શોધખોળ કરો

Jammu Bus Accident: 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી શ્રદ્ધાળુઓ ભરેલી બસ, 21 લોકોના દર્દનાક મોત 

જમ્મુ-કાશ્મીરમાં એક મોટો રોડ અકસ્માત થયો છે. ગુરુવારે જમ્મુ જિલ્લામાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ રસ્તા પરથી 150 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી.

Jammu Road Accident News:  જમ્મુ-કાશ્મીરમાં એક મોટો રોડ અકસ્માત થયો છે. ગુરુવારે જમ્મુ જિલ્લામાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ રસ્તા પરથી 150 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 21 થયો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે. પોલીસે જણાવ્યું કે આ અકસ્માતમાં 21 લોકો ઘાયલ થયા છે.

અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માત ચોકી ચોરાના તંગલી વળાંક પર થયો હતો. અધિકારીએ જણાવ્યું કે બસ લગભગ 150 ફૂટ ઊંડી ખીણમાં  ખાબકી હતી. મળતી માહિતી મુજબ, આ બસ હરિયાણાના કુરુક્ષેત્ર વિસ્તારથી તીર્થયાત્રીઓને શિવ ખોરી વિસ્તાર લઈ જઈ રહી હતી.

કદાચ ડ્રાઈવર ઊંઘી ગયો હતો - ટ્રાન્સપોર્ટ કમિશનર
રાજિન્દર સિંહ તારાએ કહ્યું, "બસ શિવ ખોરી તરફ જઈ રહી હતી. અહીંનો વળાંક એકદમ સામાન્ય છે. અહીં કોઈ સમસ્યા ન હોવી જોઈતી હતી પરંતુ કદાચ ડ્રાઈવર ઊંઘી ગયો હતો. વળાંક લેવાને બદલે બસ સીધી ગઈ અને પછી નીચે પડી ગઈ." "

આર્મીની ક્વિક રિએક્શન મેડિકલ ટીમ તૈનાત

બસમાં 50 જેટલા મુસાફરો સવાર હતા. આ અકસ્માત અખનૂર શહેરથી લગભગ 15 કિલોમીટર દૂર થયો હતો, જ્યારે બસ અચાનક રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં પડી હતી. ભારતીય સેનાએ ક્વિક રિએક્શન મેડિકલ ટીમ તૈનાત કરી છે. તેઓ બચાવ કાર્યમાં પ્રશાસનને મદદ કરી રહ્યા છે. ઈજાગ્રસ્તોને અકસ્માત સ્થળેથી બહાર કાઢવામાં આવી રહ્યા છે અને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.

રાષ્ટ્રપતિએ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુર્ઘટના પર કહ્યું, "જમ્મુના અખનૂર પાસે બસ દુર્ઘટના વિશે સાંભળીને ખૂબ દુઃખ થયું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું."

લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું- આ એક હૃદયદ્રાવક ઘટના છે

લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. લેફ્ટનન્ટ ગવર્નરના કાર્યાલયે કહ્યું, "જમ્મુના અખનૂરમાં થયેલ બસ દુર્ઘટના હૃદયદ્રાવક છે. હું આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ આ ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટને સહન કરવાની શક્તિ આપે." 

પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, “અખનૂરથી દુઃખદ સમાચાર આવી રહ્યા છે, જ્યાં એક દુ:ખદ બસ અકસ્માતમાં ઘણા લોકોના મોત થયા છે. તેમના પરિવારો અને પ્રિયજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરુ છું.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
Fake Cream By Tissue Paper: ટિશ્યૂ પેપરથી બનાવાઈ રહી છે નકલી મલાઈ? વાયરલ વીડિયો જોઈ ચોંકી જશો
Fake Cream By Tissue Paper: ટિશ્યૂ પેપરથી બનાવાઈ રહી છે નકલી મલાઈ? વાયરલ વીડિયો જોઈ ચોંકી જશો
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસશે વરસાદ
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસશે વરસાદ
PM મોદીએ સુપ્રસિદ્ધ ગાયિકા જાનકીના નિધન પર આપી શ્રદ્ધાંજલિ, કહ્યું, સંગીત જગત માટે અપૂર્તિય ક્ષતિ
PM મોદીએ સુપ્રસિદ્ધ ગાયિકા જાનકીના નિધન પર આપી શ્રદ્ધાંજલિ, કહ્યું, સંગીત જગત માટે અપૂર્તિય ક્ષતિ

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2026 : ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરું
Amit Shah : અમિત શાહે કહ્યું, કેમ કોઈએ ના પણ નહીં અને હા પણ નહીં...
Chinna Cyclone : ચીનમાં ત્રાટક્યું બાવી વાવાઝોડું
Strait Of Hormuz : હોર્મુઝ ફરી બંધ થતાં ભારતની વધશે મુશ્કેલી?
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, તૂટી પડશે જોરદાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
Saffron Cultivation Tips: કાશ્મીર જ નહીં તમારા ખેતરમાં પણ થઈ શકે છે કેસરની ખેતી, જાણી લો રીત
Saffron Cultivation Tips: કાશ્મીર જ નહીં તમારા ખેતરમાં પણ થઈ શકે છે કેસરની ખેતી, જાણી લો રીત
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
Embed widget