શોધખોળ કરો

News: આજે ગાંધીનગરમાં કૃષિ મંત્રીની મહત્વની બેઠક, ખેત પેદાશો અને ટેકાના ભાવને લઇને કરાશે ચર્ચા

આવતીકાલથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થઇ રહી છે, આ બજેટ સત્રમાં બજેટ રજૂ થશે, જેમાં ખેડૂતોને કેટલાક લાભો માટેની જાહેરાતો થઇ શકે છે

Gandhinagar News: આવતીકાલથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થઇ રહી છે, આ બજેટ સત્રમાં બજેટ રજૂ થશે, જેમાં ખેડૂતોને કેટલાક લાભો માટેની જાહેરાતો થઇ શકે છે, પરંતુ આ પહેલા આજે ગાંધીનગરમાં કૃષિ મંત્રીના અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાવવાની છે, જેમાં ટેકાના ભાવને લઇને ચર્ચાઓ કરવામાં આવશે. 

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી 1લી ફેબ્રુઆરીથી શરૂ થઇ રહ્યું છે, જ્યારે બજેટ 2જી ફેબ્રઆરીએ રજૂ થશે. પરંતુ આ બધાની વચ્ચે હવે આજે ગાંધીનગરમાં ેક મહત્વની બેઠક યોજાશે. કૃષિમંત્રીના અધ્યક્ષસ્થાને આજે બપોરે 4 વાગે સ્વર્ણિમ સંકુલમાં એક મહત્વની બેઠક યોજાશે, જેમાં ખરીફ સિઝનના પાકોના ભાવની નીતિ અંગે ચર્ચા કરાશે. કેંદ્ર સરકારને ટેકાના ભાવની ભલામણો કરવામાં આ બેઠકમાં ચર્ચા થશે. વાવેતર અને ઉત્પાદનના અંદાજ મુજબ ભાવ નક્કી કરવા માટે પણ ભલામણ કરાશે. 

રાજ્ય વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે બજેટ રજૂ કરવામાં આવશે. સત્ર 1 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 29 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. એક મહિના સુધી ચાલનારા બજેટ સત્ર દરમિયાન વિધાનસભાની 26 બેઠકો યોજાશે. દરેક બેઠકમાં પ્રશ્નકાળ રહેશે.

 

નવા બજેટમાં ગુજરાત સરકાર જમીન કાયદામાં સુધારો કરશે, જાણો કોને કઇ રીતે થશે ફાયદો ?

1લી ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે, આ સત્ર દરમિયાન ભૂપેન્દ્ર પટેલની સરકાર પોતાનું બજેટ 2024 રજૂ કરશે, બજેટને લઇને હવે મોટુ અપડેટ સામે આવ્યુ છે, વાત છે કે આ નાણાંકીય બજેટમાં ગુજરાત સરકાર જમીનના કાયદાઓમાં સુધારો કરી શકે છે. હાલમાં ત્રણ પ્રકરાના જુદાજુદા કાયદા ગુજરાતમાં અસ્તિત્વ ધરાવે છે. જેમાં ફેરફારની પુરેપુરી શક્યતાઓ છે. 

ગુજરાત વિધાનસભાનું આગામી બજેટ ગૃહમાં રજૂ કરાશે. ભૂપેન્દ્ર પટેલ સરકાર આ નવા બજેટ 2024માં કેટલાક સુધારા આપી શકે છે. હાલમાં માહિતી છે કે, વિધાનસભાના આગામી બજેટ સત્રમાં સરકાર જમીનના કાયદામાં સુધારો કરશે. 'ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક 2024' ગૃહમાં રજૂ થશે. ગુજરાતમાં હાલ ત્રણ જુદાજુદા ગણોત વહીવટના કાયદા અમલમાં છે. તમામ ત્રણ કાયદાની વિવિધ કલમોમાં સુધારા કરી ખેતીની જમીન બિનખેતી કરવા સરકાર મંજૂરી આપશે, વિવિધ વિસ્તારમાં બિનખેતી કરવા માટે 30મી જૂન 2015 અંતિમ તારીખ જાહેર કરાઈ હતી, કેટલીક સંસ્થા, કંપની અને ટ્રસ્ટ દ્વારા અરજી કરવાની બાકી હોવાથી જમીનનો હેતુફેર થઈ શક્યો નથી, આવી સંસ્થાઓ, કંપનીઓ અને ટ્રસ્ટની રજૂઆતના પગલે હેતુફેર કરવાની સમયમર્યાદા વધારવા કાયદામાં સુધારાઓ કરાશે. ખાસ વાત છે કે, આ કાયદો અમલમાં આવતા રાજ્યના વિવિધ વિસ્તારમાં વર્ષ 2015 પહેલા ખરીદેલી જમીનનો હેતુફેર કરી શકાશે. ધાર્મિક, આરોગ્ય, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓ પોતાની જમીન બિનખેતી કરી શકશે.

