શોધખોળ કરો

Musharraf-Vajpayee : વાજપેયીએ બનાવડાવી ખાસ વાનગી જેને મુશર્રફે ખાવાનો કર્યો ઈનકાર અને...

જોકે, મંત્રણા નિષ્ફળ રહી હતી. તે આજે પણ આ સ્વરૂપે યાદ કરવામાં આવે છે. આ સમિટ દરમિયાન તાજમહેલ જોવા અને મુશર્રફની પત્ની સાથે ભોજનને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું લાંબી માંદગી બાદ રવિવારે દુબઈમાં અવસાન થયું. તેઓ 79 વર્ષના હતા. પરિવારજનોએ માહિતી આપી હતી કે તેઓ એમાયલોઇડિસ નામની બીમારીથી પીડિત હતા. તેમના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. પરવેઝ મુશર્રફ 2001 થી 2008 સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા. અગાઉ તેઓ પાકિસ્તાનના આર્મી ચીફ હતા. તેમણે નવાઝ શરીફની ગાદી ઉથલાવીને પાકિસ્તાનની ગાદી કબજે કરી હતી. ભારત સાથેના કારગિલ યુદ્ધમાં પરવેઝ મુશર્રફની ભૂમિકા મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષ 1999માં કારગીલમાં ભારત અને પાકિસ્તાનની સેના સામસામે આવી ગઈ હતી. યુદ્ધના માત્ર 2 વર્ષમાં જ ભારત અને પાકિસ્તાનના શાસકો સામ-સામે હતા. સમિટ આગ્રામાં યોજાઈ હતી. તત્કાલિન ભારતીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ વચ્ચેની વાતચીત તે સમયે વૈશ્વિક મીડિયામાં ચર્ચાનો વિષય બની હતી. 

જોકે, મંત્રણા નિષ્ફળ રહી હતી. તે આજે પણ આ સ્વરૂપે યાદ કરવામાં આવે છે. આ સમિટ દરમિયાન તાજમહેલ જોવા અને મુશર્રફની પત્ની સાથે ભોજનને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. ત્યારે અટલજીએ પાકિસ્તાની રાષ્ટ્રપતિના સન્માનમાં ડિનર આપ્યું હતું. જેમાં પાકિસ્તાની રાષ્ટ્રપતિ હલાલ-ઝટકા માંસને લઈને માંસાહારી વાનગીઓનો સ્વાદ લેવાનું ટાળતા જોવા મળ્યા હતા. તે કહાની ભોજન બનાવતા રસોઇયા દ્વારા વર્ણવવામાં આવી હતી.

તત્કાળ રસોયાને લગાવ્યો ફોન અને...

પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની મુલાકાત દરમિયાન અટલ બિહારી વાજપેયીએ ડિનરનું આયોજન કર્યું હતું. આ માટે તાજ હોટલના ડાયરેક્ટર શેફ હેમંત ઓબેરોયને ખાસ મુંબઈથી બોલાવવામાં આવ્યા હતા. તમામ વાનગીઓ તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી હતી. વાજપેયી પોતે હેમંત ઓબેરોયના ભોજનના ચાહક હતા. આ પ્રસંગે હેમંત ઓબેરોયે સિકંદરી રાન, બિરયાની અને મલાઈ કોફ્તા જેવી વાનગીઓ બનાવી હતી. રાત્રિભોજન શરૂ થયું. મુશર્રફ ડિનર ટેબલ પર આવ્યા. પરંતુ તેમણે શાકાહારી ખાવાનું પસંદ કર્યું. અટલજીએ આ વાતની નોંધ લીધી. તેમણે જોયું કે, બંને એક જ ટેબલ પર જમતા હતા. તેમણે મુશર્રફને પૂછ્યું કે, તે શાકાહારી ખોરાક કેમ ખાય છે? તો મુશર્રફે તેના જવાબમાં કહ્યું હતું કે, કદાચ આ હલાલ મીટ નથી. અટલે તરત જ હેમંત ઓબેરોયને ફોન કર્યો અને જાણકારી મેળવવામાં આવી. હેમંત ઓબેરોયે તેમને કહ્યું હતું કે, તે માંસ હલાલ છે. ત્યાર બાદ મુશર્રફે સ્વાદિષ્ટ માંસાહારી વાનગીઓનો ઘણો સ્વાદ ચાખ્યો હતો. હેમંત ઓબેરોયે આ સંસ્મરણો ઘણી જગ્યાએ સંભળાવ્યા છે.

