ideas of india summit 2025: ભારતમાં મેન્ટલ હેલ્થ વિશે લોકો કેટલા જાગૃત, ડૉ. પ્રતિમા મૂર્તિએ જણાવ્યું કે શું છે જરૂરી
એબીપીની ખાસ 'આઈડિયાઝ ઑફ ઈન્ડિયા સમિટ'ના મંચ પર ડૉ. પ્રતિમા મૂર્તિ હાજર છે. જેમ તમે જાણો છો, ડૉ. પ્રતિમાને માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રમાં લગભગ 30 વર્ષનો અનુભવ છે.

Ideas Of India Summit 2025: એબીપીની ખાસ 'આઈડિયાઝ ઑફ ઈન્ડિયા સમિટ'ના મંચ પર ડૉ. પ્રતિમા મૂર્તિ હાજર છે. જેમ તમે જાણો છો, ડૉ. પ્રતિમાને માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રમાં લગભગ 30 વર્ષનો અનુભવ છે અને તેમના નામે અસાધારણ સિદ્ધિઓ પણ છે. ડૉ. પ્રતિમાએ જણાવ્યું કે આપણા દેશમાં દર 10માંથી 1 વ્યક્તિ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યો છે.
એબીપીની ખાસ 'આઈડિયાઝ ઑફ ઈન્ડિયા સમિટ'માં ડૉક્ટરે કહ્યું કે જો માનસિક સ્વાસ્થ્યની સ્થિતિને વૈશ્વિક લેવલ પર જોવામાં આવે, તો 5માંથી 1 વ્યક્તિ મેન્ટલ ડિસઓર્ડરનો શિકાર છે. આવી સ્થિતિમાં લોકોને માનસિક વિકૃતિઓ વિશે જાગૃત કરવા સૌથી જરૂરી છે. એવા ઘણા લોકો છે જેઓ માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે કેટલાક લોકો આખી જીંદગી માનસિક બિમારી સાથે સંઘર્ષ કરે છે, જ્યારે કેટલાક એવા હોય છે જે થોડા સમય માટે પીડાય છે અને પછી થોડા સમય પછી ડૉક્ટરની મદદથી તેઓ સ્વસ્થ થઈ જાય છે.
માનસિક સ્વાસ્થ્યને કારણે સમય પહેલા મૃત્યુ થાય છે
જે લોકો માનસિક બીમારીનો શિકાર બને છે સૌથી જરુરી છે કે સમયસર તેમને સહાયતા પૂરી પાડવામાં આવે. જો કોઈ વ્યક્તિ શારીરિક રીતે અથવા કોઈપણ પ્રકારની ક્રોનિક ડિસઓર્ડર સાથે સંઘર્ષ કરી રહી હોય તો આવા લોકો મેન્ટલ ડિસઓર્ડર થઈ શકે છે. આ કારણે, લોકો તેમની ઉંમરના 10-15 વર્ષ પહેલા મૃત્યુ પામે છે.
ડિમેંશિયાનો શિકાર થવા પર કરવામાં આવે છે આ ટેસ્ટ
હ્યુમન બ્રેનને સમજવું ખૂબ જ મુશ્કેલ છે. બ્રેન ઇમેજિંગ દ્વારા તે તપાસવામાં આવે છે કે બ્રેનની કઈ નસો એક્ટિવ છે અને કઈ સક્રિય નથી. જ્યારે કોઈ વ્યક્તિ ડિમેંશિયાનો શિકાર હોય છે, ત્યારે અમે તેના મગજના નસોનો ખાસ ટેસ્ટ દ્વારા ચેક કરીએ છીએ.
દર વર્ષની જેમ આ વર્ષે પણ એબીપી નેટવર્ક દ્વારા આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં, વિવિધ ક્ષેત્રોના દિગ્ગજોને ABP પ્લેટફોર્મ પર એકસાથે લાવવામાં આવશે.
આ વર્ષના સમિટનો વિષય Humanity’s Next Frontier છે. આમાં, વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને બૌદ્ધિકોને ABP ના પ્લેટફોર્મ પર એકસાથે લાવવામાં આવશે, જ્યાં વિશ્વ વ્યવસ્થામાં ભારતની ભૂમિકાની ચર્ચા કરવામાં આવશે. તે એક દૂરંદેશી રોડમેપની રૂપરેખા પણ આપશે, જેમાં મુખ્ય ક્ષેત્રોના વક્તાઓ અને નેતાઓ તેમના મંતવ્યો શેર કરશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
