શોધખોળ કરો

બે માર્ચથી શરૂ થશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, જાણો ક્યારે રજૂ કરાશે બજેટ?

30 માર્ચ સુધી ચાલનાર સત્રમાં અંદાજ પત્ર, પૂરક માંગણી ઉપરાંત સરકારી વિધેયકો પર ચર્ચા થશે.

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 2 માર્ચથી શરૂ થશે. 3 માર્ચે વિધાનસભામાં નાણાંમંત્રી બજેટ રજૂ કરશે. લગભગ એક મહિના સુધી સત્ર ચાલશે. 30 માર્ચ સુધી ચાલનાર સત્રમાં અંદાજ પત્ર, પૂરક માંગણી ઉપરાંત સરકારી વિધેયકો પર ચર્ચા થશે. બજેટને પગલે ગાંધીનગરમાં નાણાં વિભાગની બેઠકોનો ધમધમાટ શરૂ થયો . આ તરફ, વિધાનસભા સત્રને પગલે વિપક્ષના રાજકીય આક્રમણનો સામનો કરવા સરકાર સજ્જ થઇ રહી છે તો વિપક્ષે પણ વિવિધ મુદ્દે સરકારને ભિડવવા તૈયારીઓ શરૂ કરી દીધી છે.

સત્રમાં રાજ્યપાલના સંબોધન પર ત્રણ દિવસ અને અંદાજપત્ર પર ચારેક દિવસ ચર્ચા થશે. તો સરકારી વિધેયકો પર પણ ચાર દિવસ ચર્ચા કરવામાં આવશે. પૂરક માંગણીઓ પર બે દિવસ ચર્ચા થશે. ખેડૂતોની સમસ્યા ઉપરાંત મોંઘવારી, કાયદો વ્યસથાની પરિસ્થિતિ સહિત અન્ય મુદ્દાઓને લઇને સત્ર તોફાની બની શકે છે. વિધાનસભાની ચૂંટણીઓને પગલે નવી સરકાર ખેડૂતો, મહિલાઓ ઉપરાંત યુવાઓને રાજી રાખવા પ્રયાસ કરે તેવી શક્યતા છે.આ વખતે બજેટમાં નવા કરવેરા શક્યતા નહીવત છે પણ ખેડૂત અને પ્રજાલક્ષી નવી યોજનાઓ જાહેર થાય તેવી સંભાવના છે.

ગુજરાતમાં કોરોનાના કેસ ઘટવા છતાં શું છે ચિંતાની વાત ? 

ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો રાહતજનક ક્રમ જારી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11794 નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત એક્ટિવ કેસનો આંક 11 દિવસ બાદ 1 લાખથી નીચે આવ્યો છે. રાજ્યમાં હાલ 98021 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે અને 285 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જોકે, કોરોનાથી સતત વધી રહેલો મૃત્યુઆંક ચિંતાનો વિષય છે. 27 મે બાદ સૌથી વધુ 33 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાંથી સૌથી વધુ 8, સુરત-રાજકોટ-ભાવનગરમાંથી 5, વડોદરામાંથી 3, આણંદ-વલસાડમાંથી 2, જામનગર-બોટાદ-ખેડામાંથી 1-1 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મરણાંક હવે 10408 છે.

આ પૈકી જાન્યુઆરીમાં જ 290 વ્યક્તિ કોરોના સામે જીવ ગુમાવી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 3990-ગ્રામ્યમાંથી 76 સાથે 4066 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ ઉપરાંત વડોદરા એવો જિલ્લો છે જ્યાં કોરોનાના 1 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. વડોદરા શહેરમાં 1816-ગ્રામ્યમાં 441 સાથે 2257 કેસ નોંધાયા છે.આમ, રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 11,44,585 છે.છેલ્લા 24 કલાકમાં 21655 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 10,36,156 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર 90.53 ટકા છે.

