શોધખોળ કરો

Health Tips: સવારે ખાલી પેટ આ ડ્રિન્ક પીવાના છે અદભૂત ફાયદા, આ રીતે બનાવો

આ અધ્યયનના તારણમાં જોવા મળ્યું કે, 78 લોકોના પેટના આકારને ફ્લેટ કરવામાં અને ઇન્સુલિન સંવેદનશીલતામાં સુધાર કરવામાં આ ઉપાય ખૂબ જ કારગર છે.

Health Tips: અનિયમિત જીવનશૈલી અને આહારશૈલીના કારણે મેદસ્વિતા હવે સામાન્ય રીતે મોટા ભાગના લોકોમાં જોવા મળતી સમસ્યા છે. મેદસ્વીતાથી મુક્તિ મેળવવા માટે જિમ, વોકિંગ અને ડાયટિંગ સહિતના અનેક ઉપાય લોકો કરે છે. જો કે ઘણી વખત લાખ કોશિશ થતાં મેદસ્વીતાથી છૂટકારો નથી મળતો, મેદસ્વીતાથી પીડિત લોકો માટે આ ઘરેલુ નુસખો ખૂબ જ કારગર છે.

મેદસ્વીતાથી પીડિત લોકો માટે જીરાનું પાણી એક ઉત્તમ અને સરળ સસ્તો ઘરેલુ ઉપાય છે. એક અધ્યયનમાં જોવા મળ્યું કે, 78 મેદસ્વી લોકોને 2 મહિના માટે દિવસમાં ત્રણ વખત જીરાનું પાણી આપવામાં આવ્યું, આ અધ્યયનના તારણમાં જોવા મળ્યું કે,  78 લોકોના પેટના આકારને ફ્લેટ કરવામાં અને ઇન્સુલિન  સંવેદનશીલતામાં સુધાર કરવામાં આ ઉપાય ખૂબ જ કારગર છે.

આયુર્વૈદ મુજબ જીરામાં ડાયાબિટિસ મારક ગુણ જોવા મળે છે. જીરા પાણી શુગર લેવલને નિયંત્રિત રાખવાનું કામ કરે છે. ડાયાબિટીશના દર્દીમાં જીરા પાણીનું સેવન ફાયદાકારક છે. જીરા પાણી શરીરને ઇન્સુલિન પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવે છે અને રક્ત શર્કરાનું સ્તરને ઓછું કરવામાં ખૂબ જ ફાયદા કારક છે.

જીરામાં એવા યોગિક શક્તિશાળી ગુણો છે કે, જે શરીરને ફ્રીરેડિકલ્સથી સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જે પ્રાકૃતિક રીતે  લિવરના ડિટોક્સીફિકેશને સપોર્ટ કરવાની સાથે અપશિષ્ટને પણ શરીરમાંથી બહાર કાઢવામાં સહાયક છે. તેનાથી પાચન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.

જીરામાં એન્ટીએસેડિક રસાયણ હોય છે. જે ઇરેટેબલ  બાઉલ સિન્ડ્રોમની સમસ્યાથી બચાવે છે. ઉપરાંત જીરા પાણીના સેવનથી અપચો, પેટ ફુલી જવું જેવી સમસ્યાથી પણ રાહત મળે છે. તે આંતરડા માટે પણ હિતકારી છે.

જીરા પાણી બનાવવાની રીત
રાત્રે 2 ચમચી જીરૂ પાણીમાં પલાળી દો. સવારે આ જીરાના પાણીમાં ઉકાળી લો અને તેનું પાણી ગાળીને  સવારે ભૂખ્યા પેટે પી જાઓ. બાકી રહેલું પલાળેલું જીરૂ ચાવી જાવ. આવું કરવાથી શરીરની ફેટ બર્ન થશે અને પેટ પર જામેલી ચરબી પણ ઉતરતી જશે. જીરા પાણી બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે જેના કારણ હાર્ટ અટેકનો ખતરો પણ ટળે છે. 

Dry Fruits For Skin: રોજ  ખાવો આ ઓઇલી ફૂડ, હેલ્થની સાથે બ્યુટી પણ નિખારશે

ભૂમિ પેડનેકરે આપી દિવાલી પાર્ટી, જાહ્ન્વી સહિતના સેલેબ્સ પહોંચ્યાં, જુઓ એકટ્રેસની ફેસ્ટિવલ લૂકની તસવીરો

Dry Fruits: શિયાળામાં ત્વચાની શુષ્કતા, ફાટેલા હોઠ અને હાથ-પગની શુષ્ક ત્વચાથી લોકો પરેશાન રહે છે. તેનાથી બચવા માટે ડ્રાય ફ્રુટ્સ ચોક્કસ ખાઓ. તમારે આહારમાં આ 5 ઓઇલી ડ્રાય ફ્રૂટને સામેલ કરો

ડ્રાયફ્રૂટ્સ ખાવાથી ત્વચા અને વાળ સારા રહે છે. રોજ બદામ ખાવાથી સ્થૂળતા ઓછી થાય છે અને ઘણી બીમારીઓ પણ દૂર થાય છે. ડ્રાયફ્રુટ્સ વિટામિન ઈ અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે.બદામમાં વિટામિન E અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. બદામ ખાવાથી ત્વચા પર ગ્લો આવે છે. તે ત્વચાની શુષ્કતા પણ દૂર કરે છે.