હાલમાં અમલમાં આ ત્રણ કાયદાઓ છે - 

1 ગુજરાત રાજ્યના મુંબઈ વિસ્તારમાં ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ 1948 

2 ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન (વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર) અધિનિયમ 1958 

3 ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ 1949

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં મેઘો 6 દિવસ ધબધબાટી બોલાવશે: કાલે 31 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, દ્વારકામાં રેડ એલર્ટ
ગુજરાતમાં મેઘો 6 દિવસ ધબધબાટી બોલાવશે: કાલે 31 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, દ્વારકામાં રેડ એલર્ટ
અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ: 5,000 કિમી રેન્જ અને અવાજ કરતાં 24 ગણી વધુ ઝડપ સાથે ભારતની સંરક્ષણ ક્ષમતામાં વધારો
અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ: 5,000 કિમી રેન્જ અને અવાજ કરતાં 24 ગણી વધુ ઝડપ સાથે ભારતની સંરક્ષણ ક્ષમતામાં વધારો
5 વરસાદી સિસ્ટમ્સ સક્રિય થતા આગામી 24 કલાકમાં ગુજરાતના આ વિસ્તારમાં ભારે તબાહી સર્જાશે, હવામાન વિભાગે એલર્ટ આપ્યું
5 વરસાદી સિસ્ટમ્સ સક્રિય થતા આગામી 24 કલાકમાં ગુજરાતના આ વિસ્તારમાં ભારે તબાહી સર્જાશે, હવામાન વિભાગે એલર્ટ આપ્યું
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: 'તું કોન હૈ ક્યા કર લેગા? '... એટલું કહેતા જ ધોરણ-8ના વિદ્યાર્થીએ ચાકુ ભોંકી દીધું
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: 'તું કોન હૈ ક્યા કર લેગા? '... એટલું કહેતા જ ધોરણ-8ના વિદ્યાર્થીએ ચાકુ ભોંકી દીધું
Advertisement

વિડિઓઝ

Bhavnagar Rescue : ભાવનગરમાં પૂરના પાણીમાં કારમાં ફસાયેલા 3 લોકોનું કરાયું રેસ્ક્યૂ
Junagadh Flood : જૂનાગઢમાં ધોધમાર વરસાદ, ધારાસભ્ય લાડાણીના મતવિસ્તારના 9 ગામો બન્યા સંપર્ક વિહોણા
Crime Story With Poonam : ધક્કાના બદલામાં મોત , ગુનાખોરીની પરાકાષ્ઠા... સગીર બન્યો હત્યારો
Hun To Bolish : હું તો બોલીશ :  ક્રેડિટ કાર્ડ, બરબાદીનો રસ્તો?
Hun To Bolish : હું તો બોલીશ :  સમરસતાનો માર્ગ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘો 6 દિવસ ધબધબાટી બોલાવશે: કાલે 31 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, દ્વારકામાં રેડ એલર્ટ
ગુજરાતમાં મેઘો 6 દિવસ ધબધબાટી બોલાવશે: કાલે 31 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, દ્વારકામાં રેડ એલર્ટ
અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ: 5,000 કિમી રેન્જ અને અવાજ કરતાં 24 ગણી વધુ ઝડપ સાથે ભારતની સંરક્ષણ ક્ષમતામાં વધારો
અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ: 5,000 કિમી રેન્જ અને અવાજ કરતાં 24 ગણી વધુ ઝડપ સાથે ભારતની સંરક્ષણ ક્ષમતામાં વધારો
5 વરસાદી સિસ્ટમ્સ સક્રિય થતા આગામી 24 કલાકમાં ગુજરાતના આ વિસ્તારમાં ભારે તબાહી સર્જાશે, હવામાન વિભાગે એલર્ટ આપ્યું
5 વરસાદી સિસ્ટમ્સ સક્રિય થતા આગામી 24 કલાકમાં ગુજરાતના આ વિસ્તારમાં ભારે તબાહી સર્જાશે, હવામાન વિભાગે એલર્ટ આપ્યું
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: 'તું કોન હૈ ક્યા કર લેગા? '... એટલું કહેતા જ ધોરણ-8ના વિદ્યાર્થીએ ચાકુ ભોંકી દીધું
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: 'તું કોન હૈ ક્યા કર લેગા? '... એટલું કહેતા જ ધોરણ-8ના વિદ્યાર્થીએ ચાકુ ભોંકી દીધું
વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પદ પરથી હટાવવાના બિલ પર શશી થરૂરની પ્રતિક્રિયા: 'મને કંઈ ખોટું નથી લાગતું, પરંતુ...'
વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પદ પરથી હટાવવાના બિલ પર શશી થરૂરની પ્રતિક્રિયા: 'મને કંઈ ખોટું નથી લાગતું, પરંતુ...'
શું વિધવા પુત્રવધૂ સસરાની મિલકતમાંથી ભરણપોષણ મેળવી શકે છે? દિલ્હી હાઈકોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો
શું વિધવા પુત્રવધૂ સસરાની મિલકતમાંથી ભરણપોષણ મેળવી શકે છે? દિલ્હી હાઈકોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો
શું CM રેખા ગુપ્તાના હુમલાખોરનું AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાથે છે કોઈ કનેક્શન? જાણો હકિકત
શું CM રેખા ગુપ્તાના હુમલાખોરનું AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાથે છે કોઈ કનેક્શન? જાણો હકિકત
Gujarat Rain: આગામી 3 કલાકમાં 15 જિલ્લામાં અતિભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગનું લેટેસ્ટ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાકમાં 15 જિલ્લામાં અતિભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગનું લેટેસ્ટ એલર્ટ જાહેર
Embed widget