શોધખોળ કરો

નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશને લઈને શું કરી મોટી જાહેરાત? જાણો સંપૂર્ણ વિગત

ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલનાં રાજકારણમાં જોડાવાને લઈને પ્રેસ કોન્ફ્રેન્સ યોજી હતી. નરેશ પટેલે પત્રકાર પરીષદમાં રાજકારણમાં ન જોડાવાની જાહેરાત કરી હતી.  

રાજકોટઃ ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલનાં રાજકારણમાં જોડાવાને લઈને પ્રેસ કોન્ફ્રેન્સ યોજી હતી. નરેશ પટેલની પત્રકાર પરીષદમાં ત્રણ ટ્રસ્ટના  ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા. નરેશ પટેલે પત્રકાર પરીષદમાં રાજકારણમાં ન જોડાવાની જાહેરાત કરી હતી. યુવાનો અને બહેનો ઇચ્છે છે કે, હું રાજકારણમાં આવું. આજથી ખોડલધામ પોલીટિકલ એકેડમીની તેમણે જાહેરાત કરી હતી. વડીલોની ચિંતા યોગ્ય લાગી. 

નરેશ પટેલે કહ્યું કે, વડીલો ચિંતા કરે છે અને યુવાનો અને બહેનો ઇચ્છતા હતા કે હું રાજકારણમાં જોડાવું. ખોડલધામના પ્રકલ્પોને વેગ આપવાનો મારો પ્રયાસ. હાલ રાજકારણમાં મારો પ્રવેશ હાલ પૂરતો મોકૂફ રાખીશ. શિક્ષણ આરોગ્ય અને ખેતીમાં રોલ મોડેલ તરીકે રાજકોટ નજીક અમરેલી ગામે વિકાસ કરવામાં આવશે. નરેશભાઈએ મીડિયાનો પણ આભાર માન્યો.  રાજકીય લોકોનો પણ આભાર માન્યો. ગુજરાતના અલગ અલગ સમાજના અગ્રણીઓનો આભાર માન્યો.  હાલ પુરતો મોકૂફ પણ સમય અને સંજોગો શુ કરાવે એ નક્કી નહિ..

નરેશ પટેલના રાજકારણમાં નહીં જોડાવાના નિર્ણયને ભાજપે આવકાર્યો હતો. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ જણાવ્યું હતું કે, નરેશભાઈ કોંગ્રેસમાં આવ્યા હોત ફાયદો થાત. 

ખોડલધામ ખાતે નરેશ પટેલની મીટીંગ મળી હતી. ખોડલધામનાં ટ્રસ્ટીઓ તેમજ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન હોદ્દેદારો તેમજ સોમનાથ અતિથિ ભવનના પ્રમુખ સાથે મિટિંગ મળી હતી. ખોડલધામ ખાતે આવેલ પ્રેસ કોન્ફરન્સ હોલમાં બંધ બારણે મિટિંગ મળી હતી. આ મીટિંગ પત્યા બાદ આજે નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાવાની જાહેરાત કરી હતી. 

મહેસાણાઃ મહેસાણા આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખની પોલીસે ધરપકડ કરી છે. જિલ્લા પ્રમુખ ભગત પટેલની પોલીસે ધરપકડ કરી છે. ત્રિરંગા યાત્રા પહેલા બેનર લગાવા મુદ્દે  મનીષ બ્રહ્મભટ્ટને ધમકી આપવાં અને માર મારવા મુદ્દે ફરિયાદ નોધાઇ હતી, જે કેસમાં ભગત પટેલની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખની ધરપકડથી રાજકારણ ગરમાયું છે. 

Arvind Kejriwal Gujarat Visit: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક રાજકીય પાર્ટીઓએ પ્રચાર પ્રસાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. એક બાદ એક મોટા નેતાઓ ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે. આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરવા દિલ્હીના સીએમ અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત આવશે. 26મી જૂનના રોજ કેજરીવાલ ગુજરાત આવશે અને ટાઉનહોલ કાર્યક્રમમાં હાજરી આપશે. વીજળીના મુદ્દે અમદાવાદમાં કાર્યક્રમ યોજાવાનો છે. નોંધનિય છે કે, ગુજરાત પહેલા શિક્ષણના મુદ્દે સવાલો ઉઠાવ્યા બાદ હવે આમ આદમી પાર્ટી વીજળીને લઈને મેદાનમાં ઉતરશે.

