શોધખોળ કરો

Musharraf-Vajpayee : વાજપેયીએ બનાવડાવી ખાસ વાનગી જેને મુશર્રફે ખાવાનો કર્યો ઈનકાર અને...

જોકે, મંત્રણા નિષ્ફળ રહી હતી. તે આજે પણ આ સ્વરૂપે યાદ કરવામાં આવે છે. આ સમિટ દરમિયાન તાજમહેલ જોવા અને મુશર્રફની પત્ની સાથે ભોજનને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું લાંબી માંદગી બાદ રવિવારે દુબઈમાં અવસાન થયું. તેઓ 79 વર્ષના હતા. પરિવારજનોએ માહિતી આપી હતી કે તેઓ એમાયલોઇડિસ નામની બીમારીથી પીડિત હતા. તેમના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. પરવેઝ મુશર્રફ 2001 થી 2008 સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા. અગાઉ તેઓ પાકિસ્તાનના આર્મી ચીફ હતા. તેમણે નવાઝ શરીફની ગાદી ઉથલાવીને પાકિસ્તાનની ગાદી કબજે કરી હતી. ભારત સાથેના કારગિલ યુદ્ધમાં પરવેઝ મુશર્રફની ભૂમિકા મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષ 1999માં કારગીલમાં ભારત અને પાકિસ્તાનની સેના સામસામે આવી ગઈ હતી. યુદ્ધના માત્ર 2 વર્ષમાં જ ભારત અને પાકિસ્તાનના શાસકો સામ-સામે હતા. સમિટ આગ્રામાં યોજાઈ હતી. તત્કાલિન ભારતીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ વચ્ચેની વાતચીત તે સમયે વૈશ્વિક મીડિયામાં ચર્ચાનો વિષય બની હતી. 

જોકે, મંત્રણા નિષ્ફળ રહી હતી. તે આજે પણ આ સ્વરૂપે યાદ કરવામાં આવે છે. આ સમિટ દરમિયાન તાજમહેલ જોવા અને મુશર્રફની પત્ની સાથે ભોજનને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. ત્યારે અટલજીએ પાકિસ્તાની રાષ્ટ્રપતિના સન્માનમાં ડિનર આપ્યું હતું. જેમાં પાકિસ્તાની રાષ્ટ્રપતિ હલાલ-ઝટકા માંસને લઈને માંસાહારી વાનગીઓનો સ્વાદ લેવાનું ટાળતા જોવા મળ્યા હતા. તે કહાની ભોજન બનાવતા રસોઇયા દ્વારા વર્ણવવામાં આવી હતી.

તત્કાળ રસોયાને લગાવ્યો ફોન અને...

પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની મુલાકાત દરમિયાન અટલ બિહારી વાજપેયીએ ડિનરનું આયોજન કર્યું હતું. આ માટે તાજ હોટલના ડાયરેક્ટર શેફ હેમંત ઓબેરોયને ખાસ મુંબઈથી બોલાવવામાં આવ્યા હતા. તમામ વાનગીઓ તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી હતી. વાજપેયી પોતે હેમંત ઓબેરોયના ભોજનના ચાહક હતા. આ પ્રસંગે હેમંત ઓબેરોયે સિકંદરી રાન, બિરયાની અને મલાઈ કોફ્તા જેવી વાનગીઓ બનાવી હતી. રાત્રિભોજન શરૂ થયું. મુશર્રફ ડિનર ટેબલ પર આવ્યા. પરંતુ તેમણે શાકાહારી ખાવાનું પસંદ કર્યું. અટલજીએ આ વાતની નોંધ લીધી. તેમણે જોયું કે, બંને એક જ ટેબલ પર જમતા હતા. તેમણે મુશર્રફને પૂછ્યું કે, તે શાકાહારી ખોરાક કેમ ખાય છે? તો મુશર્રફે તેના જવાબમાં કહ્યું હતું કે, કદાચ આ હલાલ મીટ નથી. અટલે તરત જ હેમંત ઓબેરોયને ફોન કર્યો અને જાણકારી મેળવવામાં આવી. હેમંત ઓબેરોયે તેમને કહ્યું હતું કે, તે માંસ હલાલ છે. ત્યાર બાદ મુશર્રફે સ્વાદિષ્ટ માંસાહારી વાનગીઓનો ઘણો સ્વાદ ચાખ્યો હતો. હેમંત ઓબેરોયે આ સંસ્મરણો ઘણી જગ્યાએ સંભળાવ્યા છે.

