શોધખોળ કરો

Gujarat Agriculture News: લાભપાંચમના શુભદિવસથી માર્કેટયાર્ડમાં હરાજીનો થયો પ્રારંભ, જાણો કપાસ અને મગફળીનો કેટલો બોલાયો ભાવ

ખેડૂતોને કપાસના 1600 થી 1700, મગફળીમાં 1150 થી 1350 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોમાં નીરસતા જોવા મળી રહી છે. મગફળીના સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો હાલ ખુલ્લા બજારમાં વેચાણ કરી રહ્યા છે.

Gujarat Agriculture News: લાભપાંચમથી સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડ ફરીથી ધમધમતા થયા છે અને હરાજીનો પ્રારંભ થયો છે. ભાવનગર જિલ્લાના તળાજા અને મહુવા માર્કેટયાર્ડ ખાતે આજથી હરાજીનો પ્રારંભ થયો છે. તળાજા માર્કેટયાર્ડમાં 5 હજાર ગુણી મગફળી અને 3500 મણ કપાસની આવક થઈ છે. મહુવા માર્કેટયાર્ડમાં 22 હજાર ગુણી મગફળી અને 3 હજાર મણ કપાસની આવક થઈ છે.

કપાસ અને મગફળીનો કેટલો બોલાયો ભાવ

ખેડૂતોને કપાસના 1600 થી 1700 અને મગફળીમાં 1150 થી 1350 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોમાં નીરસતા જોવા મળી રહી છે. મગફળીના સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો હાલ ખુલ્લા બજારમાં વેચાણ કરી રહ્યા છે. ભાવનગર માર્કેટયાર્ડમાં 31 ઓકટો. સોમવારથી રાબેતા મુજબ હરાજીનું કાર્ય શરૂ થશે.


Gujarat Agriculture News: લાભપાંચમના શુભદિવસથી માર્કેટયાર્ડમાં હરાજીનો થયો પ્રારંભ, જાણો કપાસ અને મગફળીનો કેટલો બોલાયો ભાવ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક

સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ છે. લાભપાંચમના દિવસે વિવિધ જણસીની આવક થવા પામી છે. મગફળી,લસણ,સોયાબીન,ડુંગળી,કપાસ સહિતની જણસીની આવક નોંધાઈ છે. મગફળીની અંદાજે 1 લાખ ગુણીની આવક નોંધાઈ છે. 20 કિલોના ભાવ 1000 થી 1381 સુધીના બોલાયા છે. કપાસની 20 હજાર ભારીની આવક નોંધાઈ છે. કપાસના 20 કિલોના ભાવ 1200 થી 1681 સુધીના ભાવ બોલાયા હતા. લસણની 20 હજાર ગુણીની આવક નોંધાઈ છે, લસણના 20 કિલોના ભાવ 100 થી 350 સુધીના ભાવ બોલાયા હતા. ડુંગળીની 10 હજાર કટ્ટા ની આવક નોંધાઈ છે, 20 કિલોનો ભાવ 150 થી 475 સુધીનો બોલાયો હતો. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવતા હોય છે.

પાક માટે વરદાન સાબિત થયું નેનો યુરિયા

કના સારા ઉત્પાદન માટે ઘણા પ્રકારના ખાતર-ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં જૈવિક ખાતરનો ઉપયોગ જમીન અને પર્યાવરણ માટે સલામત છે, પરંતુ રાસાયણિક ખાતરો જમીનની ફળદ્રુપતા ઘટાડે છે. આ સાથે પર્યાવરણને પણ અનેક પ્રકારના નુકસાન થાય છે. રાસાયણિક ખાતરો જમીનમાં પ્રદૂષણનું પ્રમાણ વધારે છે. તેના ઉપયોગથી ભૂગર્ભજળનું સ્તર પણ નોંધપાત્ર રીતે ઘટે છે, તેથી જૈવિક ખાતરો અને જૈવિક ખાતરોના ઉપયોગને મહત્વ આપવામાં આવે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં નેનો યુરિયા એક સુરક્ષિત વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. નેનો યુરિયા લિક્વિડ ફર્ટિલાઇઝર યુરિયાનું પ્રવાહી સ્વરૂપ છે. નાઈટ્રોજન તેના થોડા ટીપાં દ્વારા જ છોડને પૂરો પાડવામાં આવે છે. સૌથી સારી વાત એ છે કે નેનો યુરિયા પર્યાવરણને કોઈ નુકસાન કરતું નથી. આ સ્પ્રેના થોડા ટીપાં પૂરતા છે, જે જમીન અને છોડ દ્વારા શોષાય છે.

