શોધખોળ કરો

ચિંતન શિબિર વચ્ચે પંજાબમાં કોંગ્રેસને મોટો ઝટકો, પંજાબ કોંગ્રેસના આ મોટા નેતાએ છોડી પાર્ટી

Sunil Jakhar Leave Congress : કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુનીલ જાખરે પાર્ટીમાંથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે આજે કોંગ્રેસ પાર્ટી ખાટલા પર દેખાઈ રહી છે.

Sunil Jakhar :રાજસ્થાનના ઉદયપુરમાં ચાલી રહેલા ચિંતન શિબિર વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુનીલ જાખડે  પાર્ટીમાંથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે આજે કોંગ્રેસ પાર્ટી ખાટલા પર દેખાઈ રહી છે. કોંગ્રેસ પાર્ટીને શુભકામનાઓ અને ગુડ બાય. સુનીલ જાખડે શનિવારે પોતાના સત્તાવાર ફેસબુક પેજ પરથી લાઈવ કરીને કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી હતી. પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુનીલ જાખડે કોંગ્રેસમાં જાતિ સમીકરણને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહેલી રાજનીતિ પર સવાલો ઉઠાવ્યા અને હાઈકમાન્ડ પર નિશાન સાધ્યું.

સુનીલ જાખડે કહ્યું કે પંજાબમાં જેઓ કોંગ્રેસના પ્રભારી હતા તેમને નોટિસ આપવામાં આવી નથી. મારા કારણે પંજાબમાં સરકાર બની ન હતી તો હું શું કામ પાર્ટીમાંથી બહાર નીકળું. તેણે વધુમાં કહ્યું કે નોટિસ આપીને તે મને શું નુકસાન પહોંચાડશે. તમે ચાપલૂસો સાથે રહેવામાં ધન્ય છો, પરંતુ નિર્ણયો લો. સાચું કે ખોટું એ તો સમય જ કહેશે. 

સુનીલ જાખડે આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે ઉદયપુરમાં કોંગ્રેસની ચિંતન શિબિર યોજાઈ રહી  છે. અહીં પાર્ટીના દિગ્ગજ નેતાઓ ભેગા થઈને આગળની રણનીતિ નક્કી કરી રહ્યા છે. 13 મેથી શરૂ થયેલો આ કેમ્પ ત્રણ દિવસ ચાલશે. આજે તેનો બીજો દિવસ છે.

સુનીલ જાખડ પાર્ટી વિરોધી ગતિવિધિઓ સામે તેમની સામે લેવાયેલી કાર્યવાહીને લઈને પાર્ટીથી નારાજ હતા. 68 વર્ષીય જાખડે કહ્યું કે દિલ્હીમાં બેઠેલા કોંગ્રેસના નેતાઓએ પંજાબમાં પાર્ટીને બરબાદ કરી દીધી. તેમણે કહ્યું કે રાજ્યમાં કોંગ્રેસને ગરીબ તરીકે રજૂ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. ભાવનાત્મક આક્રોશમાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને કહ્યું કે તમે તમારી વિચારધારાથી ભટકો નહીં.

રાહુલ ગાંધીના કર્યા વખાણ
રાહુલ ગાંધીના વખાણ કરતા સુનીલ જાખડે તેમને એક સારા વ્યક્તિ ગણાવ્યા અને તેમને પાર્ટીની બાગડોર પોતાના હાથમાં લેવા કહ્યું. સુનીલ જાખડે રાહુલ ગાંધીને સૂચન કર્યું કે તેઓ ચાપલુસી કરનારાઓથી  દૂર રહે. તેમણે ગુડ લક અને કોંગ્રેસને અલવિદા કહીને પોતાની વાત પૂરી કરી.

જણાવી દઈએ કે કોંગ્રેસે તાજેતરમાં સુનીલ જાખડ વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરી હતી. તેમને પાર્ટીના તમામ હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યા હતા. પંજાબ કોંગ્રેસે તેમને બે વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હતી, જેના પર સોનિયા ગાંધીએ નિર્ણય લેવાનો  હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

વિડિઓઝ

Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર
યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Embed widget