Rajkot Accident Case : અકસ્માતમાં ઘાયલ યુવકનું મોત , પરિવારનો લાશ સ્વીકારવા ઇનકાર ; 2ની ધરપકડ
Rajkot Accident Case : અકસ્માતમાં ઘાયલ યુવકનું મોત , પરિવારનો લાશ સ્વીકારવા ઇનકાર ; 2ની ધરપકડ
રાજકોટમાં ન્યારી ડેમ રોડ પર 21 માર્ચે અકસ્માત સર્જાયો જેમાં સારવાર હેઠળનાં 18 વર્ષીય યુવકનું મોત થયું છે. અકસ્માત સર્જનાર નબીરાઓ કાર મૂકી ફરાર થઇ ગયા હતા. અકસ્માત સર્જનાર સૌરાષ્ટ્ર યુનિ.ના કાયદા વિભાગના HOD રાજુ દવેનો પુત્ર તેમજ ભાભા ગેસ્ટ હાઉસના માલિકનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. આરોપ છે કે નબીરાઓએ વગનો ઉપયોગ કરી પોલીસ સાથે સેટિંગ કરી હતી. જેના પગલે તેમને ડ્રાઈવરની અદલા બદલી કરી નાખી છે. પોલીસે સગીર સહિત 2 આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.
નબીરા નહીં પણ ડ્રાઇવર પ્રવિણસિંહ જાડેજા ડ્રાઇવિંગ કરતો હતો તેવું દર્શાવાઇ રહ્યું છે. અકસ્માતનાં ઘટનાક્રમના CCTV સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ફરિયાદીનો આરોપ છે કે પોલીસ તેમને સહકાર નથી આપી રહી. તો બીજી તરફ પોલીસ ફરિયાદીનું લખાણ ટાંકી કહી રહી છે કે આરોપો પાયાવિહોણાં છે.





















