શોધખોળ કરો

Annakut Darshan: શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં ઠાકોરજીને ધરાવાયો ભવ્ય અન્નકૂટ, 1200થી વધુ વાનગીઓનો કરાયો સમાવેશ

હિંદુ ધર્મ પરંપરા અનુસાર દિવાળી બાદ નૂતન વર્ષના પ્રારંભે ઠાકોરજી સમક્ષ વિવિધ વાનગીઓનો અન્નકૂટ રચવામાં આવે છે.

13 નવેમ્બર 2023, અમદાવાદ: હિંદુ ધર્મ પરંપરા અનુસાર દિવાળી બાદ નૂતન વર્ષના પ્રારંભે ઠાકોરજી સમક્ષ વિવિધ વાનગીઓનો અન્નકૂટ રચવામાં આવે છે. સ્વાદ, સુગંધ અને પ્રભુપ્રેમથી તરબોળ અનેકવિધ વાનગીઓનો રસથાળ ભગવાનને ધરાવીને ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી દેશ-વિદેશના તમામ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોમાં અન્નકૂટની ઉજવણીમાં લાખો ભક્તો સામેલ થઈ રહ્યા છે. 

આજે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર શાહીબાગ ખાતે ભક્તિભાવપૂર્વક સંતો-ભક્તોએ ઠાકોરજીને ધરાવેલ 1200થી વધુ વાનગીઓના મનોહર અન્નકૂટના દર્શન કરી સૌએ ખૂબ આનંદ અને શાંતિનો અનુભવ કર્યો હતો.

આ ભવ્ય અન્નકૂટની તૈયારીઓ છેલ્લાં 45 દિવસથી ચાલી રહી હતી. સમગ્ર અન્નકૂટની મંદિરમાં મૂર્તિઓ સમક્ષ ગોઠવણીને કુશળ આર્કિટેક્ટસ્ ના માર્ગદર્શન હેઠળ અત્યંત ઝીણવટપૂર્વક આયોજિત કરવામાં આવી હતી, જેમાં અન્નકૂટમાંની જે તે વાનગીઓને તેઓના પ્રકાર, સંખ્યા અને રંગ અનુસાર વર્ગીકૃત કરી ભગવાન સમક્ષ ગોઠવવામાં આવી હતી.

પૂજ્ય સંતો ઉપરાંત સમગ્ર અમદાવાદમાંથી સેંકડો યુવકો, પુરુષ હરિભક્તોની સાથે સાથે 1500 કરતાં વધુ યુવતીઓ અને મહિલા હરિભક્તો દ્વારા છેલ્લાં એક મહિનામાં નિયમિતરૂપે આ અન્નકૂટને લગતી અનેકવિધ સેવાઓમાં ભક્તિસભર શ્રમદાન કરવામાં આવ્યું હતું.

આશરે દોઢ લાખ જેટલાં અન્નકૂટ પ્રસાદના બૉક્સને જર્મન ટેકનૉલોજી યુક્ત આધુનિક મશીનોના ઉપયોગથી ઑક્સિજન-નાઈટ્રોજન પેકિંગ દ્વારા, હાયજેનિક રીતે તૈયાર કરવામાં આવ્યા હતા.

અન્નકૂટ પ્રસાદનું વિતરણ ભક્તો અને દર્શનાર્થીઓની સાથે શહેરના અનેક મંદિરોમાં તથા અનેક ગરીબ, જરૂરિયાતમંદ લોકોમાં કરવામાં આવશે.

અન્નકૂટની સાથે સાથે ભારતીય સંસ્કૃતિના પારિવારિક, સામાજિક અને આધ્યાત્મિક મૂલ્યોની દૃઢતા કરાવતા સનાતન સંસ્કૃતિ દર્શન પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેનો સૌ અન્નકૂટ દર્શનાર્થીઓએ લાભ લીધો હતો.

આજે ઠાકોરજી સમક્ષ યોજાયેલ આ ભવ્ય અન્નકૂટના દર્શન સવારે 10:30 થી સાંજના 7 વાગ્યા સુધી કરી શકાશે.