કારગિલ યુદ્ધ આજે પણ બે કારણોસર યાદ કરવામાં આવે છે. આ યુદ્ધ ભારતીય સૈન્યની બહાદુરી માટે અને બીજું પરવેઝ મુશર્રફની કુટેવ માટે જાણીતું છે. પરવેઝ મુશર્રફે પોતાની રાજકીય મહત્વાકાંક્ષા માટે કારગીલમાં યુદ્ધ છેડ્યું હતું. પાકિસ્તાનના આર્મી ચીફ તરીકે તેમણે આ નિર્ણય લીધો હતો. પરવેઝ મુશર્રફે પોતાની આત્મકથા 'ઈન ધ લાઈન ઓફ ફાયર'માં લખ્યું છે કે, કારગિલ યુદ્ધમાં પાકિસ્તાની સેના સામેલ હતી. આ પહેલા પાકિસ્તાને હંમેશા કારગિલ યુદ્ધમાં પોતાની સેનાની સંડોવણીનો ઈન્કાર કર્યો હતો. જો કે, મુશર્રફે પોતાના પુસ્તકમાં હારની શરમથી બચવા માટે આખે આખી જવાબદારી તત્કાલિન પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફ પર નાખી દીધી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, નવાઝ શરીફે પાકિસ્તાની સેના પર કારગિલ યુદ્ધમાંથી હટી જવા માટે દબાણ કર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બંગાળ વિધાનસભા ચૂંટણી: 2 મેના રોજ 15 મતદાન મથકો પર ફરી મતદાન,  ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બંગાળ વિધાનસભા ચૂંટણી: 2 મેના રોજ 15 મતદાન મથકો પર ફરી મતદાન,  ચૂંટણી પંચનો મોટો નિર્ણય
Heavy Rain Alert: આગામી 72 કલાક વરસાદનું એલર્ટ, આ રાજ્યોને લઈ હવામાન વિભાગની ચેતવણી 
Heavy Rain Alert: આગામી 72 કલાક વરસાદનું એલર્ટ, આ રાજ્યોને લઈ હવામાન વિભાગની ચેતવણી 
મહિલાઓ દરરોજ 289 તો પુરુષ ફક્ત 88 મિનિટ કરે છે ઘરના કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
મહિલાઓ દરરોજ 289 તો પુરુષ ફક્ત 88 મિનિટ કરે છે ઘરના કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
Gujarat Foundation Day: ગુજરાતનો 66મો સ્થાપના દિવસ, PM મોદી, અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે આપી શુભેચ્છા
Gujarat Foundation Day: ગુજરાતનો 66મો સ્થાપના દિવસ, PM મોદી, અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે આપી શુભેચ્છા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઑટોમેટિક ટોલનાકું
Hun To Bolish : હું તો બોલીશ : તોફાની વાંદરાઓનો ત્રાસ !
Hun To Bolish: હું તો બોલીશ : મજૂરોનું ગૌરવ ક્યારે ?
Weather Forecast: ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર, વરસાદને લઈ સૌરાષ્ટ્રના આગાહીકારોનું અનુમાન
Geniben Thakor: સાંસદ ગેનીબેન ઠાકોરનો જગદીશ વિશ્વકર્માને પડકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Tariffs on Euro Car and Truck: અમેરિકાએ હવે આ દેશની કાર-ટ્રક પર લગાવ્યો 25% ટેરિફ, જાણો ટ્રમ્પે શું કહ્યું?
US Tariffs on Euro Car and Truck: અમેરિકાએ હવે આ દેશની કાર-ટ્રક પર લગાવ્યો 25% ટેરિફ, જાણો ટ્રમ્પે શું કહ્યું?
RR vs DC Highlights: દિલ્હીએ રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું, કેએલ રાહુલ-નિસાંકાની અડધી સદી
RR vs DC Highlights: દિલ્હીએ રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું, કેએલ રાહુલ-નિસાંકાની અડધી સદી
બંગાળ વિધાનસભા ચૂંટણી: 2 મેના રોજ 15 મતદાન મથકો પર ફરી મતદાન,  ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બંગાળ વિધાનસભા ચૂંટણી: 2 મેના રોજ 15 મતદાન મથકો પર ફરી મતદાન,  ચૂંટણી પંચનો મોટો નિર્ણય
Surya Nakshatra Parivartan 2026: સૂર્યનું કૃતિકા નક્ષત્રમાં ગોચર, આ 4 રાશિઓ થઈ જશે માલામાલ 
Surya Nakshatra Parivartan 2026: સૂર્યનું કૃતિકા નક્ષત્રમાં ગોચર, આ 4 રાશિઓ થઈ જશે માલામાલ 
કાળઝાળ ગરમી અને હીટવેવથી બચવા અપનાવો આ આયુર્વેદિક ઉપાય 
કાળઝાળ ગરમી અને હીટવેવથી બચવા અપનાવો આ આયુર્વેદિક ઉપાય 
₹2000 ની 98.47% નોટો પરત આવી ગઈ, RBI એ કહ્યું, -'હજુ પણ ₹5,451 કરોડની નોટો લોકો પાસે'
₹2000 ની 98.47% નોટો પરત આવી ગઈ, RBI એ કહ્યું, -'હજુ પણ ₹5,451 કરોડની નોટો લોકો પાસે'
CSK vs MI: ક્યારે થશે મહેંદ્ર સિંહ ધોનીની ટીમમાં વાપસી? કોચ હસીએ આપ્યું લેટેસ્ટ અપડેટ 
CSK vs MI: ક્યારે થશે મહેંદ્ર સિંહ ધોનીની ટીમમાં વાપસી? કોચ હસીએ આપ્યું લેટેસ્ટ અપડેટ 
Gujarat Monsoon 2026: રાજ્યમાં ચોમાસું સારૂ રહેવાની 11 તજજ્ઞોની આગાહી,  40થી 50 ઈંચ વરસાદ વરસશે
Gujarat Monsoon 2026: રાજ્યમાં ચોમાસું સારૂ રહેવાની 11 તજજ્ઞોની આગાહી,  40થી 50 ઈંચ વરસાદ વરસશે
Embed widget