શોધખોળ કરો

Vijay Shekhar Sharma: પેટીએમને લઈ મોટા સમાચાર, વિજય શેખર શર્માએ પેમેંટ્સ બેંકના ચેરમેન પદેથી આપ્યું રાજીનામું

Paytm News: પેટીએમ પેમેન્ટ બેંક પર રિઝર્વ બેંકની કાર્યવાહી બાદ બોર્ડમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જને આ માહિતી આપી છે.

Vijay Shekhar Sharma: પેટીએમને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ડિજિટલ પેમેન્ટ કંપની Paytm એ સોમવારે જણાવ્યું હતું કે કંપનીના સ્થાપક વિજય શેખર શર્માએ Paytm પેમેન્ટ બેન્કના પાર્ટ-ટાઇમ નોન-એક્ઝિક્યુટિવ ચેરમેનના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે PPBLના બોર્ડ સભ્ય પદ પરથી પણ રાજીનામું આપી દીધું છે. પેટીએમ પેમેન્ટ બેંક પર રિઝર્વ બેંકની કાર્યવાહી બાદ બોર્ડમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જને આ માહિતી આપી છે.

વિજય શેખર શર્માના રાજીનામા બાદ બેંકના બોર્ડની પણ પુનઃરચના કરવામાં આવી છે. હવે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન શ્રીનિવાસન શ્રીધર બોર્ડના સભ્ય હશે. આ ઉપરાંત નિવૃત્ત IAS દેવેન્દ્રનાથ સારંગી, બેન્ક ઓફ બરોડાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક કુમાર ગર્ગ અને નિવૃત્ત IAS રજની સેખરી સિબ્બલ બોર્ડના સભ્યો હશે.

Paytm પેમેન્ટ બેંકના અસ્તિત્વ પર પ્રશ્ન

આરબીઆઈની કાર્યવાહી બાદ પેટીએમ પેમેન્ટ બેંકના અસ્તિત્વ પર સવાલ ઉઠ્યા છે. વિજય શેખર શર્મા આ બેંકના સૌથી મોટા શેરધારક છે. આરબીઆઈની કડકાઈ બાદ હવે બેંક પાસે કોઈ કામકાજ બાકી નથી.

Paytm એ તેનું એકાઉન્ટ એક્સિસ બેંકમાં શિફ્ટ કર્યું

One97 કોમ્યુનિકેશન, fintech કંપની જે Paytm બ્રાન્ડની માલિકી ધરાવે છે, તેણે તેનું નોડલ એકાઉન્ટ Paytm પેમેન્ટ્સ બેંકમાંથી Axis બેંકમાં શિફ્ટ કર્યું છે. આ પગલાથી, Paytm QR, સાઉન્ડબોક્સ, કાર્ડ મશીન સંબંધિત સેવાઓ ભારતીય રિઝર્વ બેંક દ્વારા નિર્ધારિત 15 માર્ચની તારીખ પછી પણ ચાલુ રાખી શકશે. રિઝર્વ બેંકે Paytm પેમેન્ટ બેંક લિમિટેડ (PPBL) ના ગ્રાહકો અને વેપારીઓને 15 માર્ચ સુધીમાં તેમના ખાતા અન્ય બેંકોમાં ટ્રાન્સફર કરવાની સલાહ આપી છે. કંપનીએ એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેણે સીમલેસ મર્ચન્ટ સેટલમેન્ટ્સ ચાલુ રાખવા માટે તેનું નોડલ એકાઉન્ટ એક્સિસ બેન્ક (એસ્ક્રો એકાઉન્ટ ખોલીને) ટ્રાન્સફર કર્યું છે.

બે ડિરેક્ટરો આપી ચુક્યા છે રાજીનામું

પેટીએમના સ્થાપકના રાજીનામા પહેલા બે સ્વતંત્ર ડિરેક્ટરોએ બોર્ડમાંથી રાજીનામું આપી દીધું હતું. પૂર્વ બેન્ક ઓફ અમેરિકા અને પ્રાઇસ વોટરહાઉસ કૂપર્સ (PWC)ના એક્ઝિક્યુટિવ શિંજિની કુમારે ડિસેમ્બરમાં રાજીનામું આપ્યું હતું, જ્યારે બીજી તરફ SBIના ભૂતપૂર્વ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર મંજુ અગ્રવાલે પણ બોર્ડમાંથી રાજીનામું આપી દીધું છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Embed widget