શોધખોળ કરો

Rain Forecast: હવામાન વિભાગની મોટી જાહેરાત, આ તારીખ પછી દેશમાંથી ચોમાસુ લગભગ વિદાય લઇ લેશે

હવે દેશભરમાં ચોમાસાની સિઝનને લઇને હવામાન વિભાગે મહત્વની જાહેરાત કરી છે, તેમના અનુસાર, દેશમાંથી ચોમાસાની સંપૂર્ણ વિદાય તારીખ નજીક આવી ગઇ છે

Rain Forecast: દેશભરમાં અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે હવામાન વિભાગે મોટી માહિતી આપી છે. દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચારેયબાજુ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, અને ઠેર ઠેર તબાહીના દ્રશ્યો સર્જાયા છે. ગુજરાતમાં પણ વરસાદે કેર વર્તાવ્યો છે, હવે દેશભરમાં ચોમાસાની સિઝનને લઇને હવામાન વિભાગે મહત્વની જાહેરાત કરી છે, તેમના અનુસાર, દેશમાંથી ચોમાસાની સંપૂર્ણ વિદાય તારીખ નજીક આવી ગઇ છે, એટલે કે ચોમાસુ હવે વિદાય લઇ લેશે. દેશભરમાં આ ચોમાસા સિઝનમાં સામાન્ય વરસાદ કરતા ઓછો વરસાદ પડ્યો છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 25 સપ્ટેમ્બરની આસપાસ દેશમાંથી વિદાય લે તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે. હવામાન વિભાગ અનુસાર, આ મહિનાના અંત સુધીમાં ચોમાસું વિદાય લઇ લેશે.

બે દિવસ સુધી રહેશે વરસાદી માહોલ

રાજ્યમાં આગામી બે દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.  હવામાન વિભાગના મતે સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે.  સુરત ,ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે.  શનિવારે વડોદરા, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.  

રાજ્યમાં સરેરાશ 115.5 ટકા વરસાદ ખાબક્યો 

ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 115.5 ટકા વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 162.53 ટકા વરસાદ વરસ્યો છે.  સૌરાષ્ટ્ર ઝોનમાં 120.57 ટકા અને પૂર્વ મધ્ય ઝોનમાં સરેરાશ 96.40 ટકા વરસાદ વરસ્યો છે.   

સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ

શું નવરાત્રિમાં વરસાદ વરસશે ? જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી

ઓગસ્ટ બાદ  સપ્ટેમ્બરમાં કેટલાક જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદારક એન્ટ્રી કરતા સૂકાઇ રહેલા પાકને જીવતદાન મળી ગયું છે. ઓક્ટોબર મહિનામાં વરસાદની શું સ્થિતિ રહેશે તેને લઇને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 15ઓક્ટોબરની નવરાત્રિ શરૂ થઇ રહી છે. રાજ્યમાં હાલ નવરાત્રિને લઇને તડામાર તૈયારી ચાલી રહી છે. નવરાત્રિ માટે ગરબા ક્લાસિસમાં પણ ખૈલૈયા અવનવા સ્ટેપ સાથે રમવા માટે પ્રેકટિસ કરી રહ્યાં છે. આ સ્થિતિમાં ખૈલેયાને ચિંતા સતાવી રહી છે કે શું નવરાત્રિ સમયે વરસાદ વિઘ્નરૂપ બનશે અંબાલાલે ઓક્ટોબરમાં ખાસ કરીને નવરાત્રિમાં વરસાદની સ્થિતિને લઇને આગાહી કરી છે. હવામાન  નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે,  બંગાળના ઉપસગાર અને અરબસાગરમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાતા 26 સપ્ટેમ્બરથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ શકે છે. ખાસ કરીને 2જી ઓક્ટોબરથી વરસાદનું જોર થોડું વધી શકે છે. જે સ્થિતિ 18 ઓક્ટોબર સુધી રહી શકે છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ નવરાત્રિમાં મધ્યમથી ભારે વરસાદ કેટલાક જિલ્લામાં પડી શકે છે તો આ વર્ષે દિવાળીમાં પણ વરસાદ વિઘ્નરૂપ બની શકે છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
ગ્લૉબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે: નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે 50.386 ગીગાવૉટ ક્ષમતા સાથે ગુજરાત દેશમાં મોખરે
ગ્લૉબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે: નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે 50.386 ગીગાવૉટ ક્ષમતા સાથે ગુજરાત દેશમાં મોખરે
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
વરસાદે વિરામ લીધો છતાં ગુજરાતમાં સ્થિતિ યથાવત: 168 રસ્તા બંધ, 10 ડેમ હાઈ એલર્ટ પર
વરસાદે વિરામ લીધો છતાં ગુજરાતમાં સ્થિતિ યથાવત: 168 રસ્તા બંધ, 10 ડેમ હાઈ એલર્ટ પર

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
Embed widget