Kia Carens Petrol Review: 7 સીટર સેલ્ટોસથી ખૂબ આગળની કાર છે કિયા કેરેન્સ, વાંચો રિવ્યૂ

અમદાવાદમાં વન ડે સીરિઝ માટે BCCI ચાર્ટર પ્લેન નહીં કરે, દરેક ભારતીય ક્રિકટરને કઈ રીતે અને ક્યાં સુધી અમદાવાદ પહોંચવા ફરમાન ?

'તારક મહેતા.....' સીરિયલમાંથી હવે જેઠાલાલ પણ નીકળી જશે ? જાણો વિગતે

Investment Tips: SIP માં પૈસા લગાવતી વખતે નવા રોકાણકારો કરે છે આ ભૂલો, થઈ શકે છે મોટું નુકસાન

ટોપ સ્ટોરી

ડ્રગ્સના દૂષણને દૂર કરવા ગુજરાત પોલીસનો મહત્વનો નિર્ણય, એન્ટી નાર્કોટિક્સ વિંગ સંભાળશે કમાન
ડ્રગ્સના દૂષણને દૂર કરવા ગુજરાત પોલીસનો મહત્વનો નિર્ણય, એન્ટી નાર્કોટિક્સ વિંગ સંભાળશે કમાન
Gandhinagar: ગાંધીનગરમાં ત્રણ દીકરીના પિતાએ પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં પોતાનું જ પેટ ચીરી નાખ્યું, યુવકની હાલત જોઈ ડોક્ટર પણ ચોંક્યા
Gandhinagar: ગાંધીનગરમાં ત્રણ દીકરીના પિતાએ પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં પોતાનું જ પેટ ચીરી નાખ્યું, યુવકની હાલત જોઈ ડોક્ટર પણ ચોંક્યા
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મરણ પથારી પર આયોજન
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનું ઓપરેશન ક્યારે ?
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને મોટા સમાચાર! સોમવારે મળશે મહત્વની બેઠક
Abp Asmita Impact: 'ભૂતિયા વિદ્યાર્થીઓ' વાળી શાળાઓ સામે હવે થશે કાર્યવાહી! શિક્ષણમંત્રીની મોટી ખાતરી
Ahmedabad Bomb Threat : કોર્ટને બોમ્બની ધમકી મળતા અફરાતફરી! પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના દહીસરામાં કરૂણાંતિકા: ચેકડેમમાં ડૂબી જતા 4 બાળકોનાં કમકમાટીભર્યાં મોત
રાજકોટના દહીસરામાં કરૂણાંતિકા: ચેકડેમમાં ડૂબી જતા 4 બાળકોનાં કમકમાટીભર્યાં મોત
Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
Today Weather: આજે 14 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 65 કિમની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: આજે 14 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 65 કિમની ઝડપે ફૂંકાશે પવન
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Morbi: મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાંથી નેપાળી યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ
Morbi: મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાંથી નેપાળી યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ
ડ્રગ્સના દૂષણને દૂર કરવા ગુજરાત પોલીસનો મહત્વનો નિર્ણય, એન્ટી નાર્કોટિક્સ વિંગ સંભાળશે કમાન
ડ્રગ્સના દૂષણને દૂર કરવા ગુજરાત પોલીસનો મહત્વનો નિર્ણય, એન્ટી નાર્કોટિક્સ વિંગ સંભાળશે કમાન
મહારાષ્ટ્ર: દહીં હાંડી ઉત્સવ દરમિયાન દુર્ઘટના, મુંબઈમાં 22 ‘ગોવિંદા’ ઈજાગ્રસ્ત, એક મહિલાનું મોત
મહારાષ્ટ્ર: દહીં હાંડી ઉત્સવ દરમિયાન દુર્ઘટના, મુંબઈમાં 22 ‘ગોવિંદા’ ઈજાગ્રસ્ત, એક મહિલાનું મોત
ગુજરાત બાદ MP માં ઝેરી દારૂનો કહેર, 9 ના મોત, CM મોહન યાદવે આપ્યો કડક કાર્યવાહીનો આદેશ
ગુજરાત બાદ MP માં ઝેરી દારૂનો કહેર, 9 ના મોત, CM મોહન યાદવે આપ્યો કડક કાર્યવાહીનો આદેશ
Embed widget