શોધખોળ કરો

Bangladesh violence: બાંગ્લાદેશમાં ભારતીય પ્રોડક્ટનો બહિષ્કાર, BNP નેતાએ વિરોધમાં સળગાવી પત્નીની સાડી, જુઓ વીડિયો

Bangladesh violence: બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર અત્યાચારની વધી રહેલી ઘટનાઓ વચ્ચે એક વિવાદાસ્પદ ઘટના બની છે

Bangladesh violence: બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર અત્યાચારની વધી રહેલી ઘટનાઓ વચ્ચે એક વિવાદાસ્પદ ઘટના બની છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના વરિષ્ઠ સંયુક્ત મહાસચિવ રૂહુલ કબીર રિઝવીએ ઢાકામાં ભારત વિરોધી પ્રદર્શન દરમિયાન તેમની પત્નીની ભારતીય સાડી સળગાવી હતી. આ દરમિયાન તેમણે ભારતીય ઉત્પાદનોના બહિષ્કારનું આહવાન કર્યું હતું.

રિઝવીએ ત્રિપુરામાં બાંગ્લાદેશ હાઈ કમિશનમાં કથિત તોડફોડ અને બાંગ્લાદેશી ધ્વજના અપમાનનો વિરોધ કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે જાહેરમાં ભારતીય સાડીઓ સળગાવી અને લોકોને ભારતીય સામાન ન ખરીદવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, "જેમણે આપણા રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કર્યું છે અમે તેમનો સામાન ખરીદીને તેમનું સમર્થન કરીશું નહીં. અમારી માતાઓ અને બહેનો હવે ભારતીય સાડી નહીં પહેરે."

ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની અપીલ

પ્રદર્શન દરમિયાન રિઝવીએ એમ પણ કહ્યું હતું કે બાંગ્લાદેશ સાબુ અને ટૂથપેસ્ટ જેવા ભારતીય ઉત્પાદનોનો ઉપયોગ કરશે નહીં અને જો જરૂર પડશે તો મરચાં અને પપૈયા જેવા પોતાના ઉત્પાદનો ઉગાડશે. ભારત પર બાંગ્લાદેશની સાર્વભૌમત્વને નબળી પાડવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે સૌથી શાંતિપૂર્ણ અને અસરકારક જવાબ ભારતથી આવતા ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનો રહેશે.

આત્મનિર્ભર બાંગ્લાદેશનો સંદેશ

રિઝવીએ દાવો કર્યો હતો કે બાંગ્લાદેશ આત્મનિર્ભર છે અને પોતાની જરૂરિયાતની દરેક વસ્તુ જાતે બનાવી શકે છે. તેમણે કહ્યું, "અમને ભારતીય ઉત્પાદનોની જરૂર નથી. તેના બદલે આપણે આપણી અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે અમારા સંસાધનોનું રોકાણ કરવું જોઈએ."

ભારત અને બાંગ્લાદેશના સંબંધો પર અસર

વિરોધ દરમિયાન રિઝવીએ ભારતીય નેતાઓ અને મીડિયાને પણ નિશાન બનાવ્યા અને તેમના પર ખોટા સમાચાર ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.  તેમણે કહ્યું કે આનાથી બંને દેશોના સંબંધો પર નકારાત્મક અસર પડી રહી છે. તેમજ બાંગ્લાદેશની સાર્વભૌમત્વના સન્માનની વાત કરતા તેમણે કહ્યું કે બાંગ્લાદેશ કોઈપણ પ્રકારના ખોટા વર્તનને સહન કરશે નહીં.

અગરતલા ઘટના: વિવાદનું મૂળ

ગયા સોમવારે ત્રિપુરાના અગરતલામાં સ્થિત બાંગ્લાદેશ સહાયક હાઈ કમિશનમાં કેટલાક અજાણ્યા લોકો દ્વારા કથિત તોડફોડની ઘટના પ્રકાશમાં આવી હતી. ભારતીય વિદેશ મંત્રાલયે આ ઘટનાની નિંદા કરી અને સંબંધિત પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. ઘટનાની તપાસ દરમિયાન સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે, અને પોલીસે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!
‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!
Rain: ભરશિયાળે ફરી વરસશે વરસાદ? અંબાલાલ પટેલે ફરી કરી આગાહી, આ તારીખે થશે માવઠું
Rain: ભરશિયાળે ફરી વરસશે વરસાદ? અંબાલાલ પટેલે ફરી કરી આગાહી, આ તારીખે થશે માવઠું
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
IPL 2026: IPL 2026 ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજને બનાવ્યો હેડ કોચ
IPL 2026: IPL 2026 ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજને બનાવ્યો હેડ કોચ
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Prediction: ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Sheikh Hasina Gets Death Penalty : ઈંટરનેશનલ ક્રાઈમ ટ્રીબ્યુનલ કોર્ટે શેખ હસીનાને સંભળાવી ફાંસીની સજા
Ahmedabad news : અમદાવાદ સિવિલ હોસ્પિટલની ડેંટલ હોસ્પિટલનું સામે આવ્યું ભોપાળું
Bhavnagar Murder Case: ભાવનગરમાં ફોરેસ્ટ વિભાગનો અધિકારી જ બન્યો પરિવારનો હત્યારો
Ahmedabad Accident News: અમદાવાદમાં ફરી એક નબીરાએ રફ્તારનો કહેર સર્જીને હાહાકાર મચાવ્યો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!
‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!
Rain: ભરશિયાળે ફરી વરસશે વરસાદ? અંબાલાલ પટેલે ફરી કરી આગાહી, આ તારીખે થશે માવઠું
Rain: ભરશિયાળે ફરી વરસશે વરસાદ? અંબાલાલ પટેલે ફરી કરી આગાહી, આ તારીખે થશે માવઠું
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
IPL 2026: IPL 2026 ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજને બનાવ્યો હેડ કોચ
IPL 2026: IPL 2026 ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજને બનાવ્યો હેડ કોચ
આ દિવસે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો, લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
આ દિવસે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો, લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
'શેખ હસીનાએ પ્રદર્શનકારીઓનો મારવાનો આપ્યો હતો આદેશ', ICTનો મોટો ચુકાદો
'શેખ હસીનાએ પ્રદર્શનકારીઓનો મારવાનો આપ્યો હતો આદેશ', ICTનો મોટો ચુકાદો
Whatsapp:  નંબર સેવ કર્યા વિના મોકલો વોટ્સએપ મેસેજ! 99 ટકા લોકો નથી જાણતા આ સરળ રીત
Whatsapp: નંબર સેવ કર્યા વિના મોકલો વોટ્સએપ મેસેજ! 99 ટકા લોકો નથી જાણતા આ સરળ રીત
Embed widget