શોધખોળ કરો

PM મોદીએ તેમના સંબોધનમાં રામનવમી અને રમઝાનને લઈ શું કહ્યું ?

લોકડાઉનને રાજ્ય અંતિમ વિકલ્પ તરીકે ઉપયોગ કરે. તેના દ્વારા લોકોની આજીવિકા પર સીધી અસર પડે છે.

નવી દિલ્હીઃ પીએમ મોદીએ દેશમાં કોરોના વાયરસને લઈ દેશને સંબોધન કર્યુ હતું. તેમણે લોકડાઉનને લઈ મોટી વાત કરી હતી. મોદીએ કહ્યું કોરોનાથી બચવાના ઉપાયોનું પાલન કરવું જરૂરી છે. તેમણે કહ્યુ, લોકડાઉનને રાજ્ય અંતિમ વિકલ્પ તરીકે ઉપયોગ કરે. તેના દ્વારા લોકોની આજીવિકા પર સીધી અસર પડે છે.

મોદીએ તેમના સંબોધનમાં રામનવમી અને રમઝાનનો પણ ઉલ્લેખ કર્યો હતો.  તેમણે એમ પણ કહ્યું કે, જે પરિવારજનોએ તેમના સ્વજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું. પીએમ મોદીએ બાળકોને આગ્રહ કર્યો કે મારા બાળ મિત્રો ઘરમાં એવું વાતાવરણ બનાવો કે કામ વગર ને કોઈપણ જરૂરી કારણ વગર તમે ઘરની બહા ન નીકળો. પીએમ મોદીએ બાળકોને જવાબદારી આપી કે તેઓ ઘરવાળાઓને બહાર ન નીકળવા દે.

તેમણે કહ્યું કે, પડકાર ઘણો મોટો છે અને તેનો વિશ્વાસથી સામનો કરવાનો છે. પીએમ મોદીએ કહ્યું કે, ઓક્સીજન માગ ઘણી વધી ગઈ છે. ઓક્સિજનની સપ્લાઈ વધારવાનું કામ કરવામાં આવી રહ્યું છે. તમામ દવા કંપનીઓની મદદ લેવામાં આવી રહી છે.

મોદીએ કહ્યું કે, આપણી પાસે મજબૂત ફાર્મા સેક્ટર છે. તેમણે કહ્યું કે, 1 મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આપવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે, સરકારી હોસ્પિટલમાં ફ્રી રસી મળતી રહેશે. તેમણે કહ્યું કે, દરેક જરૂરિયાતમંદને ઝડપથી રસી મળે.

સતત છઠ્ઠા દિવસે ભારતમાં કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને 1,000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉપરાંત એક્ટિવ કેસનો (Active Cases) આંકડો 20 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,59,170 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1761 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,54,761 લોકો ઠીક પણ થયા છે. 

ટોપ સ્ટોરી

ભારતમાં કેટલા ટકા હિન્દુ ખાય છે નોનવેજ? સરકારી સર્વેના ચોંકાવનારા આંકડા
ભારતમાં કેટલા ટકા હિન્દુ ખાય છે નોનવેજ? સરકારી સર્વેના ચોંકાવનારા આંકડા
આવતીકાલે 24 રાજ્યોમાં તૂટી પડશે મેઘરાજા! બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ભારે વરસાદની આગાહી
આવતીકાલે 24 રાજ્યોમાં તૂટી પડશે મેઘરાજા! બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ભારે વરસાદની આગાહી
ઘરમાં રાખેલું સોનું-ચાંદી જપ્ત થશે? ITAT ના આ ઐતિહાસિક ચુકાદાથી મહિલાને મળી મોટી રાહત
ઘરમાં રાખેલું સોનું-ચાંદી જપ્ત થશે? ITAT ના આ ઐતિહાસિક ચુકાદાથી મહિલાને મળી મોટી રાહત
Weather alert: દેશના વાતાવરણમાં આવશે પલટો, આજે 21 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ 
Weather alert: દેશના વાતાવરણમાં આવશે પલટો, આજે 21 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરોડોના ભાજી મૂળા
Hun To Bolish | હું તો બોલીશ | વિના મેન્ડેટ સહકારમાં ઉદ્ધાર
Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરના કુડાસણમાં મોટી દુર્ઘટના: નિર્માણાધીન સાઇટ પર સ્લેબ તૂટતાં 10થી 15 શ્રમિકો દબાયા
ગાંધીનગરના કુડાસણમાં મોટી દુર્ઘટના: નિર્માણાધીન સાઇટ પર સ્લેબ તૂટતાં 10થી 15 શ્રમિકો દબાયા
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
એપલે બજારમાં ઉતાર્યો પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo', જાણો તમામ ફીચર્સ
એપલે બજારમાં ઉતાર્યો પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo', જાણો તમામ ફીચર્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?
Embed widget