શોધખોળ કરો
Advertisement
Coronavirus: દેશમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું, દોઢ મહિના પછી આટલા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,10,46,914 છે. જ્યારે 1,07,38,501 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના સંક્રમણમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 16,738 નવા કોરોના કેસ આવ્યા છે અને 138 લોકોના મોત થયા છે. અમુક રાજ્યોમાં કોરોનાથી એક પણ મોત થયું નથી.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,10,46,914 છે. જ્યારે 1,07,38,501 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,56,705 પર પહોંચ્યો છે. હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1,51,708 છે. દેશમા અત્યાર સુધીમાં કુલ 1,26,71,163 લોકોને રસી આપવામાં આવી ચુકી છે.
મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ બેકાબૂ બન્યું છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 8 હજાર 807 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 80 દર્દીના મૃત્યુ નિપજ્યા છે. 129 દિવસ બાદ મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 8 હજારથી વધુ કેસ નોંધાયા હતા.
પહેલી માર્ચથી રસીકરણનો બીજો તબક્કો શરૂ થવા જઇ રહ્યો છે. જેમાં 60 વર્ષથી વધુ વયનાને આવરી લેવામાં આવશે. સાથે જ જેમને બિમારી હોય અને ૪૫ વર્ષ કે તેથી વધુ વયના હોય તેમને પણ પહેલી માર્ચથી રસી આપવાનું શરૂ કરી દેવામાં આવશે. બીજા તબક્કામાં ૧૦ હજાર સરકારી કેન્દ્રો પર જ્યારે ૨૦ હજાર ખાનગી કેન્દ્રો પર આ રસી આપવામાં આવશે. જો કે ખાનગી કેન્દ્રો પર રસી આપવાનો શું ચાર્જ લેવામાં આવશે તેની સ્પષ્ટતા ટૂંક સમયમાં કરવામાં આવશે. આ માહિતી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આપી છે.
કોરોના કાળમાં ક્રિકેટના મેદાન પર આટલી મોટી સંખ્યામાં જોવા મળ્યા પ્રશંકો, જુઓ વિશ્વના સૌથી મોટા Narendra Modi Stadium ની તસવીરો
દેશના આ જાણીતા રાજ્યમાં નર્સરીથી 8મા ધોરણ સુધીના તમામ વિદ્યાર્થીઓને અપાશે પ્રમોશન, શિક્ષણ વિભાગે લીધો નિર્ણય
મોટેરા સ્ટેડિયમનું નામ બદલવાને લઈ કેન્દ્રીય રમત ગમત મંત્રીએ શું કરવો પડ્યો ખુલાસો, જાણો વિગત
IND Vs ENG 3rd Test: ઈંગ્લેન્ડ નામે નોંધાયો શરમજનક રેકોર્ડ
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
દુનિયા
દુનિયા
Advertisement