![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Radhika Merchant Anant Ambani Roka: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના થયા રોકા, સામે આવી સુંદર તસવીર
છેલ્લા કેટલાય મહિનાઓથી આ સગાઇને લઇને કયાસ લગાવવામાં આવી રહ્યાં હતા, જે હવે સાચી સાબિત થઇ છે,
![Radhika Merchant Anant Ambani Roka: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના થયા રોકા, સામે આવી સુંદર તસવીર Anant Ambani Radhika Merchant roka Ceremony at the Shrinathji temple in Nathdwara see First pics Radhika Merchant Anant Ambani Roka: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના થયા રોકા, સામે આવી સુંદર તસવીર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/29/2d399ed683d2e93b8c7e174542641632167231158268677_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Radhika Merchant Anant Ambani Roka: દેશના સૌથી મોટી બિઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે એકવાર ફરીથી શરણાઇ ગુંજવાની છે, અનંત અંબાણીની રોકા સેરેમની રાધિકા મર્ચન્ટ સાથે સંપન્ન થઇ છે. આ બન્નેની પહેલી તસવીર પણ સામે આવી છે, જેમાં અનંત અને રાધિકા બન્ને ખુબ ખુશ દેખાઇ રહ્યાં છે.
છેલ્લા કેટલાય મહિનાઓથી આ સગાઇને લઇને કયાસ લગાવવામાં આવી રહ્યાં હતા, જે હવે સાચી સાબિત થઇ છે, હવે જલદી રાધિક મર્ચન્ટ અંબાણી પરિવારની નાની વહુરાણી બનવાની છે. અનંત અને રાધિકાના રોકા શ્રીનાથજી મંદિરમાં સંપન્ન થયા છે.
અંબાણીના નજીકના પૉલિટિશીયલ અને બિઝનેસમેન પરિમલ નથવાણીએ ટ્વીટર પર આ તસવીર શેર કરી છે. સામે આવેલી તસવીર ખુબ વાયરલ થઇ રહી છે. જલદી જ અંબાણી પરિવાર તેમના લગ્નની તારીખોનું પણ એલાન કરશે.
Heartiest congratulations to dearest Anant and Radhika for their Roka ceremony at the Shrinathji temple in Nathdwara. May Lord Shrinath ji’s blessings be with you always. #AnantAmbani pic.twitter.com/BmgKDFsPYh
— Parimal Nathwani (@mpparimal) December 29, 2022
---
RIL Family Day : મુકેશ અંબાણીએ કરી ભવિષ્યવાણી, 2047માં દુનિયા આખીમાં વાગશે ભારતનો ડંકો
RIL Family Day 2022: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ભારતને લઈને મહત્વની ભવિષ્યવાણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રિલાયન્સ ગ્રુપ વટવૃક્ષની જેમ આગળ વધતું રહેશે અને સમયની સાથે તેની શાખાઓ વધારે વિસ્તરતી રહેશે અને તેના મૂળ ઉંડા ઉતરતા જશે. મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, તેઓ તેમના પિતા અને કંપનીના સ્થાપક ધીરુભાઈ અંબાણીના હંમેશા આભારી રહેશે, જેમણે આ વટવૃક્ષનું બીજ રોપ્યું હતું.
મુકેશ અંબાણીએ કહ્યું હતુંકે, આવનારા 25 વર્ષ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જે દરમિયાન ભારત આર્થિક વિકાસની ઝડપી ગતિ હાંસલ કરશે. તેમણે ભવિષ્યવાણી કરતા કહ્યું હતું કે, ભારત 2047 સુધીમાં 40 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાનું ગૌરવ ચોક્કસપણે હાંસલ કરશે.
મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, દુનિયા 21મી સદીને ભારતની સદી તરીકે જોઈ રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને ભારતનો અમૃતકળ ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, ભારત સમૃદ્ધિ, વિપુલ તકો અને 1.4 અબજ લોકોના જીવનની સરળતા અને ગુણવત્તામાં અકલ્પનીય સુધારાના યુગમાં પ્રવેશ કરશે. ભારતને વૈશ્વિક સ્તરે એક તેજસ્વી સ્થાન તરીકે ગણવામાં આવે છે. અંબાણીએ કહ્યું હતું કે, આગામી પાંચ વર્ષ પછી રિલાયન્સ બાદ 50 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. આગળની યાત્રા માત્ર વધુ રોમાંચક, લાભદાયી અને પડકારજનક બનશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, Jioની 5G સેવાનો વિસ્તાર આકાશ અંબાણીના નેતૃત્વમાં 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. તેમણે Jio ટીમને નંબર વન સ્થાન હાંસલ કરવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, Jio પ્લેટફોર્મ્સને ભવિષ્યમાં મોટી તકો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં યૂનિક ડિજિટલ સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે તૈયાર હોવા જોઈએ. દેશના દરેક ગામમાં 5G સેવા ઉપલબ્ધ થશે જેનાથી શહેરો અને ગામડાઓ વચ્ચેના અંતરને દૂર કરવામાં મદદ કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, કોઈપણ ભારતીય ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉચ્ચ ગુણવત્તાની આરોગ્યસેવા અને ઉચ્ચ ઉત્પાદકતાથી વંચિત નહીં રહે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)