શોધખોળ કરો

Covid update: શું ફરી માસ્ક પહેરવાનો સમય આવી ગયો છે? છ મોત અને વધતા કોરોના કેસ પર શું કહે છે નિષ્ણાંતો

Covid update: કોરોનાના ઝડપથી વધી રહેલા કેસ બાદ સમગ્ર દેશમાં ભયનું વાતાવરણ છે.

India Covid Situation: કોરોનાના ઝડપથી વધી રહેલા કેસ બાદ સમગ્ર દેશમાં ભયનું વાતાવરણ છે. સૌથી ખરાબ સ્થિતિ કેરળમાં છે. 24 કલાકમાં (ગુરુવાર, 21 ડિસેમ્બર સુધી) દેશભરમાં 358 કેસ નોંધાયા છે જેમાંથી 300 લોકો એકલા કેરળમાં નોંધાયા છે.

કર્ણાટક, તમિલનાડુ અને ગોવામાં પણ ચિંતા વધવા લાગી છે કારણ કે કર્ણાટકમાં પણ તાજેતરમાં કોરોનાને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. રાજધાની દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં ભાજપના એક કાઉન્સિલરને ચેપ લાગ્યો હોવાની પુષ્ટી થઈ છે. નેપાળથી પરત ફરેલી વ્યક્તિ નોઈડામાં પોઝિટિવ મળી આવી છે. આ પછી દેશભરમાં આ પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે: શું ફરીથી માસ્ક પહેરવાનો સમય આવી ગયો છે? આ વિશે નિષ્ણાતોનો અભિપ્રાય શું છે?

7 મહિના પછી ફરી કોરોનાના કેસ વધવા લાગ્યા

દેશમાં કોરોનાને કારણે છ લોકોના મોત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોવિડના 2,669 એક્ટિવ કેસ છે. બુધવારે નોંધાયેલા 614 દૈનિક કેસ મે પછીના સૌથી વધુ છે, જેના કારણે ખતરો નોંધપાત્ર રીતે વધી ગયો છે. કોરોનાના નવા સબ-વેરિઅન્ટ JN.1ને કારણે લોકોમાં ભયનું વાતાવરણ છે.

કોરોનાનું નવું સબ-વેરિયન્ટ ખતરનાક નથી

વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને JN.1 તરીકે ક્લાસીફાઇડ કર્યું છે. હાલમાં ઉપલબ્ધ પુરાવા દર્શાવે છે કે કોઈ મોટું જોખમ નથી. "ઉત્તરમાં શિયાળાની શરૂઆત સાથે JN.1 ઘણા દેશોમાં શ્વસન ચેપમાં વધારો તરફ દોરી શકે છે," WHOએ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું હતું.

WHOના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે જે લોકો ગંભીર રીતે બીમાર હોય અથવા લાંબા સમયથી સમસ્યાઓથી પીડાતા હોય આવા લોકોને વધુ જોખમ હોય છે. જેના કારણે હાર્ટ એટેક, સ્ટ્રોક અને માનસિક સ્વાસ્થ્ય જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો કે બંને નિષ્ણાતોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે નવો પ્રકાર વધુ ચેપી છે પરંતુ તે હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ નથી.

જે લોકોએ કોરોનાની રસી લીધી છે તેમના પર ખતરો નથી

વાસ્તવમાં ભારતમાં કોરોના રસીકરણ પછી લોકોને નવા વાયરસથી ઓછું જોખમ છે. ડૉ. સ્વામીનાથને એમ પણ કહ્યું કે 2020માં કોરોનાની પ્રથમ લહેર અને 2021માં ઘાતક ડેલ્ટા વેવથી ભારતની આરોગ્ય પ્રણાલીમાં નોંધપાત્ર સુધારો થયો છે. દેશ કોરોનાના વધતા જતા કેસોને કાબૂમાં લેવા માટે તૈયાર છે. ડો.સ્વામીનાથને લોકોને કોરોના અંગે સાવચેતી રાખવા પર ભાર મૂક્યો હતો. તેમણે વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ (કોમોર્બિડિટીઝ) ધરાવતા લોકોએ માસ્ક પહેરવાનું શરૂ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Embed widget