![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
World Cup 2023: વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલરોની યાદીમાં સામેલ થયો બુમરાહ, જુઓ પૂરી યાદી
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પાકિસ્તાન સામે 2 વિકેટ ઝડપી હતી. આ રીતે જસપ્રીત બુમરાહ વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલરોની યાદીમાં સામેલ થઈ ગયો છે.
![World Cup 2023: વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલરોની યાદીમાં સામેલ થયો બુમરાહ, જુઓ પૂરી યાદી most wickets for india in world cup jasprit bumrah ind vs pak latest sports news World Cup 2023: વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલરોની યાદીમાં સામેલ થયો બુમરાહ, જુઓ પૂરી યાદી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/5b36e12ccb88a97c304c7bd2f1bc87b0169729414847778_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Most Wicket For India In World Cup: ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પાકિસ્તાન સામે 2 વિકેટ ઝડપી હતી. આ રીતે જસપ્રીત બુમરાહ વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલરોની યાદીમાં સામેલ થઈ ગયો છે. જસપ્રીત બુમરાહે અત્યાર સુધી વર્લ્ડ કપમાં 26 વિકેટ લીધી છે. જસપ્રીત બુમરાહ વર્લ્ડ કપમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર છઠ્ઠો બોલર બની ગયો છે. જસપ્રીત બુમરાહ પ્રથમ વખત વર્લ્ડ કપ 2019માં ભારત તરફથી રમ્યો હતો. ભારત માટે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં જવાગલ શ્રીનાથ અને ઝહીર ખાન ટોચ પર છે.
આ બોલરોએ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ વિકેટ લીધી છે
જવાગલ શ્રીનાથ અને ઝહીર ખાને વર્લ્ડ કપમાં ભારત માટે 44-44 વિકેટ લીધી હતી. જ્યારે આ યાદીમાં પૂર્વ ભારતીય સ્પિનર અનિલ કુંબલે ત્રીજા સ્થાને છે. અનિલ કુંબલેના નામે વર્લ્ડ કપ મેચોમાં 31 વિકેટ છે. આ સિવાય મોહમ્મદ શમીએ વર્લ્ડ કપ મેચોમાં 31 વિકેટ પોતાના નામે કરી છે. પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવના નામે 28 વિકેટ છે. જ્યારે જસપ્રીત બુમરાહે 26 વિકેટ લીધી છે. જસપ્રીત બુમરાહ પછી મનોજ પ્રભાકર છે. મનોજ પ્રભાકરે વર્લ્ડ કપ મેચોમાં 24 વિકેટ લીધી હતી.
ભારત-પાકિસ્તાન મેચ
વર્લ્ડ કપની 12મી મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું. ભારતે ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાની આગામી મેચ 19 ઓક્ટોબરે પુણેમાં બાંગ્લાદેશ સામે થશે. આ સાથે જ પાકિસ્તાનની ટીમ 20મીએ બેંગ્લોરમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. વર્લ્ડકપની આ મેચમાં ટીમ ઈન્ડિયાને 7 વિકેટથી શાનદાર જીત મળી છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનની ટીમ 42.5 ઓવરમાં 191 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ભારતે 30.3 ઓવરમાં ત્રણ વિકેટે 192 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ ઈતિહાસમાં પાકિસ્તાન સામે જીતનો સિલસિલો યથાવત રાખ્યો છે. વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ભારતની આ 8મી જીત છે.
જો ભારત-પાકિસ્તાન મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલી પાકિસ્તાની ટીમ 42.5 ઓવરમાં 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ભારતીય ટીમને 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહ ઉપરાંત હાર્દિક પંડ્યા, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાને 2-2 સફળતા મળી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)