શોધખોળ કરો
જેનેટિક ટેસ્ટિંગ શું હોય છે? IVFમાં તેને કેમ કરવું જરૂરી છે?
IVF (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) એ એક પ્રક્રિયા છે જેમાં મહિલાઓના અંડાણુ અને શુક્રાણુઓ શરીરની બહાર ભેળવવામાં આ છે અને ભ્રૂણ તૈયાર કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં જેનેટિક ટેસ્ટિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

IVF (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) એ એક પ્રક્રિયા છે જેમાં મહિલાઓના અંડાણુ અને શુક્રાણુઓ શરીરની બહાર ભેળવવામાં આ છે અને ભ્રૂણ તૈયાર કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં જેનેટિક ટેસ્ટિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેનેટિક ટેસ્ટિંગ એક મહત્વપૂર્ણ મેડિકલ તપાસ છે જેમાં આપણા ડીએનએની તપાસ કરવામાં આવે છે. જેનાથી એ જાણી શકાય છે કે આપણા જીનમાં કોઇ સમસ્યા કે બીમારી નથી ને. આ તપાસ આપણને ભવિષ્યમા થનારી બીમારીઓ અંગેની પણ જાણકારી આપે છે.
2/6

સ્વસ્થ ભ્રૂણની પસંદગી: જેનેટિક ટેસ્ટિંગ પરથી આપણને જાણવા મળે છે કે ભ્રૂણમાં કોઈ રોગ અથવા વિકાર તો નથી ને. આ આપણને સ્વસ્થ ભ્રૂણની પસંદ કરવામાં મદદ કરે છે.
3/6

રોગોની તપાસ: જો કુટુંબમાં કોઈ આનુવંશિક રોગ હોય તો જેનેટિક ટેસ્ટિંગ પરથી એ જાણી શકાય છે કે ભ્રૂણમા તે બીમારી છે કે નહીં.
4/6

ગર્ભપાતનો ખતરો ઘટાડો: કેટલાક રોગોના કારણે ગર્ભપાત થઇ શકે છે. જેનેટિક ટેસ્ટિંગથી આ રોગોને વહેલી તકે શોધી શકાય છે અને ગર્ભપાતનના ખતરાને ઓછો કરી શકાય છે.
5/6

માતાપિતાની ચિંતા ઘટાડે છે: જ્યારે માતાપિતા જાણે છે કે તેમનું બાળક સ્વસ્થ છે, ત્યારે તેમની ચિંતા ઓછી થાય છે. તેનાથી તેમને ગર્ભાવસ્થા દરમિયાન માનસિક શાંતિ મળે છે.
6/6

IVF પ્રક્રિયા દરમિયાન જ્યારે ભ્રૂણ બને છે ત્યારે તેની કેટલીક કોશિકાઓની તપાસ કરવામાં આવે છે. આ તપાસને પ્રી-ઇમ્પ્લાન્ટેશન જેનેટિક ટેસ્ટિંગ (PGT) કહેવામાં આવે છે.
Published at : 25 Jul 2024 12:58 PM (IST)
આગળ જુઓ
Advertisement





















