શોધખોળ કરો

Crime: એક કૃષિ મહિલા વૈજ્ઞાનિક કેમ બની ગઇ સિરિયલ કિલર, જેને 20 દિવસમાં પરિવારના જ 5 લોકોની કરી હત્યા

એક કૃષિ વૈજ્ઞાનિકે તેના પતિ સહિત અન્ય 4 સાસરી પક્ષના સભ્યોની હત્યા કરી નાખી. જાણીએ શું છે સમગ્ર મામલો

Nagpur Socking Crime::મહારાષ્ટ્રના નાગપુરમાં એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં 22 વર્ષની મહિલા કૃષિ વૈજ્ઞાનિકે તેના વૈવાહિક સંબંધોમાં કડવાશથી કંટાળીને તેના પતિ સહિત 4 અન્ય લોકોની  નિર્દયતાથી હત્યા કરી નાખી. આ માટે તેણે પોતાના વૈજ્ઞાનિક શિક્ષણનો એવી રીતે દુરુપયોગ કર્યો કે પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ જાય.

ગુનો કરવા માટે તેણે અત્યંત ઘાતક રસાયણ "થેલિયમ" નો ઉપયોગ કર્યો, જેને રસાયણશાસ્ત્રની ભાષામાં "ઝેરનું ઝેર" કહેવામાં આવે છે, જે રંગહીન, ગંધહીન અને સ્વાદહીન છે. પોલીસે ગુરુવારે (19 ઓક્ટોબર) આરોપી વૈજ્ઞાનિકની ધરપકડ કરી હતી. તેનું નામ સંઘમિત્રા છે. ગુનાને અંજામ આપવા માટે તેણીએ તેની સાથે તેના મિત્ર અને સંબંધી રોઝા રામટેકને પણ સામેલ કર્યા હતા. બંનેની ધરપકડ કરવામાં આવી છે.

વૈજ્ઞાનિકના પિતાએ આત્મહત્યા કરી લીધી હતી

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, તેના પતિ સાથેના લગ્નજીવનમાં મતભેદના કારણે સંઘમિત્રાના પિતાએ પાંચ મહિના પહેલા મહારાષ્ટ્રના અકોલા સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. ત્યારથી તે તેના પિતાના મૃત્યુ માટે તે તેમના સાસરિયાઓને જવાબદાર ઠેરવતી હતી. બદલો લેવા તેણે સાયન્ટિફિક રિસર્ચ કર્યું કે, ગુનો કરવા માટે કયા ઝેરનો ઉપયોગ કરવો જોઈએ જેથી સુરક્ષા એજન્સીઓને ખબર ન પડે.

અજ્ઞાત આદિવાસી ગામમાં પાંચ લોકોને આપ્યું ઝેર

બાદ મિત્ર રોઝાની મદદથી, મહારાષ્ટ્રના માઓવાદી પ્રભાવિત જિલ્લા ગઢચિરોલીના એક અજાણ્યા આદિવાસી ગામમાં, તેણે તેના પતિ અને ચાર લોકોનો એક પછી એક જીવલેણ ઝેરથી જીવ લીઘો. તેમણે આ પાંચેયને  કેમિકલ થેલિયમનું ઇન્જેક્શન આપ્યું. 20 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર વચ્ચે તેના પતિ અને ચાર સાસરિયાઓના મૃત્યુનો સિલસિલો ચાલુ રહ્યો.

શરૂઆતમાં મૃત્યુના લક્ષણોથી તબીબો પણ ચોંકી ગયા હતા, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઝેરી કેમિકલની હાજરી બહાર આવ્યા બાદ ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી અને થેલિયમ વિશે માહિતી મળી હતી. ગુનાને અંજામ આપવાની આ રીતથી પોલીસ પણ સ્તબ્ધ છે.

વૈજ્ઞાનિકે ગુનો કબૂલી લીધો છે

ગુરુવારે સઘન પોલીસ પૂછપરછ દરમિયાન સંઘમિત્રાએ ગુનો કબૂલી લીધો હતો. તેણે તેના પાર્ટનર રોઝાની સંડોવણીનો પર્દાફાશ કર્યો, ત્યારબાદ બંનેની ધરપકડ કરવામાં આવી અને હત્યા સહિત અન્ય ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ રાહત, જામનગરમાં નોંધાયેલી FIR રદ્દ, જાણો શું હતો મામલો
કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ રાહત, જામનગરમાં નોંધાયેલી FIR રદ્દ, જાણો શું હતો મામલો
AAPના વડા અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી, દિલ્હી પોલીસે દાખલ કરી FIR, જાણો શું છે કેસ?
AAPના વડા અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી, દિલ્હી પોલીસે દાખલ કરી FIR, જાણો શું છે કેસ?
'મહિલા રેપ કરી શકતી નથી પરંતુ ઉશ્કેરણી કરી શકે છે', મધ્યપ્રદેશ હાઇકોર્ટે વધુમાં શું કહ્યુ?
'મહિલા રેપ કરી શકતી નથી પરંતુ ઉશ્કેરણી કરી શકે છે', મધ્યપ્રદેશ હાઇકોર્ટે વધુમાં શું કહ્યુ?
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS  પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવAhmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોતBanaskantha Crime: બનાસકાંઠામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા, તપાસનો ધમધમાટ શરૂSurat: જિલ્લામાં ભૂસ્તર વિભાગનો સપાટો, બે કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ રાહત, જામનગરમાં નોંધાયેલી FIR રદ્દ, જાણો શું હતો મામલો
કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ રાહત, જામનગરમાં નોંધાયેલી FIR રદ્દ, જાણો શું હતો મામલો
AAPના વડા અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી, દિલ્હી પોલીસે દાખલ કરી FIR, જાણો શું છે કેસ?
AAPના વડા અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી, દિલ્હી પોલીસે દાખલ કરી FIR, જાણો શું છે કેસ?
'મહિલા રેપ કરી શકતી નથી પરંતુ ઉશ્કેરણી કરી શકે છે', મધ્યપ્રદેશ હાઇકોર્ટે વધુમાં શું કહ્યુ?
'મહિલા રેપ કરી શકતી નથી પરંતુ ઉશ્કેરણી કરી શકે છે', મધ્યપ્રદેશ હાઇકોર્ટે વધુમાં શું કહ્યુ?
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS  પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર
હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર
અમેરિકાએ આપી ધમકી તો ઇરાને 3000 જહાજો કર્યા તૈનાત, હવે યુદ્ધના મૂડમાં મુસ્લિમ દેશ
અમેરિકાએ આપી ધમકી તો ઇરાને 3000 જહાજો કર્યા તૈનાત, હવે યુદ્ધના મૂડમાં મુસ્લિમ દેશ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
Embed widget