સુરતમાં ભાજપ કાર્યાલય પર રેમડેસિવિરનું વિતરણ કરાયું હતું. જરૂરીયાતવાળા દર્દીને રેમડેસિવિર ઈન્જેકશન આપવામાં આવ્યા હતા.  ટોકન વ્યવસ્થા કરીને લોકોને લાઈનમાં બેસાડીને વિતરણ કરાયુ હતું. આ પ્રસંગે સી.આર. પાટીલ ઉપરાંત રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણી પણ હાજર રહ્યા હતા. કોગ્રેસે આ અંગે સવાલો ઉઠાવ્યા હતા.