શોધખોળ કરો
ગુરુપૂર્ણિમાને લઈ રાજ્યના યાત્રાધામોમાં ઉમટ્યા ભક્તો, જુઓ ક્યાં કેવો જોવા મળ્યો માહોલ?
તસવીરઃ વડતાલ સ્વામિનારાયણ મંદિર.
1/5

અંબાજીઃ આજે ગુરુ પૂર્ણિમા હોવાથી લોકો પોતાના ગુરુદ્વારે દર્શન માટે જાય છે. તેમજ યાત્રાધામોમાં પણ આ દિવસે લોકો દર્શન માટે જતા હોય છે, ત્યારે ગુરુપૂર્ણિમાને લઈ અંબાજીમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. મા અંબાને ગુરુ માની શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. કોરોનાની ગાઈડલાઈન અનુસાર દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.
2/5

યાત્રાધામ શામળાજી ખાતે ગુરૂ પૂર્ણિમા નિમિત્તે ભક્તો ઉમટ્યા હતા. ભગવાન શામળિયાના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તો ઉમટ્યા હતા. ગુરૂ પૂર્ણિમાએ ભગવાન અને ગુરૂના દર્શનનું અનેરૂ મહત્વ છે. શામળીયાને લાલ કલરના વસ્ત્રો અને સોનાંના અલંકારોથી સાંજ કરાયા હતા. મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કર્યા હતા. મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોએ સોસીયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો.
Published at : 24 Jul 2021 11:18 AM (IST)
આગળ જુઓ




















