શોધખોળ કરો

Navratri 2023: નવરાત્રિને લઈ પાવાગઢ મંદિર ખાતે દર્શનના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર, રાત્રે 9 વાગ્યા સુધી કરી શકાશે માતાજીના દર્શન

એકમ, આઠમ અને પૂનમનાં રોજ નિજ મંદિરનાં દ્વારા સવારે 4 વાગ્યે ખુલશે અને રાત્રિના 9 કલાક સુધી માતાજીના દર્શન કરી શકાશે.

Navratri 2023: આસો નવરાત્રિને લઈ પાવાગઢ મંદિર ખાતે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આસો સુદ એકમથી પૂનમ સુધી દર્શનનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એકમ, આઠમ અને પૂનમનાં રોજ નિજ મંદિરનાં દ્વારા સવારે 4 વાગ્યે ખુલશે અને રાત્રિના 9 કલાક સુધી માતાજીના દર્શન કરી શકાશે. જ્યારે અન્ય દિવસો દરમિયાન મંદિરનાં દ્વાર સવારે 5 વાગ્યે ખોલવામાં આવશે અને રાત્રિના 9 ક્લાક સુધી મંદિરનાં દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશે. શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

ગ્રહણના પડછાયા હેઠળ નવરાત્રિ શરૂ થશે

વર્ષનું બીજું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરે થવા જઈ રહ્યું છે. ગ્રહણ બાદ તરત જ શારદીય નવરાત્રિ શરૂ થશે. શનિવારે, 14 ઓક્ટોબર, 2023 ના રોજ, સૂર્યગ્રહણ રાત્રે 8:34 વાગ્યે થશે, જે લગભગ 6 કલાક ચાલશે અને બપોરે 2:35 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ગ્રહણના પડછાયા હેઠળ નવરાત્રિ શરૂ થશે. ગ્રહણને શુભ માનવામાં આવતું નથી કારણ કે ગ્રહણના સમયે સુતક કાળ શરૂ થાય છે.

શારદીય નવરાત્રિની તારીખ સૂર્યગ્રહણના સમયે નક્કી કરવામાં આવશે. નવરાત્રિ તિથિ 14 ઓક્ટોબર, 2023 શનિવારના રોજ રાત્રે 11:24 કલાકે હશે, તે સમયે ગ્રહણનો સમયગાળો ચાલુ રહેશે. પરંતુ સૂર્યગ્રહણની અસર નવરાત્રિની પૂજા પર પડતી નથી. નવરાત્રિમાં ઘટસ્થાપનને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. એટલા માટે નવરાત્રિની તારીખ શરૂ થયા પછી પણ ગ્રહણની કોઈ અસર નહીં થાય. કારણ કે ઘટસ્થાપનનો સમય સવારનો હશે. ઘટસ્થાપન સમયે સંપૂર્ણ વિધિપૂર્વક સ્થાપના કરવી જોઈએ.


Navratri 2023: નવરાત્રિને લઈ પાવાગઢ મંદિર ખાતે દર્શનના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર, રાત્રે 9 વાગ્યા સુધી કરી શકાશે માતાજીના દર્શન

ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત

  • તમે 15 ઓક્ટોબર, 2023 ને રવિવારના રોજ સવારે 11:40 થી બપોરે 12:42 સુધી ઘટસ્થાપન કરી શકો છો.
  • ગ્રહણ પછી ઘટસ્થાપન કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું
  • સૂર્યગ્રહણ દરમિયાન સુતકનો સમયગાળો શરૂ થાય છે. એટલા માટે આપણે ગ્રહણ પછી પૂજાની તમામ વસ્તુઓને શુદ્ધ કરવી પડશે.
  • સૂર્યગ્રહણ સમાપ્ત થયા બાદ આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો.
  • ત્યારબાદ સ્નાન કર્યા પછી તુલસીના છોડ પર ગંગાજળનો છંટકાવ કરો.
  • આ પછી, દાન કરો, જો તમે બહાર જઈ શકતા નથી, તો દાનમાં આપેલી વસ્તુઓને ઘરમાં અલગથી મૂકી દો.
  • આ પછી શુભ મુહૂર્તમાં ઘટસ્થાપન કરવું.