નેનો યુરિયાનો ઉપયોગ કરવાની સાચી રીત

અત્યાર સુધી યુરિયા માત્ર સફેદ પાવડર અથવા ગ્રાન્યુલ્સના રૂપમાં જ ઉપલબ્ધ હતું, પરંતુ હવે વૈજ્ઞાનિકોએ ઇકો-ફ્રેન્ડલી નેનો લિક્વિડ યુરિયાને બજારમાં ઉતારી છે. પાક પર પ્રવાહી યુરિયાનો છંટકાવ કરવો ખૂબ જ સરળ છે. જ્યાં ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હતા, તેઓને ચામડીના ચેપ અને આરોગ્યને લગતી ઘણી સમસ્યાઓ થતી હતી. આવી સ્થિતિમાં, પ્રવાહી યુરિયાને સ્પર્શ કર્યા વિના અને કોઈપણ નુકસાન વિના પાક પર છંટકાવ કરી શકાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

હરિદ્વાર: માનસા દેવીના પગપાળા માર્ગ પર મચી નાસભાગ, 7 લોકોના મોત, અનેક ઘાયલ
હરિદ્વાર: માનસા દેવીના પગપાળા માર્ગ પર મચી નાસભાગ, 7 લોકોના મોત, અનેક ઘાયલ
આજે રાજ્યના ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ,વડગામમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર
આજે રાજ્યના ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ,વડગામમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર
તમારા ખાતામાં આ દિવસે આવી શકે છે કિસાન યોજનાનો 20મો હપ્તો,જાણો લેટેસ્ટ અપડેટ
તમારા ખાતામાં આ દિવસે આવી શકે છે કિસાન યોજનાનો 20મો હપ્તો,જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા માટે તારણહાર બન્યા ગિલ અને રાહુલ, 311 રનની લીડ ઘટીને માત્ર 137 રહી; જાણો ચોથા દિવસના તમામ અપડેટ
ટીમ ઈન્ડિયા માટે તારણહાર બન્યા ગિલ અને રાહુલ, 311 રનની લીડ ઘટીને માત્ર 137 રહી; જાણો ચોથા દિવસના તમામ અપડેટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં 'ટેન્કર રાજ' ?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બાબા
Hun To Bolish : હું તો બોલીશ : યુવાન બેકાર, સિનિયર સિટીઝનને નોકરી !
Ambalal Patel Prediction : રાજ્યમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat News: ભાજપના વધુ એક ધારાસભ્યએ લગાવ્યો સરકારી અધિકારી પર ભ્રષ્ટાચારનો આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હરિદ્વાર: માનસા દેવીના પગપાળા માર્ગ પર મચી નાસભાગ, 7 લોકોના મોત, અનેક ઘાયલ
હરિદ્વાર: માનસા દેવીના પગપાળા માર્ગ પર મચી નાસભાગ, 7 લોકોના મોત, અનેક ઘાયલ
આજે રાજ્યના ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ,વડગામમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર
આજે રાજ્યના ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ,વડગામમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર
તમારા ખાતામાં આ દિવસે આવી શકે છે કિસાન યોજનાનો 20મો હપ્તો,જાણો લેટેસ્ટ અપડેટ
તમારા ખાતામાં આ દિવસે આવી શકે છે કિસાન યોજનાનો 20મો હપ્તો,જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા માટે તારણહાર બન્યા ગિલ અને રાહુલ, 311 રનની લીડ ઘટીને માત્ર 137 રહી; જાણો ચોથા દિવસના તમામ અપડેટ
ટીમ ઈન્ડિયા માટે તારણહાર બન્યા ગિલ અને રાહુલ, 311 રનની લીડ ઘટીને માત્ર 137 રહી; જાણો ચોથા દિવસના તમામ અપડેટ
ટેકઓફ થતાં જ નિકળવા લાગ્યો ધુમાડો...એરપોર્ટ પર પ્લેનના લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, 179 પેસેન્જરના જીવ તાળવે ચોટ્યા
ટેકઓફ થતાં જ નિકળવા લાગ્યો ધુમાડો...એરપોર્ટ પર પ્લેનના લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, 179 પેસેન્જરના જીવ તાળવે ચોટ્યા
ધીમે ધીમે પાણીમાં ડૂબી રહ્યા છે દુનિયાના આ શહેરો,લીસ્ટમાં ભારતનું આ સીટી પણ સામેલ
ધીમે ધીમે પાણીમાં ડૂબી રહ્યા છે દુનિયાના આ શહેરો,લીસ્ટમાં ભારતનું આ સીટી પણ સામેલ
Hariyali Trij 2025: શું હરિયાળી ત્રીજ વ્રત દરમિયાન ચા પી શકાય?
Hariyali Trij 2025: શું હરિયાળી ત્રીજ વ્રત દરમિયાન ચા પી શકાય?
વાવાઝોડા જેવો વરસાદ! ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ: ક્યાંક ભારે, ક્યાંક અતિભારે; જાણો તમારા જિલ્લામાં કેવા વાદળો ઘેરાશે
વાવાઝોડા જેવો વરસાદ! ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ: ક્યાંક ભારે, ક્યાંક અતિભારે; જાણો તમારા જિલ્લામાં કેવા વાદળો ઘેરાશે
Embed widget