શોધખોળ કરો

Musharraf-Vajpayee : વાજપેયીએ બનાવડાવી ખાસ વાનગી જેને મુશર્રફે ખાવાનો કર્યો ઈનકાર અને...

જોકે, મંત્રણા નિષ્ફળ રહી હતી. તે આજે પણ આ સ્વરૂપે યાદ કરવામાં આવે છે. આ સમિટ દરમિયાન તાજમહેલ જોવા અને મુશર્રફની પત્ની સાથે ભોજનને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું લાંબી માંદગી બાદ રવિવારે દુબઈમાં અવસાન થયું. તેઓ 79 વર્ષના હતા. પરિવારજનોએ માહિતી આપી હતી કે તેઓ એમાયલોઇડિસ નામની બીમારીથી પીડિત હતા. તેમના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. પરવેઝ મુશર્રફ 2001 થી 2008 સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા. અગાઉ તેઓ પાકિસ્તાનના આર્મી ચીફ હતા. તેમણે નવાઝ શરીફની ગાદી ઉથલાવીને પાકિસ્તાનની ગાદી કબજે કરી હતી. ભારત સાથેના કારગિલ યુદ્ધમાં પરવેઝ મુશર્રફની ભૂમિકા મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષ 1999માં કારગીલમાં ભારત અને પાકિસ્તાનની સેના સામસામે આવી ગઈ હતી. યુદ્ધના માત્ર 2 વર્ષમાં જ ભારત અને પાકિસ્તાનના શાસકો સામ-સામે હતા. સમિટ આગ્રામાં યોજાઈ હતી. તત્કાલિન ભારતીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ વચ્ચેની વાતચીત તે સમયે વૈશ્વિક મીડિયામાં ચર્ચાનો વિષય બની હતી. 

જોકે, મંત્રણા નિષ્ફળ રહી હતી. તે આજે પણ આ સ્વરૂપે યાદ કરવામાં આવે છે. આ સમિટ દરમિયાન તાજમહેલ જોવા અને મુશર્રફની પત્ની સાથે ભોજનને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. ત્યારે અટલજીએ પાકિસ્તાની રાષ્ટ્રપતિના સન્માનમાં ડિનર આપ્યું હતું. જેમાં પાકિસ્તાની રાષ્ટ્રપતિ હલાલ-ઝટકા માંસને લઈને માંસાહારી વાનગીઓનો સ્વાદ લેવાનું ટાળતા જોવા મળ્યા હતા. તે કહાની ભોજન બનાવતા રસોઇયા દ્વારા વર્ણવવામાં આવી હતી.

તત્કાળ રસોયાને લગાવ્યો ફોન અને...

પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની મુલાકાત દરમિયાન અટલ બિહારી વાજપેયીએ ડિનરનું આયોજન કર્યું હતું. આ માટે તાજ હોટલના ડાયરેક્ટર શેફ હેમંત ઓબેરોયને ખાસ મુંબઈથી બોલાવવામાં આવ્યા હતા. તમામ વાનગીઓ તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી હતી. વાજપેયી પોતે હેમંત ઓબેરોયના ભોજનના ચાહક હતા. આ પ્રસંગે હેમંત ઓબેરોયે સિકંદરી રાન, બિરયાની અને મલાઈ કોફ્તા જેવી વાનગીઓ બનાવી હતી. રાત્રિભોજન શરૂ થયું. મુશર્રફ ડિનર ટેબલ પર આવ્યા. પરંતુ તેમણે શાકાહારી ખાવાનું પસંદ કર્યું. અટલજીએ આ વાતની નોંધ લીધી. તેમણે જોયું કે, બંને એક જ ટેબલ પર જમતા હતા. તેમણે મુશર્રફને પૂછ્યું કે, તે શાકાહારી ખોરાક કેમ ખાય છે? તો મુશર્રફે તેના જવાબમાં કહ્યું હતું કે, કદાચ આ હલાલ મીટ નથી. અટલે તરત જ હેમંત ઓબેરોયને ફોન કર્યો અને જાણકારી મેળવવામાં આવી. હેમંત ઓબેરોયે તેમને કહ્યું હતું કે, તે માંસ હલાલ છે. ત્યાર બાદ મુશર્રફે સ્વાદિષ્ટ માંસાહારી વાનગીઓનો ઘણો સ્વાદ ચાખ્યો હતો. હેમંત ઓબેરોયે આ સંસ્મરણો ઘણી જગ્યાએ સંભળાવ્યા છે.

કારગિલ યુદ્ધ આજે પણ બે કારણોસર યાદ કરવામાં આવે છે. આ યુદ્ધ ભારતીય સૈન્યની બહાદુરી માટે અને બીજું પરવેઝ મુશર્રફની કુટેવ માટે જાણીતું છે. પરવેઝ મુશર્રફે પોતાની રાજકીય મહત્વાકાંક્ષા માટે કારગીલમાં યુદ્ધ છેડ્યું હતું. પાકિસ્તાનના આર્મી ચીફ તરીકે તેમણે આ નિર્ણય લીધો હતો. પરવેઝ મુશર્રફે પોતાની આત્મકથા 'ઈન ધ લાઈન ઓફ ફાયર'માં લખ્યું છે કે, કારગિલ યુદ્ધમાં પાકિસ્તાની સેના સામેલ હતી. આ પહેલા પાકિસ્તાને હંમેશા કારગિલ યુદ્ધમાં પોતાની સેનાની સંડોવણીનો ઈન્કાર કર્યો હતો. જો કે, મુશર્રફે પોતાના પુસ્તકમાં હારની શરમથી બચવા માટે આખે આખી જવાબદારી તત્કાલિન પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફ પર નાખી દીધી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, નવાઝ શરીફે પાકિસ્તાની સેના પર કારગિલ યુદ્ધમાંથી હટી જવા માટે દબાણ કર્યું હતું.

