાર,રોહિત-ગિલની નિષ્ફળતા, આ બોલર બન્યો ટીમ ઈન્ડિયા પર બોજ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
Embed widget