શોધખોળ કરો

BSF ભરતીમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 10% અનામત, ગૃહ મંત્રાલયે જાહેરનામું બહાર પાડ્યું

આ માટે, ગૃહ મંત્રાલયે બોર્ડર સિક્યુરિટી ફોર્સ, જનરલ ડ્યુટી કેડર ભરતી નિયમો, 2015 માં સુધારો કર્યો છે, જે ગુરુવાર (9 માર્ચ) થી અમલમાં આવ્યો છે.

Reservation for Ex-Agniveers In BSF: કેન્દ્ર સરકારે BSF માં ખાલી જગ્યાઓમાં ભૂતપૂર્વ અગ્નિવરો માટે 10% અનામતની જાહેરાત કરી છે. આ સાથે અગ્નિવીરોને ઉંમરમાં પણ છૂટ આપવામાં આવશે. જે તમે પ્રથમ બેચનો ભાગ છો કે પછીની બેચમાં જોડાયા છો તેના પર નિર્ભર રહેશે. ગૃહ મંત્રાલયે 6 માર્ચે એક સૂચના દ્વારા આની જાહેરાત કરી છે.

આ માટે, ગૃહ મંત્રાલયે બોર્ડર સિક્યુરિટી ફોર્સ, જનરલ ડ્યુટી કેડર ભરતી નિયમો, 2015 માં સુધારો કર્યો છે, જે ગુરુવાર (9 માર્ચ) થી અમલમાં આવ્યો છે. આ માટે, ગૃહ મંત્રાલયે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF), જનરલ ડ્યુટી કેડર ભરતી નિયમો, 2015 માં સુધારો કર્યો છે, જે ગુરુવાર (9 માર્ચ) થી અમલમાં આવ્યો છે.

ઉંમર છૂટછાટ

ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર, કોન્સ્ટેબલની પોસ્ટ માટે, ભૂતપૂર્વ અગ્નિવીરોની પ્રથમ બેચના ઉમેદવારોને વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટ મળશે જ્યારે ભૂતપૂર્વ અગ્નિવીરોની ત્યારપછીની તમામ બેચના ઉમેદવારોને 3 વર્ષની છૂટ.

શું છે અગ્નિવીર યોજના

14 જૂને કેન્દ્ર સરકારે અગ્નિવીર યોજનાની જાહેરાત કરી હતી, જે અંતર્ગત સેનામાં ભરતી કરવામાં આવશે. જો કે, આ યોજના બાદથી સેનામાં જોડાવાનું સપનું જોતા યુવાનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને તેઓએ દેશમાં અલગ-અલગ જગ્યાએ પ્રદર્શનો કર્યા છે. આટલું જ નહીં, વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ દેશના કેટલાક રાજ્યોમાં ટ્રેનોને આગ લગાવી અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું.

અગ્નિવીર યોજના અંતર્ગત સૈનિકોની ભરતી ચાર વર્ષના ટૂંકા ગાળા માટે કોન્ટ્રાક્ટ આધારે કરવામાં આવશે. આ યોજના હેઠળ આ વર્ષે ત્રણેય સેનામાં લગભગ 46,000 સૈનિકોની ભરતી કરવામાં આવશે. પસંદગી માટે લાયકાતની ઉંમર સાડા 17 વર્ષથી 21 વર્ષની વચ્ચે હશે અને તેમને અગ્નિવીર તરીકે નામ આપવામાં આવશે.

આ નવી સ્કીમથી એક સવાલ એ પણ ઊભો થાય છે કે શું આ નિર્ણય પણ એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે છેલ્લા 2-3 વર્ષથી કોરોનાને કારણે નવી ભરતી કરવામાં આવી રહી ન હતી. આના જવાબમાં ઈસ્ટર્ન કમાન્ડના લેફ્ટનન્ટ જનરલ (L-G) KK Repswal એ ABP સાથેની ખાસ વાતચીતમાં કહ્યું, 'ના, એવું કંઈ નથી, જોકે આપણે જાણીએ છીએ કે છેલ્લા દોઢથી વર્ષોથી કોરોનાને કારણે કોઈ ભરતી નથી. પરંતુ આ નવી યોજના પાછળનું કારણ આ નથી. આ એક નવી પ્રણાલી શરૂ કરવામાં આવી છે અને ત્યારપછી સેનામાં જે પણ ભરતી થશે તે અગ્નિવીર દ્વારા જ કરવામાં આવશે. 

પ્રશ્ન 1 :  નવી યોજના હેઠળ ભરતી કરવામાં આવશે ત્યારે તેઓ જવાન કે અગ્નિવીર કહેવાશે, પરંતુ શું તેઓ ચાર વર્ષ પછી ભૂતપૂર્વ સૈનિકનો દરજ્જો મેળવશે? તેમાં શું ફેરફાર થશે અનેસુવિધાઓમાં શું તફાવત હશે?

