શોધખોળ કરો

કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ

દર વર્ષે 13 ઓગસ્ટના રોજ World Organ Donation Day સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે

દર વર્ષે 13 ઓગસ્ટના રોજ World Organ Donation Day સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસ એ નાયકોને સલામ કરવાનો દિવસ છે જેમણે અંગોનું દાન કરીને બીજાઓને જીવનની સૌથી કિંમતી ભેટ આપી છે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ વ્યક્તિના મૃત્યુ પછી પણ તેના અંગો બીજાના શરીરમાં ધબકી શકે છે, શ્વાસ લઈ શકે છે અને જોઈ શકે છે? હા, આ દિવસ આપણને આ ચમત્કાર વિશે જણાવે છે અને અંગદાન જેવા મહાન દાનમાં ભાગ લેવા પ્રેરણા આપે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને અંગદાનના મહત્વથી વાકેફ કરવાનો અને આ સંદર્ભમાં ફેલાયેલી ગેરમાન્યતાઓને દૂર કરવાનો છે.

અંગદાન શા માટે મહત્વપૂર્ણ છે?

અમેરિકાના યુનાઇટેડ નેટવર્ક ફોર ઓર્ગન શેરિંગ (UNOS) અનુસાર, હજારો લોકો જીવન બચાવનાર અંગ પ્રત્યારોપણ માટે રાહ જોવાની યાદીમાં છે પરંતુ ઉપલબ્ધ દાતાઓની સંખ્યા ખૂબ ઓછી છે. દરેક દાતા 8 લોકોના જીવન બચાવી શકે છે અને 75થી વધુ લોકોના જીવનને સુધારી શકે છે. આ જ કારણ છે કે અંગદાનને જીવનની સૌથી મોટી ભેટ કહેવામાં આવે છે.

વિશ્વ અંગદાન દિવસ શા માટે ઉજવવામાં આવે છે?

ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત 20મી સદીથી જોઈ શકાય છે. 1954માં ડૉ. જોસેફ મરેએ પ્રથમ વખત જીવંત દાતા (રોનાલ્ડ લી હેરિક) માંથી એક કિડની તેમના જોડિયા ભાઈને સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરી હતી. આ તે ક્ષણ હતી જેણે પાછળથી હૃદય, લીવર, ફેફસાં અને અન્ય અંગોના પ્રત્યારોપણનો માર્ગ ખોલ્યો. આ ઐતિહાસિક ઘટનાએ અંગ દાનના ક્ષેત્રમાં એક નવી ક્રાંતિ લાવી હતી. આ દિવસ આપણને તબીબી પ્રગતિની યાદ અપાવે છે જેણે હજારો લોકોને નવું જીવન આપ્યું છે.

વર્ષ 2025ની થીમ શું છે?

આ વર્ષે વિશ્વ અંગ દાન દિવસનું સૂત્ર છે - "Answering the Call" એટલે કે અંગ દાન સાથે સંકળાયેલા તમામ પ્રોફેશનલ્સ, ડોકટર્સ, નર્સો અને સંગઠનોએ તેમની પ્રતિબદ્ધતા અને ટીમવર્કને મજબૂત બનાવવું જોઈએ, જેથી વધુને વધુ લોકો નવું જીવન મેળવી શકે. આ થીમ દર્દીઓ અને તેમના પરિવારો માટે આશાનું કિરણ પણ છે.

ભારતમાં અંગદાનનો ઇતિહાસ

ભારતની વાત કરીએ તો દેશનું પ્રથમ સફળ ડિસીસ ડોનર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ 3 ઓગસ્ટ 1994 ના રોજ થયું હતું, જેણે તબીબી જગતમાં એક નવો અધ્યાય ઉમેર્યો હતો. આ જ કારણ છે કે 2023માં ભારત સરકારે રાષ્ટ્રીય અંગદાન દિવસની તારીખ 27 નવેમ્બરથી બદલીને 3 ઓગસ્ટ કરી જેથી આ ઐતિહાસિક ક્ષણને યાદ રાખી શકાય.

અંગદાન સંબંધિત ગેરમાન્યતાઓ

અંગદાન અંગે લોકોના મનમાં હજુ પણ ઘણી માન્યતાઓ અને ભય છે - જેમ કે મૃત્યુ પછી અંગોનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવો અથવા પરિવારને કોઈપણ પ્રકારની મુશ્કેલી ઊભી કરવી. વિશ્વ અંગદાન દિવસનો એક ખાસ હેતુ આ ગેરમાન્યતાઓને દૂર કરવાનો અને સાચી માહિતી આપવાનો છે, જેથી લોકો જાગૃત નિર્ણય લઈ શકે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Embed widget