શોધખોળ કરો

CAA માં જિલ્લા સ્તરે બનશે એમ્પાવર્ડ કમિટી, નાગરિકતાને લઇને નિર્ણય લેવાનો અધિકાર

CAA Rules: CAA લાગુ થયા બાદ એક એમ્પાવર્ડ કમિટીની રચના કરવામાં આવશે. જે દરેક જિલ્લામાં કામ કરશે

CAA Rules: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સોમવારે સાંજે નાગરિકતા સંશોધન અધિનિયમનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ સાથે કાયદો સમગ્ર દેશમાં લાગુ થઇ ગયો છે. આ સાથે, 31 ડિસેમ્બર, 2014 સુધી ભારતમાં આવેલા પાડોશી દેશોના લઘુમતીઓ ભારતીય નાગરિકતા લઈ શકશે. એક જાણકારી અનુસાર CAA લાગુ થયા બાદ એક એમ્પાવર્ડ કમિટીની રચના કરવામાં આવશે. જે દરેક જિલ્લામાં કામ કરશે અને સમિતિ જ નક્કી કરશે કે અરજદારને નાગરિકતા આપવી કે નહીં.

એવું કહેવામાં આવી રહ્યું છે કે CAA લાગુ થયા બાદ હવે દરેક જિલ્લામાં એમ્પાવર્ડ કમિટી કામ કરશે. જેમાં કેટલાક નિષ્ણાત સભ્યો હશે અને નાગરિકતા માટે અરજી કરનાર વ્યક્તિએ આ સભ્યો સમક્ષ હાજર થવું પડશે. સરકાર દ્વારા ફોર્મ ઓનલાઈન ભરવાની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્ય સ્તરે પણ સમિતિની રચના કરવામાં આવશે

રાજ્ય સ્તરે ડાયરેક્ટ સેન્સસ આ પ્રક્રિયાનું નેતૃત્વ કરશે. આ સમિતિમાં ઈન્ટેલિજન્સ બ્યુરોના ડેપ્યુટી સેક્રેટરી સ્તરના અધિકારીઓ, FRROના અધિકારીઓ, રાજ્ય માહિતી અધિકારી, રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના પોસ્ટ માસ્ટર જનરલ પણ હશે.

એમ્પાવર્ડ કમિટી રાજ્ય સરકારને રિપોર્ટ સોંપશે

જિલ્લા સ્તરે એક એમ્પાવર્ડ કમિટીની રચના કરવામાં આવશે જે તેનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરશે. અરજદારોની ચકાસણી જિલ્લા સ્તરે કરવામાં આવશે અને તેઓએ ભારતીયતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અંગે ચોક્કસ ફોર્મ ભરવાનું રહેશે. આ સમિતિ નક્કી કરશે કે અરજદારને ભારતીય નાગરિકતા આપવામાં આવે કે નહીં. આ નોટિફિકેશનમાં સૌથી મહત્વની વાત એ છે કે જિલ્લા સ્તરે આ કમિટી પાસે જ એ નક્કી કરવાનો અધિકાર હશે કે અરજદારોને ભારતીય નાગરિકતા આપવી જોઈએ કે નહીં.

સરકારે 2019માં કાયદામાં સુધારો કર્યો હતો

વર્ષ 2019માં કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદામાં સુધારો કર્યો હતો. જેમાં 31 ડિસેમ્બર 2014 પહેલા અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા છ લઘુમતી (હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી)ને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. નિયમો અનુસાર, નાગરિકતા આપવાનો અધિકાર કેન્દ્ર સરકારના હાથમાં રહેશે.                                                               

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Local Body Election 2025 : કેટલીક જગ્યાએ EVMમાં સર્જાઇ ખામી, જુઓ અહેવાલBilimora Palika Election Controversy : EVMમાં ખામી સર્જાતા કોંગ્રેસ ઉમેદવારે રિ-વોટિંગની કરી માંગChhotaudepur Palika Election 2025 : છોટાઉદેપુરમાં બસપા-ભાજપના સમર્થકો વચ્ચે બબાલDwarka Election Voting 2025 : સલાયા પાલિકામાં EVMમાં ભાજપનું જ બટન દબાતું હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઘાયલ થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી,આ મેચમાંથી થશે બહાર!
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઘાયલ થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી,આ મેચમાંથી થશે બહાર!
Election: બીલીમોરા ખાતે EVMમાં ગરબડીનો આરોપ, કોંગ્રેસના ઉમેદવારનું બટન ન દબાતું હોવાનો દાવો
Election: બીલીમોરા ખાતે EVMમાં ગરબડીનો આરોપ, કોંગ્રેસના ઉમેદવારનું બટન ન દબાતું હોવાનો દાવો
Health Tips: ગર્ભનિરોધક ગોળી લેવી બની શકે છે જીવલેણ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું વધે જોખમ,રિચર્સમાં થયો મોટો ખુલાસો
Health Tips: ગર્ભનિરોધક ગોળી લેવી બની શકે છે જીવલેણ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું વધે જોખમ,રિચર્સમાં થયો મોટો ખુલાસો
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ  લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.