શોધખોળ કરો
Ahmedabad: અમદાવાદને મળશે વધુ એક નજરાણું, પીએમ મોદી આજે કરશે લોકાર્પણ
Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમને જોડતા 300 મીટરના પુલનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે.
atal bridge
1/9

આ બ્રિજ પૂર્વ અને પશ્ચિમ કાંઠે વિવિધ જાહેર વિકાસ માટે મલ્ટી-લેવલ કાર પાર્કિંગ અને કનેક્ટિવિટી પૂરી પાડશે.
2/9

પશ્ચિમ કાંઠે ફ્લાવર પાર્ક અને ઇવેન્ટ ગ્રાઉન્ડ્સ વચ્ચેના પ્લાઝાથી પૂર્વમાં પ્રસ્તાવિત આર્ટસ, કલ્ચરલ, એક્ઝિબિશન સેન્ટર સુધી જોડાશે.
3/9

ફૂટ ઓવર બ્રિજની ડિઝાઇન અનન્ય છે. તે ટેક્નોલોજીના દૃષ્ટિકોણથી નદીની સાથે શહેરની સ્થિતિ અને સુંદરતામાં પણ વધારો કરશે.
4/9

તેને એન્જિનિયરિંગ અજાયબીનો નમૂનો પણ કહી શકાય. આ ફૂટ ઓવર બ્રિજ સામાન્ય લોકોને સુવિધા તો આપશે જ પરંતુ અમદાવાદના સાબરમતી રિવર ફ્રન્ટની સુંદરતામાં પણ વધારો કરશે.
5/9

આ બ્રીજની કુલ લંબાઈ 300 મીટર છે. 2600 મેટ્રીક સ્ટીલનું વજન છે. બ્રિજના છેડાના ભાગે પહોળાઈ દસ મીટર અને વચ્ચેના ભાગમાં 14 મીટર છે.
6/9

બ્રીજ ઉપર વુડન ફલોરીંગ અને ગ્રેનાઈટ ફલોરીંગ કરવામાં આવ્યું છે. સ્ટેઈનલેશ સ્ટીલ અને ગ્લાસની રેલીંગ આકર્ષક લુક આપે છે.
7/9

બ્રીજના પશ્ચિમ કાંઠે ફલાવર ગાર્ડન છે. આ પુલ ફક્ત ચાલવા માટે જ બનાવાયો છે.
8/9

74 કરોડના ખર્ચે આ પુલ બનાવવામાં આવ્યો છે.
9/9

પીએમ મોદી આજે સાંજે બ્રીજનું લોકાર્પણ કરશે અને તેની સાથે અમદાવાદનો વધું એક નજરાણું મળશે.
Published at : 27 Aug 2022 09:32 AM (IST)
આગળ જુઓ
Advertisement





