કાજુમાં વિટામિન E અને એન્ટી એજિંગ ગુણો જોવા મળે છે. શિયાળામાં કાજુ ખાવાથી સ્કિન ગ્લોઇંગ  બને છે અને શરીર ગરમ રહે છે.

અખરોટ ઓમેગા-3નો ઉત્તમ સ્ત્રોત છે, જે વાળ અને ત્વચાને સ્વસ્થ બનાવે છે. અખરોટ ખાવાથી વિટામિન અને મિનરલ્સની ઉણપ પૂરી થાય છે.

વિટામિન A, વિટામિન B-1 અને B-2 થી ભરપૂર અંજીર પણ શિયાળા માટે  બસ્ટ ડ્રાયફ્રૂટ્ છે. જેના કારણે શરીર ગરમ રહે છે અને ત્વચા સ્વસ્થ બને છે.

પિસ્તામાં વિટામિન ઈ સારી માત્રામાં હોય છે. પિસ્તા ત્વચાને અલ્ટ્રા વાયોલેટ કિરણોથી બચાવે છે અને ત્વચા પર વધતી ઉંમરની અસરને ઓછી કરે છે.  જે ફ્રી રેડિકલ ઘટાડે છે.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
ઘૂળેટીમાં રંગોની મોજ માણતા પહેલા અને પછી આ રીતે કરો સ્કિન કેર, નિષ્ણાતે આપી ટિપ્સ
ઘૂળેટીમાં રંગોની મોજ માણતા પહેલા અને પછી આ રીતે કરો સ્કિન કેર, નિષ્ણાતે આપી ટિપ્સ
સાવધાન! સ્તન કેન્સરના કેસમાં દર વર્ષે 6% નો વધારો, ICMR એ આ 2 આદતોને ગણાવી જોખમી
સાવધાન! સ્તન કેન્સરના કેસમાં દર વર્ષે 6% નો વધારો, ICMR એ આ 2 આદતોને ગણાવી જોખમી
નવજાત શિશુ માટે કેટલા કલાકની ઊંઘ જરૂરી, જાણો નિષ્ણાતો શું કહે છે?
નવજાત શિશુ માટે કેટલા કલાકની ઊંઘ જરૂરી, જાણો નિષ્ણાતો શું કહે છે?

વિડિઓઝ

Surat Police : સુરતમાં તરુણીને વેચનારાની પોલીસે કરી ધરપકડ , જુઓ શું છે આખો મામલો?
Ahmedabad Love Jihad : અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો? હિંદુ સંગઠને મચાવ્યો હંગામો
Hun To Bolish : હું તો બોલીશ : પહેલો ધમકીબાજ પકડાયો
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં કેવી રીતે પડે છે ખેલ?
Hun To Bolish : હું તો બોલીશ : પોટલી અને વ્યવસાયનું રહસ્ય શું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વેપાર, ક્રૂડ ઓઈલ અને નાગરિકોનો જીવ: ઈરાન-ઈઝરાયલ સંઘર્ષની ભારત પર શું થશે અસર?
ભારત પાસે કેટલા દિવસનું ક્રૂડ ઓઇલ બચ્યું છે? ઈરાન-ઇઝરાયલ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતની શું છે તૈયારી? જાણો વિગતે
ભારત પાસે કેટલા દિવસનું ક્રૂડ ઓઇલ બચ્યું છે? ઈરાન-ઇઝરાયલ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતની શું છે તૈયારી? જાણો વિગતે
Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે
Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય! રશિયા પાસેથી ખરીદશે 5 નવી S-400 ડિફેન્સ સિસ્ટમ
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય! રશિયા પાસેથી ખરીદશે 5 નવી S-400 ડિફેન્સ સિસ્ટમ
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?
ચંદ્રગ્રહણ 2026: ગ્રહણ પત્યા પછી તરત જ કરો આ 3 કામ, નહિતર આખું વર્ષ પસ્તાવો થશે
ચંદ્રગ્રહણ 2026: ગ્રહણ પત્યા પછી તરત જ કરો આ 3 કામ, નહિતર આખું વર્ષ પસ્તાવો થશે
ઈરાન-ઇઝરાયલ જંગ: પીએમ મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના પ્રિન્સ સાથે કરી વાત, જાણો કેમ?
ઈરાન-ઇઝરાયલ જંગ: પીએમ મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના પ્રિન્સ સાથે કરી વાત, જાણો કેમ?
Gold Silver Rate: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સોના-ચાંદીમાં મોટો ઘટાડો, એક ઝાટકે 18000 રુપિયા ઘટી કિંમત
Gold Silver Rate: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સોના-ચાંદીમાં મોટો ઘટાડો, એક ઝાટકે 18000 રુપિયા ઘટી કિંમત
Embed widget