નવરાત્રિના પૂજાના નિયમો

  • જો તમે નવરાત્રિ દરમિયાન ઉપવાસ રાખો છો, તો ધ્યાનમાં રાખો કે, વ્રતના નિયમોનું સંપૂર્ણ પાલન કરવું જરૂરી છે. જો તમે વ્રત ન રાખી શકતા હોવ તો તમે વિધિ પ્રમાણે પૂજા પણ કરી શકો છો. જો તમારું સ્વાસ્થ્ય તમને સાથ આપતું હોય તો માત્ર નવ દિવસ જપ માળા અને પૂજનથી પણ માના આશિષ મેળવી શકાય છે.
  • નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાને તુલસી કે દુર્વા ન ચઢાવવા જોઇએ.
  • નવરાત્રિની પૂજામાં ઉપયોગમાં લેવાતી રોલી અથવા કુમકુમથી  પૂજા સ્થાનના બંને દરવાજાની બંને બાજુ સ્વસ્તિક બનાવવું શુભ મનાય છે.
  • નવરાત્રિના દિવસોમાં દુર્ગા સપ્તશતીનો પાઠ અવશ્ય કરો. પાઠની સાથે સાથે કવચ અને કિલક અર્ગલાનો પણ પાઠ કરવો જોઈએ. જો તમે દરરોજ પ્રકરણ 1 થી 13 અધ્યાનના પાઠ નથી કરી શકતા તો , તો દરરોજ એક ચરિત્રનો પાઠ કરો. સપ્શતીને  3 ચરિત્રમાં  વહેંચવામાં આવે છે: પ્રથમ, મધ્યમા અને ઉત્તમ.
  • નવરાત્રિ દરમિયાન નવ કન્યાઓને ભોજન અચૂક કરાવો. નવરાત્રિ દરમિયાન  નવ કન્યાઓને નવદુર્ગા માનીને તેમની પૂજા કરો અને તેમને ભોજન કરાવો તેમજ તેમને શૃંગારની વસ્તુઓ ભેટ આપીને સન્માનભેર વિદાય આપો.
  • નવરાત્રિ દરમિયાન દરરોજ દેવી દુર્ગાને ફળ ચઢાવો. આ ફળ અર્પણ કર્યા પછી, તેને બાળકીઓમાં  વહેંચો દો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હાર્દિક પટેલ સહિતના આ ચાર પાટીદાર નેતાઓ પર ભાજપ સરકાર મહેરબાન, 14 કેસ પરત ખેંચ્યાનો દાવો
હાર્દિક પટેલ સહિતના આ ચાર પાટીદાર નેતાઓ પર ભાજપ સરકાર મહેરબાન, 14 કેસ પરત ખેંચ્યાનો દાવો
મોંઘી EMIથી મળશે રાહત,RBI એ 5 વર્ષ પછી રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો
મોંઘી EMIથી મળશે રાહત,RBI એ 5 વર્ષ પછી રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો
Jeet Adani Wedding: કડક સુરક્ષા વચ્ચે આજે જીત અદાણી અને દિવા શાહના લગ્ન, ગૌતમ અદાણીની સિક્યોરીટીમાં ખડેપગે રહેશે 22 જવાનો
Jeet Adani Wedding: કડક સુરક્ષા વચ્ચે આજે જીત અદાણી અને દિવા શાહના લગ્ન, ગૌતમ અદાણીની સિક્યોરીટીમાં ખડેપગે રહેશે 22 જવાનો
Gujarat: કાતિલ ઠંડીનું મોજુ ફરી આવશે, આગામી 48 કલાક ભારે, જાણો આજે ક્યાં કેટલું નોંધાયુ તાપમાન