ગુજરાત કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાને જીવના જોખમ બાદ અપાઈ સુરક્ષા ?
Bharatsinh Solanki:  કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી પોતાના વ્યક્તિગત જીવનને લઈ હાલ વિવાદોમાં છે. થોડા દિવસો પહેલા ભરતસિંહ સોલંકીનો અન્ય યુવતી સાથેનો વીડિયો વાયરલ થયો હતો. ભરતસિંહના પત્ની રેશ્મા પટેલ આણંદ વિદ્યાનગર રોડ સ્થિત આશ્રય બંગલો પર પહોંચ્યા હતા જ્યાં ભરતસિંહ અન્ય યુવતિ સાથે જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ ત્યાં હાજર લોકોએ બનાવ્યો હતો જે ખુબ વાયરલ થયો હતો. જે બાદ તેમણે પ્રેસ કોન્ફન્સમાં આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી અને તેમના જીવને જોખમ હોવાનું જણાવ્યું હતું. જે બાદ ગૃહ વિભાગના નિર્દેશ અનુસાર ભરત સોલંકીને સુરક્ષા આપવામાં આવી હતી. આણંદ પોલીસે એક કમાન્ડોની સુરક્ષા આપી હતી.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!
રાજકોટ શહેર એડીશનલ પોલીસ કમિશનરનો ચાર્જ IPS ચૈતન્ય માંડલિકે સંભાળ્યો
રાજકોટ શહેર એડીશનલ પોલીસ કમિશનરનો ચાર્જ IPS ચૈતન્ય માંડલિકે સંભાળ્યો
Rajkot: રાજકોટમાં જંગલેશ્વર બાદ હવે આ વિસ્તારમાં મેગા ડિમોલિશન,સ્થાનિકો અને તંત્ર વચ્ચે ઝપાઝપી
Rajkot: રાજકોટમાં જંગલેશ્વર બાદ હવે આ વિસ્તારમાં મેગા ડિમોલિશન,સ્થાનિકો અને તંત્ર વચ્ચે ઝપાઝપી
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે રેગિંગ અને ગુંડાગર્દી?
Gujarat Assembly : ગુજરાતની શાળાઓમાં AIનો અભ્યાસ દાખલ કરાશેઃ મોઢવાડિયા
Gold Silver Price Down : સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર કડાકો, કેટલો ઘટ્યો ભાવ?
Hun To Bolish : હું તો બોલીશ : બટાકાના ખેડૂતો કેમ થયા બરબાદ?
Ahmedabad news: અમદાવાદના બાપુનગરમાં ધો.11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પશ્ચિમ બંગાળમાં BJP એ 144 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, મમતા સામે આ દિગ્ગજ નેતાને આપી ટિકિટ 
પશ્ચિમ બંગાળમાં BJP એ 144 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, મમતા સામે આ દિગ્ગજ નેતાને આપી ટિકિટ 
ગેસ સંકટ થશે દૂર: હોર્મુઝની ખાડી પાર કરી LPG ભરેલું જહાજ 'શિવાલિક' મુન્દ્રા પોર્ટ પહોંચ્યું, ભારતની કૂટનીતિની મોટી જીત
ગેસ સંકટ થશે દૂર: હોર્મુઝની ખાડી પાર કરી LPG ભરેલું જહાજ 'શિવાલિક' મુન્દ્રા પોર્ટ પહોંચ્યું, ભારતની કૂટનીતિની મોટી જીત
બંગાળમાં મમતા દીદીનો જાદુ ઓસર્યો? ઓપિનિયન પોલમાં ભાજપને ફાયદો થવાનું અનુમાન! જાણો કેટલી બેઠક મળશે
બંગાળમાં મમતા દીદીનો જાદુ ઓસર્યો? ઓપિનિયન પોલમાં ભાજપને ફાયદો થવાનું અનુમાન! જાણો કેટલી બેઠક મળશે
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી: 18 થી 20 માર્ચ સુધી પલટાશે વાતાવરણ, જાણો ક્યાં પડશે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી: 18 થી 20 માર્ચ સુધી પલટાશે વાતાવરણ, જાણો ક્યાં પડશે વરસાદ
સુરતમાં રત્નકલાકાર પતિની હેવાનિયત: ઘરમાં દારૂની મહેફિલ બાદ પત્નીને 3 મિત્રોને સોંપી, નરાધમોએ કર્યો ગેંગરેપ
સુરતમાં રત્નકલાકાર પતિની હેવાનિયત: ઘરમાં દારૂની મહેફિલ બાદ પત્નીને 3 મિત્રોને સોંપી, નરાધમોએ કર્યો ગેંગરેપ
Kerala BJP Candidates List: કેરળમાં ભાજપે 47 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ 
Kerala BJP Candidates List: કેરળમાં ભાજપે 47 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ 
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
Embed widget