શોધખોળ કરો

Mundka Fire: મુંડકા પહોંચ્યા મુખ્યમંત્રી કેજરીવાલ, મૃતકોના પરિવારજનોને 10 લાખના વળતરની જાહેરાત

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આ મામલે જે પણ દોષિત હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, કોઈને પણ છોડવામાં આવશે નહીં.

Mundka Fire: દિલ્હીના મુંડકામાં મેટ્રો સ્ટેશન નજીક એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં 27 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઘટના સ્થળની મુલાકાત લઇને ઘટના અંગેની જાણકારી મેળવી હતી. દરમિયાન મીડિયા સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે, તેમજ તમામ ઘાયલોને 50-50 હજાર રૂપિયાની સહાય અપાશે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આ મામલે જે પણ દોષિત હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, કોઈને પણ છોડવામાં આવશે નહીં.

એક રિપોર્ટ અનુસાર, બિલ્ડિંગ ચાર માળની છે જેનો ઉપયોગ કંપનીઓને ઓફિસ સ્પેસ આપવા માટે કોમર્શિયલ રીતે કરવામાં આવતો હતો. આગ બાદ પોલીસે કાર્યવાહી કરી ફેક્ટરીના બંન્ને પુત્રોની ધરપકડ કરી હતી.

મૃતકોમાંથી 25ની ઓળખ થઈ શકી નથી- DCP

માહિતી આપતા ડીસીપી સમીર શર્માએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયાની પુષ્ટી થઈ છે. જેમાં 2 લોકોની ઓળખ કરવામાં આવી છે. જ્યારે 28 લોકો ઘાયલ થયા છે. આ સિવાય કંપનીના માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે. જોકે, બિલ્ડિંગનો માલિક હજુ ફરાર છે. એનઓસીના પ્રશ્ન પર ડીસીપીએ કહ્યું કે હાલમાં તપાસ ચાલી રહી છે.

મુંડકામાં આગની ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ માટે હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક તૈયાર કરવામાં આવ્યું છે. નાગરિક સુરક્ષા અધિકારી એસપી તોમરે જણાવ્યું હતું કે આ હેલ્પ ડેસ્ક એવા લોકોને મદદ કરવા માટે છે જેમના સંબંધીઓ લાપતા અથવા ઘાયલ છે જેથી તેઓ સાચી માહિતી મેળવી શકે. તેમણે કહ્યું હતું કે, અમને ગુમ થયાની 29 ફરિયાદો મળી છે. અમે ફરિયાદીઓ પાસેથી માહિતી મેળવી રહ્યા છીએ. અમે DM પશ્ચિમ તરફથી હેલ્પલાઇન નંબર મૂક્યો છે. અમને કોઈ માહિતી મળશે કે તરત જ તેમને જાણ કરવામાં આવશે.

આ ઘટનામાં અત્યાર સુધીમાં 27 લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને હજુ પણ ઘણા લોકો લાપતા છે. પોલીસ દ્ધારા આ સમગ્ર મામલામાં આઈપીસી 304, 308, 120 હેઠળ FIR નોંધવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: અમદાવાદમાં 147મી રથયાત્રા, અમિત શાહે કર્યા મંગળા દર્શન
Rathyatra 2024 Live: અમદાવાદમાં 147મી રથયાત્રા, અમિત શાહે કર્યા મંગળા દર્શન
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: અમદાવાદમાં 147મી રથયાત્રા, અમિત શાહે કર્યા મંગળા દર્શન
Rathyatra 2024 Live: અમદાવાદમાં 147મી રથયાત્રા, અમિત શાહે કર્યા મંગળા દર્શન
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
Embed widget