Gujarat: કાતિલ ઠંડીનું મોજુ ફરી આવશે, આગામી 48 કલાક ભારે, જાણો આજે ક્યાં કેટલું નોંધાયુ તાપમાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel:ભારે પવન સાથે માવઠાની કરાઈ આગાહી, ક્યાં ક્યાં ખાબકશે વરસાદ?Income Tax Bill: કેન્દ્રીય કેબિનેટમાં ઈન્કમ ટેક્સ બિલની મંજૂરીને લઈને મોટા સમાચાર, જુઓ વીડિયોમાંBig Breaking: મધ્યમ વર્ગને મોટી રાહત, RBIએ રેપોરેટમાં કર્યો ઘટાડો | Abp AsmitaCM Bhupendra Patel:કુંભમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લગાવશે આસ્થાની ડુબકી | Mahakumbh 2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હાર્દિક પટેલ સહિતના આ ચાર પાટીદાર નેતાઓ પર ભાજપ સરકાર મહેરબાન, 14 કેસ પરત ખેંચ્યાનો દાવો
હાર્દિક પટેલ સહિતના આ ચાર પાટીદાર નેતાઓ પર ભાજપ સરકાર મહેરબાન, 14 કેસ પરત ખેંચ્યાનો દાવો
મોંઘી EMIથી મળશે રાહત,RBI એ 5 વર્ષ પછી રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો
મોંઘી EMIથી મળશે રાહત,RBI એ 5 વર્ષ પછી રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો
Jeet Adani Wedding: કડક સુરક્ષા વચ્ચે આજે જીત અદાણી અને દિવા શાહના લગ્ન, ગૌતમ અદાણીની સિક્યોરીટીમાં ખડેપગે રહેશે 22 જવાનો
Jeet Adani Wedding: કડક સુરક્ષા વચ્ચે આજે જીત અદાણી અને દિવા શાહના લગ્ન, ગૌતમ અદાણીની સિક્યોરીટીમાં ખડેપગે રહેશે 22 જવાનો
Gujarat: કાતિલ ઠંડીનું મોજુ ફરી આવશે, આગામી 48 કલાક ભારે, જાણો આજે ક્યાં કેટલું નોંધાયુ તાપમાન
Gujarat: કાતિલ ઠંડીનું મોજુ ફરી આવશે, આગામી 48 કલાક ભારે, જાણો આજે ક્યાં કેટલું નોંધાયુ તાપમાન
Mahashivratri 2025: મહાશિવરાત્રી પર બની રહ્યો છે આ દુર્લભ યોગ, આ રાશિના જાતકોનું ચમકશે નસીબ
Mahashivratri 2025: મહાશિવરાત્રી પર બની રહ્યો છે આ દુર્લભ યોગ, આ રાશિના જાતકોનું ચમકશે નસીબ
Shani Dev: મહાશિવરાત્રી પછી કુંભ રાશિમાં અસ્ત થઇને શનિદેવ આ રાશિઓને આપશે રાહત
Shani Dev: મહાશિવરાત્રી પછી કુંભ રાશિમાં અસ્ત થઇને શનિદેવ આ રાશિઓને આપશે રાહત
Rain: ભારે પવનો સાથે માવઠું થવાની અંબાલાલની આગાહી, કેટલા જિલ્લામાં ક્યાં પડશે કમોસમી વરસાદ ?જાણો
Rain: ભારે પવનો સાથે માવઠું થવાની અંબાલાલની આગાહી, કેટલા જિલ્લામાં ક્યાં પડશે કમોસમી વરસાદ ?જાણો
Heart Attack: દુકાનમાં કામ કરતો યુવાન ઓચિંતો ઢળી પડ્યો, રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એક મોત
Heart Attack: દુકાનમાં કામ કરતો યુવાન ઓચિંતો ઢળી પડ્યો, રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એક મોત
Embed widget