જવાબ : અગ્નિપથ યોજના હેઠળ ચાર વર્ષ પછી 25 ટકા લોકો, જેમને અમે ફરીથી રાખીશું, તેઓ એક સૈનિકની જેમ જોડાશે, બાકીના 75 ટકા લોકો જેઓને બહાર કાઢવામાં આવશે, તેમને સૈનિકનો દરજ્જો નહીં મળે, પરંતુ તેમની પાસે ઘણી સુવિધાઓ હશે. જેમાં એક સેનામાં ચાર વર્ષનો અનુભવ હશે અને બીજું તેઓ બહારની સિવિલ સર્વિસમાં કોઈપણ નોકરી માટે પૂરતા સક્ષમ હશે.

પ્રશ્ન 2 : ચાર વર્ષ પછી જ્યારે અગ્નિવીર સેનાનો હિસ્સો નહીં હોય તો દેશની ગોપનીય માહિતી ગુમ થવાનો ખતરો હોઈ શકે છે?

જવાબ- ના, એવું કંઈ નથી, તેઓ જે લેવલ પર ભરતી થયા છે અને જે લેવલ પર તેઓ કામ કરે છે, તેમની પાસે એવી કોઈ ગોપનીય માહિતી નહીં હોય  કે જે પાછળથી સેના માટે કોઈ સમસ્યા ઊભી કરી શકે.

પ્રશ્ન 3 : અગ્નિપથ યોજનામાં આ વર્ષની ભરતી પ્રક્રિયા ક્યારે શરૂ થશે?

જવાબ : આ ભરતી પ્રક્રિયા આગામી ત્રણ મહિનામાં શરૂ થશે. અને અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતી કરવામાં આવશે.

પ્રશ્ન  4 :  દેશની સેવા કરવાનો પ્રયાસ કરી રહેલા યુવાનોને તમે શું સંદેશ આપશો, તેમણે કઈ ત્રણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે તમે પોતે આટલા વર્ષો સેવામાં વિતાવ્યા છે.

જવાબ :  તેમને કોઈ વાત પર શંકા ન કરવી જોઈએ, પહેલી વાત તો એ છે કે નવી સ્કીમ શરૂ થઈ છે, તેમણે મહેનત કરવી જોઈએ. જો તમે ચાર વર્ષ સુધી સખત મહેનત કરો છો, તો તમારી પાસે 25 ટકા તક છે કે સેનામાં જોડાઈ શકો છો. પરંતુ જો તમે 25 ટકામાં પણ રહી શકતા નથી, તો આ ચાર વર્ષની તાલીમ તમને  સક્ષમ બનાવશે કે તમને બહાર કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો નહીં પડે.

પ્રશ્ન 5 : ચાર વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવા અને એ જાણતા હોવા છતાં કે તમારું પૂરું જીવન સેના સાથે જ જોડાયેલું રહેશે, તો સેના પ્રત્યે જે સુરક્ષાનું સ્તર અને આત્મવિશ્વાસનું સ્તર હોય છે, કે કાંઈ પણ થાય સેના અમારું ધ્યાન રાખશે અને યોગ્ય વળતર પણ આપશે, આ વિશે તમે શું કહેશો? 

જવાબ :  અગ્નિવીર છોડ્યા પછી, તે વ્યક્તિને ભૂતપૂર્વ સૈનિકોની કોઈ સુવિધા નહીં મળે પરંતુ તેની પાસે બીજા ઘણા વિકલ્પો છે. જેમ કે જ્યારે કોઈ સૈનિક સેનામાં જોડાય છે ત્યારે તેને છોડવામાં ઘણી મુશ્કેલી પડે છે, પરંતુ આ સ્કીમની અંદર રહેલા ઘણા લોકોને તક મળશે. જેઓ યુવાન છે, તેમને એક તક મળી, જે ચાર વર્ષ સુધી સેવા આપ્યા પછી, તેમની પાસે એક અનુભવ છે, તેનાથી તેમનો આત્મવિશ્વાસ વધશે  અને મને ખાતરી છે કે જો કોઈ બહાર આવીને નોકરી કરવા ઈચ્છે, તો તેને ઘણું બધું મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Hair Fall: ચોમાસામાં વધી જાય છે વાળ ખરવાની સમસ્યા, તેને રોકવા માટે અપનાવો આ ટિપ્સ
Hair Fall: ચોમાસામાં વધી જાય છે વાળ ખરવાની સમસ્યા, તેને રોકવા માટે અપનાવો આ ટિપ્સ
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Embed widget