શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
નીતા અંબાણીએ રિલાયન્સના તમામ કર્મચારીઓ માટે કરી મોટી જાહેરાત, જાણો શું ફાયદો થશે
દેશમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે નીતા અંબાણીએ જાહેરાત કરી છે કે,’રિલાયન્સ કંપનીના કર્મચારીઓ અને તેના પરિવારનો વેક્સિનેશનો ખર્ચ કંપની ઉઠાવશે.
![નીતા અંબાણીએ રિલાયન્સના તમામ કર્મચારીઓ માટે કરી મોટી જાહેરાત, જાણો શું ફાયદો થશે Corona reliance would bear the full cost of the vaccination for the employee and family નીતા અંબાણીએ રિલાયન્સના તમામ કર્મચારીઓ માટે કરી મોટી જાહેરાત, જાણો શું ફાયદો થશે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/05135506/3..jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇ: દેશમાં કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે વેક્સિનેશન શરૂ થઇ ગયું છે. આ સમયે રિલાયન્સન ફાઉન્ડેશનના ચેરપર્સન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીએ મોટી જાહેરાત કરી છે. નીતા અંબાણીએ જાહેરાત કરતા જણાવ્યું કે, રિલાયન્સ કંપનીના તમામ કર્મચારી અને તેના પરિવારનો વેક્સિનેશનનો ખર્ચ રિલાયન્સ કંપની ઉઠાવશે.
નીતા અંબાણીએ કર્મચારીઓને કરી અપીલ
નીતા અંબાણીએ રિલાયન્સના તમામ કર્મચારીને અપીલ કરી છે કે, જે પણ કર્મચારી વેક્સિન લગાવવા ઇચ્છે છે, તેમણે વેક્સિનેશન માટે ઝડપથી રજિસ્ટ્રેશન કરાવવી લેવું જોઇએ. જેથી ઝડપથી આ મહામારીથી છૂટકારો મળે. નીતા અંબાણીએ કહ્યું કે, ‘અત્યાર સુધી આપણે સાવધાની વર્તીને મહામારી સામે લડત આપી હવે આપણે આ લડતના અંતિમ તબક્કામાં પહોંચી ગયા છીએ અને આપણે જીતીશું. મેં અને મુકેશ અંબાણીએ નક્કી કર્યું છે કે, રિલાયન્સના તમામ કર્મચારીઓને અને તેના પરિવાનો વેક્સિનેશનનો ખર્ચ કંપની ઉઠાવશે’
ઇન્ફોસિસ- એક્સેંચર કરી ચૂકી છે જાહેરાત
દેશની સૌથી મોટી ઇન્ફર્મેશન ટેકનોલોજી કંપની ઇન્ફોસિસ અને ટેકનોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની એક્સેંચર પણ કર્મચારીઓને ફ્રી વેક્સિન આપવાની જાહેરાત કરી ચૂકી છે. ઇન્ફોસિસ તેમના કર્મચારીઓ અને તેમના પરિવારનો વેકસિનેશનનો ખર્ચ ઉઠાવશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)