શોધખોળ કરો

Semicon India: Semiconductor Manufacturingના ક્ષેત્રમાં પ્રવેશી શકે છે રિલાયન્સ- HCL Tech, ISMC Analogમાં ખરીદી શકે છે હિસ્સેદારી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હવે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં પણ પ્રવેશ કરવાની તૈયારી કરી રહી છે

Semiconductor Manufacturing: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હવે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં પણ પ્રવેશ કરવાની તૈયારી કરી રહી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને આઈટી જાયન્ટ એચસીએલ ટેક (એચસીએલ ટેક્નોલોજીસ) સેમિકન્ડક્ટર વોટર ફેબ માટે અરજી કરનાર કંપની આઈએસએમસી એનાલોગમાં લગભગ 30-30 ટકા હિસ્સો ખરીદવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને શિવ નાદરની HCL ટેક હિસ્સો ખરીદવા માટે રૂ. 4000 કરોડનું રોકાણ કરી શકે છે.

ISMC એનાલોગ એ મુંબઈ સ્થિત નેક્સ્ટ ઓર્બિટ વેન્ચર્સ અને ઈઝરાયેલની ટેક કંપની ટાવર સેમિકન્ડક્ટરનું કન્ઝર્શિયમ છે. કેન્દ્ર સરકારના રૂ. 76000 કરોડના સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્રોગ્રામ હેઠળ સબસિડી માટે અરજી કરનાર ત્રણ કંપનીઓમાં ISMC એનાલોગ પણ સામેલ છે. કંપની કર્ણાટકના મૈસૂરમાં 3 બિલિયન ડૉલરના ખર્ચે ઇલેક્ટ્રોનિક્સ ક્લસ્ટર વિકસાવવા જઈ રહી છે. એવું માનવામાં આવે છે કે કંપની શરૂઆતમાં દર મહિને 40,000 વૉફર્સનું ઉત્પાદન કરશે. પ્લાન્ટમાં 65 નેનોમીટર પર એનલોગ ચિપનું ઉત્પાદન કરવામાં આવશે, જે બાદમાં ઘટાડીને 45 નેનોમીટર કરવામાં આવશે. બીજા તબક્કામાં કંપની 22 નેનોમીટર સાઇઝની ચિપ બનાવશે.

નેક્સ્ટ ઓરબિટે તેના શેરહોલ્ડિંગ માળખામાં ફેરફાર કરવા સરકારને અરજી કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે બે ભારતીય કંપનીઓ પાસે 26 ટકાથી વધુ પરંતુ 51 ટકાથી ઓછો હિસ્સો હશે. જ્યારે Tower Semiconductor પાસે 10 થી 15 ટકા હિસ્સો હશે. બાકીની કંપનીમાં હિસ્સો નેક્સ્ટ ઓર્બિટ પાસે રહેશે. ISMC એનાલોગે હિસ્સો ખરીદનાર કોઈપણ રોકાણકારનું નામ આપવાનો ઇનકાર કર્યો હતો.

જો સોદો પૂર્ણ થાય છે તો વેદાંતા પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને HCL ટેક સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં પ્રવેશે તેવી મોટી કંપનીઓમાં સામેલ થશે. વેદાંતા ફૉક્સકૉન સાથે મળીને ગુજરાતમાં સેમિકન્ડક્ટર બનાવવા માટે 20 બિલિયન ડોલરનું રોકાણ કરવા જઇ રહી છે.

PM Kisan Samman Nidhi Scheme: પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે રજિસ્ટ્રેશનના નિયમોમાં મોટો બદલાવ! હવે જમા કરવું પડશે આ ડૉક્યૂમેન્ટ

PM Kisan Samman Nidhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના(pm kisan samman nidhi scheme)ના 13મા હપ્તાની રકમ ડિસેમ્બર 2022ના અંતિમ સપ્તાહમાં અથવા નવા વર્ષ 2023ના જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે. પરંતુ જે ખેડૂતોએ તેમનું ઈ-કેવાયસી કરાવ્યું નથી, તો તેઓએ તાત્કાલિક તેમનું કેવાયસી કરાવવું જોઈએ નહીંતર 13મા હપ્તાની રકમ બેંક ખાતામાં આવશે નહીં.

નવી નોંધણી માટે રેશનકાર્ડ ફરજિયાત!

જે ખેડૂતોએ હજુ સુધી પીએમ કિસાન યોજના(pm kisan samman nidhi scheme) હેઠળ નોંધણી કરાવી નથી, તો આવા લોકોને રજીસ્ટ્રેશન કરાવવા માટે રેશન કાર્ડની જરૂર પડશે. જે ખેડૂતો પાસે રેશનકાર્ડ નથી તેઓને તાત્કાલિક રેશનકાર્ડ બનાવી લેવા જોઈએ. પીએમ કિસાન યોજનામાં નોંધણી માટે સરકારે રેશન કાર્ડ ફરજિયાત બનાવ્યું છે. આવા લોકો પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા હતા જેઓ તેનો લાભ લેવા લાયક ન હતા. આ છેતરપિંડીથી બચવા માટે રજીસ્ટ્રેશન કરતી વખતે રેશન કાર્ડની કોપી પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. PM કિસાન સન્માન નિધિના રૂ. 2,000 નો હપ્તો પોર્ટલ પર રેશન કાર્ડ નંબર દાખલ કર્યા પછી જ ઉપલબ્ધ થશે. પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે, નોંધણી દરમિયાન, ફરજિયાત રેશન કાર્ડની સાથે દસ્તાવેજોની સોફ્ટ કોપીઓ પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વરસાદમાં કારનું એન્જિન કેવી રીતે રહેશે સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી 'એડ-ઓન પોલિસી' લેવાની સલાહ
વરસાદમાં કારનું એન્જિન કેવી રીતે રહેશે સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી 'એડ-ઓન પોલિસી' લેવાની સલાહ
Insurance Claim: વરસાદમાં ઘરમાં ઘૂસ્યું પાણી કે પૂરમાં ખરાબ થઈ કાર? જાણો કેવી રીતે મળશે વીમાના પૈસા
Insurance Claim: વરસાદમાં ઘરમાં ઘૂસ્યું પાણી કે પૂરમાં ખરાબ થઈ કાર? જાણો કેવી રીતે મળશે વીમાના પૈસા
NHAI ની મોટી જાહેરાત, Fastag માં મફતમાં મેળવો 1000 રુપિયાનું બેલેન્સ, 429 મુસાફરોને મળ્યા પૈસા
NHAI ની મોટી જાહેરાત, Fastag માં મફતમાં મેળવો 1000 રુપિયાનું બેલેન્સ, 429 મુસાફરોને મળ્યા પૈસા
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
Embed widget