શોધખોળ કરો

Bangladesh violence: બાંગ્લાદેશમાં ભારતીય પ્રોડક્ટનો બહિષ્કાર, BNP નેતાએ વિરોધમાં સળગાવી પત્નીની સાડી, જુઓ વીડિયો

Bangladesh violence: બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર અત્યાચારની વધી રહેલી ઘટનાઓ વચ્ચે એક વિવાદાસ્પદ ઘટના બની છે

Bangladesh violence: બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર અત્યાચારની વધી રહેલી ઘટનાઓ વચ્ચે એક વિવાદાસ્પદ ઘટના બની છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના વરિષ્ઠ સંયુક્ત મહાસચિવ રૂહુલ કબીર રિઝવીએ ઢાકામાં ભારત વિરોધી પ્રદર્શન દરમિયાન તેમની પત્નીની ભારતીય સાડી સળગાવી હતી. આ દરમિયાન તેમણે ભારતીય ઉત્પાદનોના બહિષ્કારનું આહવાન કર્યું હતું.

રિઝવીએ ત્રિપુરામાં બાંગ્લાદેશ હાઈ કમિશનમાં કથિત તોડફોડ અને બાંગ્લાદેશી ધ્વજના અપમાનનો વિરોધ કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે જાહેરમાં ભારતીય સાડીઓ સળગાવી અને લોકોને ભારતીય સામાન ન ખરીદવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, "જેમણે આપણા રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કર્યું છે અમે તેમનો સામાન ખરીદીને તેમનું સમર્થન કરીશું નહીં. અમારી માતાઓ અને બહેનો હવે ભારતીય સાડી નહીં પહેરે."

ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની અપીલ

પ્રદર્શન દરમિયાન રિઝવીએ એમ પણ કહ્યું હતું કે બાંગ્લાદેશ સાબુ અને ટૂથપેસ્ટ જેવા ભારતીય ઉત્પાદનોનો ઉપયોગ કરશે નહીં અને જો જરૂર પડશે તો મરચાં અને પપૈયા જેવા પોતાના ઉત્પાદનો ઉગાડશે. ભારત પર બાંગ્લાદેશની સાર્વભૌમત્વને નબળી પાડવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે સૌથી શાંતિપૂર્ણ અને અસરકારક જવાબ ભારતથી આવતા ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનો રહેશે.

આત્મનિર્ભર બાંગ્લાદેશનો સંદેશ

રિઝવીએ દાવો કર્યો હતો કે બાંગ્લાદેશ આત્મનિર્ભર છે અને પોતાની જરૂરિયાતની દરેક વસ્તુ જાતે બનાવી શકે છે. તેમણે કહ્યું, "અમને ભારતીય ઉત્પાદનોની જરૂર નથી. તેના બદલે આપણે આપણી અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે અમારા સંસાધનોનું રોકાણ કરવું જોઈએ."

ભારત અને બાંગ્લાદેશના સંબંધો પર અસર

વિરોધ દરમિયાન રિઝવીએ ભારતીય નેતાઓ અને મીડિયાને પણ નિશાન બનાવ્યા અને તેમના પર ખોટા સમાચાર ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.  તેમણે કહ્યું કે આનાથી બંને દેશોના સંબંધો પર નકારાત્મક અસર પડી રહી છે. તેમજ બાંગ્લાદેશની સાર્વભૌમત્વના સન્માનની વાત કરતા તેમણે કહ્યું કે બાંગ્લાદેશ કોઈપણ પ્રકારના ખોટા વર્તનને સહન કરશે નહીં.

અગરતલા ઘટના: વિવાદનું મૂળ

ગયા સોમવારે ત્રિપુરાના અગરતલામાં સ્થિત બાંગ્લાદેશ સહાયક હાઈ કમિશનમાં કેટલાક અજાણ્યા લોકો દ્વારા કથિત તોડફોડની ઘટના પ્રકાશમાં આવી હતી. ભારતીય વિદેશ મંત્રાલયે આ ઘટનાની નિંદા કરી અને સંબંધિત પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. ઘટનાની તપાસ દરમિયાન સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે, અને પોલીસે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Thailand, Myanmar Earthquake: મ્યાનમારમાં હાહાકાર, 600થી વધુ લોકોના મોત; તબાહીના દ્રશ્યોRajkot Hit And Run: અકસ્માત કેસમાં નબીરાઓને બચાવવાનો પોલીસ પર ગંભીર આરોપ, જુઓ વીડિયોમાંAfghanistan Earthqake: વહેલી સવારે અફઘાનિસ્તાનમાં પણ ધ્રુજી ગઈ ધરા, જાણો શું છે હાલની સ્થિતિ?India Helps Myanmar: મ્યાનમાર માટે ભારતે મોકલી 15 ટન રાહત સામગ્રી, જુઓ વિગતવાર માહિતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાને મોટી રાહત,મદ્રાસ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાને મોટી રાહત,મદ્રાસ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget