શોધખોળ કરો
સુરતના પલસાણામાં ખાડીપૂરથી તારાજી, 300થી વધુ ઘરોમાં 3થી 4 ફૂટ સુધીના પાણી ભરાયા
સુરતમાં ખાડી પૂરથી અનેક વિસ્તારો પાણીમા ગરકાવ થયા હતા. સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઓલપાડ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
મકાનો ખાડીપૂરમાં ગરકાવ થયા હતા
1/6

સુરતમાં ખાડી પૂરથી અનેક વિસ્તારો પાણીમા ગરકાવ થયા હતા. સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઓલપાડ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. સુરત જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની છે આગાહી કરવામાં આવી છે. સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. કારેલી ગામની રૂદ્રાક્ષ રેસિડન્સી વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. વરસાદના વિરામ છતા હજુ સુધી નથી ઘરોમાંથી વરસાદના પાણી ઓસર્યા નથી. 250થી વધુ મકાનો ખાડીપૂરમાં ગરકાવ થયા હતા.
2/6

સુરતના પલસાણામાં ખાડીપૂરથી તારાજી સર્જાઇ હતી. કારેલી ગામની સોસાયટીઓ હજુ પણ પાણીમાં ગરકાવ થઇ છે. સવર્ણ વીલા સોસાયટીમાં કેડસમા પાણી ભરાયા હતા. 300થી વધુ ઘરોમાં 3થી 4 ફૂટ સુધીના પાણી ભરાયા હતા.
Published at : 25 Jun 2025 12:52 PM (IST)
આગળ જુઓ





