કારગિલ યુદ્ધ આજે પણ બે કારણોસર યાદ કરવામાં આવે છે. આ યુદ્ધ ભારતીય સૈન્યની બહાદુરી માટે અને બીજું પરવેઝ મુશર્રફની કુટેવ માટે જાણીતું છે. પરવેઝ મુશર્રફે પોતાની રાજકીય મહત્વાકાંક્ષા માટે કારગીલમાં યુદ્ધ છેડ્યું હતું. પાકિસ્તાનના આર્મી ચીફ તરીકે તેમણે આ નિર્ણય લીધો હતો. પરવેઝ મુશર્રફે પોતાની આત્મકથા 'ઈન ધ લાઈન ઓફ ફાયર'માં લખ્યું છે કે, કારગિલ યુદ્ધમાં પાકિસ્તાની સેના સામેલ હતી. આ પહેલા પાકિસ્તાને હંમેશા કારગિલ યુદ્ધમાં પોતાની સેનાની સંડોવણીનો ઈન્કાર કર્યો હતો. જો કે, મુશર્રફે પોતાના પુસ્તકમાં હારની શરમથી બચવા માટે આખે આખી જવાબદારી તત્કાલિન પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફ પર નાખી દીધી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, નવાઝ શરીફે પાકિસ્તાની સેના પર કારગિલ યુદ્ધમાંથી હટી જવા માટે દબાણ કર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બેંગલુરુ એરપોર્ટ પર મોટી દૂર્ઘટના ટળી, રનવે સાથે ટકરાયુ એર ઇન્ડિયાનું નિમાન, 179 યાત્રીઓ હતા સવાર
બેંગલુરુ એરપોર્ટ પર મોટી દૂર્ઘટના ટળી, રનવે સાથે ટકરાયુ એર ઇન્ડિયાનું નિમાન, 179 યાત્રીઓ હતા સવાર
DA Hike: આ રાજ્ય સરકારના કર્મચારીઓને લાગી લોટરી! મોંઘવારી ભથ્થું વધી થયું 60%,જાણો કેટલો વધશે પગાર
DA Hike: આ રાજ્ય સરકારના કર્મચારીઓને લાગી લોટરી! મોંઘવારી ભથ્થું વધી થયું 60%,જાણો કેટલો વધશે પગાર
Rain Alert: આગામી ત્રણ દિવસ દેશના આ રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: આગામી ત્રણ દિવસ દેશના આ રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ 
India Heatwave 2026: આ વર્ષે ગરમી ધરતીને બનાવશે અગન ભઠ્ઠી? જાણો સુપર અલનીનોની કેવી થશે અસર
India Heatwave 2026: આ વર્ષે ગરમી ધરતીને બનાવશે અગન ભઠ્ઠી? જાણો સુપર અલનીનોની કેવી થશે અસર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અસરકારક અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સોશિયલ મીડિયાના દાનવ!
Hun To Bolish : હું તો બોલીશ : પ્રજાની પાઈ પાઈનો હિસાબ
Gujarat Hit wave : ગુજરાતના લોકોને હજુ નહીં મળે કાળઝાળ ગરમીથી રાહત
Vadodara News : બહારનું ખાતા પહેલા સાવધાન! સમોસામાંથી નીકળી જીવાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આકરા તાપ વચ્ચે રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે 
Gujarat Rain: આકરા તાપ વચ્ચે રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે 
8th Pay Commission: સરકારી કર્મચારીઓને બખ્ખા! ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધશે પગાર, જાણો પગારના 7 અપડેટ 
8th Pay Commission: સરકારી કર્મચારીઓને બખ્ખા! ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધશે પગાર, જાણો પગારના 7 અપડેટ 
પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ હમઝા બુરહાન POK માં ઠાર, અજાણ્યા લોકોએ મારી ગોળી
પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ હમઝા બુરહાન POK માં ઠાર, અજાણ્યા લોકોએ મારી ગોળી
Rain Alert: આગામી ત્રણ દિવસ દેશના આ રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: આગામી ત્રણ દિવસ દેશના આ રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ 
DA Hike: આ રાજ્ય સરકારના કર્મચારીઓને લાગી લોટરી! મોંઘવારી ભથ્થું વધી થયું 60%,જાણો કેટલો વધશે પગાર
DA Hike: આ રાજ્ય સરકારના કર્મચારીઓને લાગી લોટરી! મોંઘવારી ભથ્થું વધી થયું 60%,જાણો કેટલો વધશે પગાર
'કૉકરોચ જનતા પાર્ટી' પર મોટી કાર્યવાહી, ભારતમાં બંધ થયું'X' એકાઉન્ટ 
'કૉકરોચ જનતા પાર્ટી' પર મોટી કાર્યવાહી, ભારતમાં બંધ થયું'X' એકાઉન્ટ 
બેંગલુરુ એરપોર્ટ પર મોટી દૂર્ઘટના ટળી, રનવે સાથે ટકરાયુ એર ઇન્ડિયાનું નિમાન, 179 યાત્રીઓ હતા સવાર
બેંગલુરુ એરપોર્ટ પર મોટી દૂર્ઘટના ટળી, રનવે સાથે ટકરાયુ એર ઇન્ડિયાનું નિમાન, 179 યાત્રીઓ હતા સવાર
અમેરિકા-ઈરાન કરારને અંતિમ સ્વરૂપ આપવાની નજીક, અસીમ મુનીર ટૂંક સમયમાં તેહરાનની લેશે મુલાકાત, ટ્રમ્પનું મોટું નિવેદન
અમેરિકા-ઈરાન કરારને અંતિમ સ્વરૂપ આપવાની નજીક, અસીમ મુનીર ટૂંક સમયમાં તેહરાનની લેશે મુલાકાત, ટ્રમ્પનું મોટું નિવેદન
Embed widget