ટોપ સ્ટોરી

8મા પગાર પંચ પહેલા સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ! કેન્દ્રીય કર્મચારીઓના પગાર પર થશે અસર
8મા પગાર પંચ પહેલા સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ! કેન્દ્રીય કર્મચારીઓના પગાર પર થશે અસર
કૃતિ સેનનના કપડાં પર વિવાદ: રાહુલ ગાંધીએ કહ્યું - ‘મહિલાઓ શું પહેરે તે તેમની પસંદગી છે’
કૃતિ સેનનના કપડાં પર વિવાદ: રાહુલ ગાંધીએ કહ્યું - ‘મહિલાઓ શું પહેરે તે તેમની પસંદગી છે’
TMCના 20 બળવાખોર સાંસદો સામે લટકતી તલવાર: સ્પીકરે કહ્યું - 7 દિવસની અંદર...
TMCના 20 બળવાખોર સાંસદો સામે લટકતી તલવાર: સ્પીકરે કહ્યું - 7 દિવસની અંદર...
DRDO નો ઐતિહાસિક નિર્ણય: હવે ખાનગી કંપનીઓ બનાવશે આકાશ અને અસ્ત્ર જેવી મિસાઇલો! સરકારે આપી મંજૂરી
DRDO નો ઐતિહાસિક નિર્ણય: હવે ખાનગી કંપનીઓ બનાવશે આકાશ અને અસ્ત્ર જેવી મિસાઇલો! સરકારે આપી મંજૂરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટીમાં લૂંટ ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતાની અધિકારીઓને ધમકી
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના માથાફોડ નેતા
Kutch Fake Liquor Network Busted : ભાવનગર લઠ્ઠાકાંડ બાદ હવે કચ્છમાં નકલી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ
MLA Dhavalsinh Zala : અરવલ્લીના ખેડૂતો માટે 10 કલાક વીજળીની માગ, ધારાસભ્યનો ઉર્જામંત્રીને પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
DRDO નો ઐતિહાસિક નિર્ણય: હવે ખાનગી કંપનીઓ બનાવશે આકાશ અને અસ્ત્ર જેવી મિસાઇલો! સરકારે આપી મંજૂરી
DRDO નો ઐતિહાસિક નિર્ણય: હવે ખાનગી કંપનીઓ બનાવશે આકાશ અને અસ્ત્ર જેવી મિસાઇલો! સરકારે આપી મંજૂરી
જેવા સાથે તેવા: આ દેશે અમેરિકા પર ઝીંક્યો $20 બિલિયનનો ટેરિફ! જાણો કેમ લીધો મોટો નિર્ણય
જેવા સાથે તેવા: આ દેશે અમેરિકા પર ઝીંક્યો $20 બિલિયનનો ટેરિફ! જાણો કેમ લીધો મોટો નિર્ણય
જૂનાગઢ કોર્ટનો મોટો ચુકાદો: રાજુ સોલંકી મારપીટ કેસમાં ગણેશ જાડેજા સહિત તમામ 11 આરોપીઓ નિર્દોષ જાહેર
જૂનાગઢ કોર્ટનો મોટો ચુકાદો: રાજુ સોલંકી મારપીટ કેસમાં ગણેશ જાડેજા સહિત તમામ 11 આરોપીઓ નિર્દોષ જાહેર
છોકરામાંથી છોકરી બનેલી અનાયા બાંગરને ક્રિકેટ રમવાની મંજૂરી મળી! જાણો કઈ શરતે મળી છૂટ?
છોકરામાંથી છોકરી બનેલી અનાયા બાંગરને ક્રિકેટ રમવાની મંજૂરી મળી! જાણો કઈ શરતે મળી છૂટ?
આવતીકાલનું હવામાનઃ 23 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, 80km/h પવન ફૂંકાવાની આગાહી!
આવતીકાલનું હવામાનઃ 23 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, 80km/h પવન ફૂંકાવાની આગાહી!
‘પત્ની ઘરકામ કે સાસુ-સસરાની સેવા કરવા બંધાયેલી નથી’: કર્ણાટક હાઈકોર્ટનું અવલોકન
‘પત્ની ઘરકામ કે સાસુ-સસરાની સેવા કરવા બંધાયેલી નથી’: કર્ણાટક હાઈકોર્ટનું અવલોકન
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર ઓછું હશે તો પણ બખ્ખાં! સમજો 2.1 ફોર્મ્યુલાથી પગાર વધારાનું ગણિત
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર ઓછું હશે તો પણ બખ્ખાં! સમજો 2.1 ફોર્મ્યુલાથી પગાર વધારાનું ગણિત
વરસાદ ખેંચાતા પશુધન બચાવવું મુશ્કેલ! માંગરોળના માલધારીઓએ સરકાર પાસે માંગી તાકીદની મદદ
વરસાદ ખેંચાતા પશુધન બચાવવું મુશ્કેલ! માંગરોળના માલધારીઓએ સરકાર પાસે માંગી તાકીદની મદદ
Embed widget