![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ લેવા માટે કરવુ પડશે જરૂરી કામ, જાણો કઇ તારીખ છે છેલ્લી ને શું છે પ્રૉસેસ.........
જો ખેડૂતનો પાક કુદરતી કારણોસર બરબાદ થઇ જાય છે, તો આમાં સૌથી પહેલા 72 કલાકની અંદર વીમા કંપનીને આના વિશે જાણ કરવાની હોય છે.
![પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ લેવા માટે કરવુ પડશે જરૂરી કામ, જાણો કઇ તારીખ છે છેલ્લી ને શું છે પ્રૉસેસ......... pradhan mantri fasal bima yojana registration last date is 31st july 2022 on portal પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ લેવા માટે કરવુ પડશે જરૂરી કામ, જાણો કઇ તારીખ છે છેલ્લી ને શું છે પ્રૉસેસ.........](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/15/601b9ef2954cd5061231d0f0440d07bb1657877701_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Pradhan Mantri Fasal Bima Yojana: ખેડૂત ખરીફ પાકની રોપાણી કરી ચૂક્યા છે, તો સાથે જ દેશમાં ચોમાસાનુ પણ આગમન થઇ ચૂક્યુ છે. આવામાં વરસાદ કે પછી અનાવૃષ્ટીથી પાકને નુકસાન થવાની ભરપાઇ કરવા માટે જે ખેડૂત પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ લેવા માંગે છે, તેના માટે રજિસ્ટ્રેશન કરાવવા માટે 31 જુલાઇ, 2022 અંતિમ તારીખ છે. પીએમ ફસલ વીમા યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ 31 જુલાઇ, 2022 સુધી પૉર્ટલ પર જઇને રજિસ્ટ્રેશન કરાવવુ પડશે.
ખેડૂત પોતાના પાકનો વીમો કરાવી શકે છે, જેમાં કુદરતી આફતથી ખેડૂતોને થનારા નુકસાન પર તેને વળતર આપવામાં આવી શકે. પાકમાં વીજળી પડવા કે પછી કોઇ કુદરતી કારણોસર પાક બરબાદ થઇ જાય છે, તો પીએમ ફસલ વીમા યોજના અંતર્ગત ખેડૂતોને વીમાનો લાભ મળશે. જે ખેડૂત વીમો નથી કરાવતો તેમને વળતર નહીં મળે.
કયા ડૉક્યૂમેન્ટની પડશે જરૂર -
ખેડૂત બેન્ક, કો-ઓપરેટિવ સોસાયટી કે પછી સીએસસી (કૉમન સર્વિસ સેન્ટર)માં www.pmfby.gov.in પર પાકનો વીમો કરાવી શકે છે. ખેડૂતોને પાકનો વીમો કરાવવા માટે આધાર કાર્ડ, બેન્ક ખાતા નંબર, જમીન તથા પાકની રોપણી સંબંધિત દસ્તાવેજોની જરૂર પડશે. જો કોઇ ખેડૂતને બેન્કમાં કેસીસી (કિસાન ક્રિડેટ કાર્ડ) ખાતુ છે, તો તેને પણ વીમો કરાવવા માટે બેન્કને બતાવવુ પડશે, સાથે જ બતાવવુ પડશે કે તેમના ખેતરમાં આ વખતે કયા પાકની રોપણી કરવામાં આવી છે.
કયા પાક માટે કેટલો વીમો -
પીએમ ફસલ વીમા યોજનામાં અનાજ, કપાસ, બાજરી તથા મકાઇને સામેલ કરવામાં આવ્યા છે, જેનો વીમો કરાવી શકાય છે. ખેડૂત ખરીફ-2022 પાકનો વીમો 31 જુલાઇ સુધી કરાવી શકે છે. પાક ખરાબ થવા કે તેને નુકસાન પહોંચવા પર કવર મળે છે. જો ખેડૂતનો પાક કુદરતી કારણોસર બરબાદ થઇ જાય છે, તો આમાં સૌથી પહેલા 72 કલાકની અંદર વીમા કંપનીને આના વિશે જાણ કરવાની હોય છે. પીએમ ફસલ વીમા યોજના અંતર્ગત કપાસના પાક માટે 36,282, અનાજના પાક માટે 37,484, બાજરાની પાક માટે 17,639 રૂપિયા, મકાઇના પાક માટે 18,742 રૂપિયા, મગના પાક માટે 16,497 રૂપિયા પ્રતિ એકડ વીમાની રકમ મળશે.
આ પણ વાંચો..........
Corona ના વધતા કેસોએ ફરી ચિંતા વધારી, જાણો ક્યાં ફેસ માસ્ક લગાવવું ફરજિયાત થયું
સંસદ ભવન પરિસરમાં હવે ધરણા, ભૂખ હડતાળ કરવા પર પ્રતિબંધ, કોગ્રેસે કહ્યુ- D(h)arna Mana Hai!
Gujarat Rain: રાજ્યમાં 207 જળાશયોમાં 50.91% પાણીનો સંગ્રહ, 36 ડેમ હાઈ એલર્ટ પર
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)