શોધખોળ કરો

CAA માં જિલ્લા સ્તરે બનશે એમ્પાવર્ડ કમિટી, નાગરિકતાને લઇને નિર્ણય લેવાનો અધિકાર

CAA Rules: CAA લાગુ થયા બાદ એક એમ્પાવર્ડ કમિટીની રચના કરવામાં આવશે. જે દરેક જિલ્લામાં કામ કરશે

CAA Rules: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સોમવારે સાંજે નાગરિકતા સંશોધન અધિનિયમનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ સાથે કાયદો સમગ્ર દેશમાં લાગુ થઇ ગયો છે. આ સાથે, 31 ડિસેમ્બર, 2014 સુધી ભારતમાં આવેલા પાડોશી દેશોના લઘુમતીઓ ભારતીય નાગરિકતા લઈ શકશે. એક જાણકારી અનુસાર CAA લાગુ થયા બાદ એક એમ્પાવર્ડ કમિટીની રચના કરવામાં આવશે. જે દરેક જિલ્લામાં કામ કરશે અને સમિતિ જ નક્કી કરશે કે અરજદારને નાગરિકતા આપવી કે નહીં.

એવું કહેવામાં આવી રહ્યું છે કે CAA લાગુ થયા બાદ હવે દરેક જિલ્લામાં એમ્પાવર્ડ કમિટી કામ કરશે. જેમાં કેટલાક નિષ્ણાત સભ્યો હશે અને નાગરિકતા માટે અરજી કરનાર વ્યક્તિએ આ સભ્યો સમક્ષ હાજર થવું પડશે. સરકાર દ્વારા ફોર્મ ઓનલાઈન ભરવાની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્ય સ્તરે પણ સમિતિની રચના કરવામાં આવશે

રાજ્ય સ્તરે ડાયરેક્ટ સેન્સસ આ પ્રક્રિયાનું નેતૃત્વ કરશે. આ સમિતિમાં ઈન્ટેલિજન્સ બ્યુરોના ડેપ્યુટી સેક્રેટરી સ્તરના અધિકારીઓ, FRROના અધિકારીઓ, રાજ્ય માહિતી અધિકારી, રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના પોસ્ટ માસ્ટર જનરલ પણ હશે.

એમ્પાવર્ડ કમિટી રાજ્ય સરકારને રિપોર્ટ સોંપશે

જિલ્લા સ્તરે એક એમ્પાવર્ડ કમિટીની રચના કરવામાં આવશે જે તેનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરશે. અરજદારોની ચકાસણી જિલ્લા સ્તરે કરવામાં આવશે અને તેઓએ ભારતીયતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અંગે ચોક્કસ ફોર્મ ભરવાનું રહેશે. આ સમિતિ નક્કી કરશે કે અરજદારને ભારતીય નાગરિકતા આપવામાં આવે કે નહીં. આ નોટિફિકેશનમાં સૌથી મહત્વની વાત એ છે કે જિલ્લા સ્તરે આ કમિટી પાસે જ એ નક્કી કરવાનો અધિકાર હશે કે અરજદારોને ભારતીય નાગરિકતા આપવી જોઈએ કે નહીં.

સરકારે 2019માં કાયદામાં સુધારો કર્યો હતો

વર્ષ 2019માં કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદામાં સુધારો કર્યો હતો. જેમાં 31 ડિસેમ્બર 2014 પહેલા અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા છ લઘુમતી (હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી)ને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. નિયમો અનુસાર, નાગરિકતા આપવાનો અધિકાર કેન્દ્ર સરકારના હાથમાં રહેશે.                                                               

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Onion Price : ડુંગળીના ભાવે ખેડૂતોને રડાવ્યા, મણે કેટલા છે ભાવ?Paresh Goswami : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની પરેશ ગોસ્વામીની આગાહીJunagadh Crime : ભેસાણમાં ખૂદ પિતાએ દીકરી પર દુષ્કર્મ ગુજારતા ખળભળાટ, પતિની ધરપકડJasdan Hostel : વિદ્યાર્થીઓ સાથે આંબરડીની હોસ્ટેલના ગૃહપતિ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત
UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
Embed widget