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ગુજરાતના ત્રણ જિલ્લામાં બ્લેકઆઉટ: કચ્છ, બનાસકાંઠા, પાટણમાં અંધારપટ, પાકિસ્તાની ડ્રોન દેખાતા….
પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ગુજરાતના ત્રણ જિલ્લામાં બ્લેકઆઉટ: કચ્છ, બનાસકાંઠા, પાટણમાં અંધારપટ, પાકિસ્તાની ડ્રોન દેખાતા….
કોરોનાથી થયેલા મોત અંગે ગુજરાતે સૌથી વધુ ખોટા આંકડા આપ્યાઃ CRS રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો, જાણો 2021માં કેટલા મોત થયા
કોરોનાથી થયેલા મોત અંગે ગુજરાતે સૌથી વધુ ખોટા આંકડા આપ્યાઃ CRS રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો, જાણો 2021માં કેટલા મોત થયા
ઓપરેશન સિંદૂર: જુમ્મા પર પાકિસ્તાનને લઈને મુસ્લિમ સમુદાયનું મોટું નિવેદન, ‘જો આ 10 દિવસ ચાલ્યું તો.....’
ઓપરેશન સિંદૂર: જુમ્મા પર પાકિસ્તાનને લઈને મુસ્લિમ સમુદાયનું મોટું નિવેદન, ‘જો આ 10 દિવસ ચાલ્યું તો.....’
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે વ્યાસપીઠ પરથી મોરારી બાપુનું મોટું નિવેદન – ‘આ હુમલો નથી, વિશ્વ કલ્યાણ માટે....’
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે વ્યાસપીઠ પરથી મોરારી બાપુનું મોટું નિવેદન – ‘આ હુમલો નથી, વિશ્વ કલ્યાણ માટે....’
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : પિક્ચર અભી બાકી હૈ?Hun To Bolish: હું તો બોલીશ : પાકિસ્તાનના ગપગોળાIndia Pakistan News : રાજ્ય સરકાર કરી શકશે આપાત શક્તિઓનો ઉપયોગ, અત્યાર સુધીના સૌથી મોટા સમાચારGujarat Govt Advisory : ડ્રોન ઉડાડવા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ગુજરાતના ત્રણ જિલ્લામાં બ્લેકઆઉટ: કચ્છ, બનાસકાંઠા, પાટણમાં અંધારપટ, પાકિસ્તાની ડ્રોન દેખાતા….
પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ગુજરાતના ત્રણ જિલ્લામાં બ્લેકઆઉટ: કચ્છ, બનાસકાંઠા, પાટણમાં અંધારપટ, પાકિસ્તાની ડ્રોન દેખાતા….
કોરોનાથી થયેલા મોત અંગે ગુજરાતે સૌથી વધુ ખોટા આંકડા આપ્યાઃ CRS રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો, જાણો 2021માં કેટલા મોત થયા
કોરોનાથી થયેલા મોત અંગે ગુજરાતે સૌથી વધુ ખોટા આંકડા આપ્યાઃ CRS રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો, જાણો 2021માં કેટલા મોત થયા
ઓપરેશન સિંદૂર: જુમ્મા પર પાકિસ્તાનને લઈને મુસ્લિમ સમુદાયનું મોટું નિવેદન, ‘જો આ 10 દિવસ ચાલ્યું તો.....’
ઓપરેશન સિંદૂર: જુમ્મા પર પાકિસ્તાનને લઈને મુસ્લિમ સમુદાયનું મોટું નિવેદન, ‘જો આ 10 દિવસ ચાલ્યું તો.....’
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે વ્યાસપીઠ પરથી મોરારી બાપુનું મોટું નિવેદન – ‘આ હુમલો નથી, વિશ્વ કલ્યાણ માટે....’
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે વ્યાસપીઠ પરથી મોરારી બાપુનું મોટું નિવેદન – ‘આ હુમલો નથી, વિશ્વ કલ્યાણ માટે....’
અમૃતસર-પઠાણકોટ-જમ્મુમાં બ્લેકઆઉટ, જમ્મુમાં બ્લાસ્ટના અવાજ, LoC પર PAK આર્મીનો ભારે ગોળીબાર
અમૃતસર-પઠાણકોટ-જમ્મુમાં બ્લેકઆઉટ, જમ્મુમાં બ્લાસ્ટના અવાજ, LoC પર PAK આર્મીનો ભારે ગોળીબાર
પાકિસ્તાને નાગરિક વિમાનોને ઢાલ બનાવી હુમલો કર્યો, કર્નલ સોફિયાએ તસવીર સાથે PAKની પોલ ખોલી
પાકિસ્તાને નાગરિક વિમાનોને ઢાલ બનાવી હુમલો કર્યો, કર્નલ સોફિયાએ તસવીર સાથે PAKની પોલ ખોલી
India Pakistan Tension : 'પાકિસ્તાને  36 ઠેકાણા પર 400 ડ્રોનથી કરી હુમલાની કોશિશ',કર્નલ સોફિયાએ આપી માહિતી 
India Pakistan Tension : 'પાકિસ્તાને  36 ઠેકાણા પર 400 ડ્રોનથી કરી હુમલાની કોશિશ',કર્નલ સોફિયાએ આપી માહિતી 
રાજસ્થાનમાં એલર્ટ, જોધપુરમાં 14 મે સુધી ફ્લાઈટ બંધ, જૈસલમેરમાં 60 કિમી પહેલા ગાડીઓની એન્ટ્રી બંધ
રાજસ્થાનમાં એલર્ટ, જોધપુરમાં 14 મે સુધી ફ્લાઈટ બંધ, જૈસલમેરમાં 60 કિમી પહેલા ગાડીઓની એન્ટ્રી બંધ
Embed widget