શોધખોળ કરો

બે માર્ચથી શરૂ થશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, જાણો ક્યારે રજૂ કરાશે બજેટ?

30 માર્ચ સુધી ચાલનાર સત્રમાં અંદાજ પત્ર, પૂરક માંગણી ઉપરાંત સરકારી વિધેયકો પર ચર્ચા થશે.

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 2 માર્ચથી શરૂ થશે. 3 માર્ચે વિધાનસભામાં નાણાંમંત્રી બજેટ રજૂ કરશે. લગભગ એક મહિના સુધી સત્ર ચાલશે. 30 માર્ચ સુધી ચાલનાર સત્રમાં અંદાજ પત્ર, પૂરક માંગણી ઉપરાંત સરકારી વિધેયકો પર ચર્ચા થશે. બજેટને પગલે ગાંધીનગરમાં નાણાં વિભાગની બેઠકોનો ધમધમાટ શરૂ થયો . આ તરફ, વિધાનસભા સત્રને પગલે વિપક્ષના રાજકીય આક્રમણનો સામનો કરવા સરકાર સજ્જ થઇ રહી છે તો વિપક્ષે પણ વિવિધ મુદ્દે સરકારને ભિડવવા તૈયારીઓ શરૂ કરી દીધી છે.

સત્રમાં રાજ્યપાલના સંબોધન પર ત્રણ દિવસ અને અંદાજપત્ર પર ચારેક દિવસ ચર્ચા થશે. તો સરકારી વિધેયકો પર પણ ચાર દિવસ ચર્ચા કરવામાં આવશે. પૂરક માંગણીઓ પર બે દિવસ ચર્ચા થશે. ખેડૂતોની સમસ્યા ઉપરાંત મોંઘવારી, કાયદો વ્યસથાની પરિસ્થિતિ સહિત અન્ય મુદ્દાઓને લઇને સત્ર તોફાની બની શકે છે. વિધાનસભાની ચૂંટણીઓને પગલે નવી સરકાર ખેડૂતો, મહિલાઓ ઉપરાંત યુવાઓને રાજી રાખવા પ્રયાસ કરે તેવી શક્યતા છે.આ વખતે બજેટમાં નવા કરવેરા શક્યતા નહીવત છે પણ ખેડૂત અને પ્રજાલક્ષી નવી યોજનાઓ જાહેર થાય તેવી સંભાવના છે.

ગુજરાતમાં કોરોનાના કેસ ઘટવા છતાં શું છે ચિંતાની વાત ? 

ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો રાહતજનક ક્રમ જારી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11794 નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત એક્ટિવ કેસનો આંક 11 દિવસ બાદ 1 લાખથી નીચે આવ્યો છે. રાજ્યમાં હાલ 98021 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે અને 285 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જોકે, કોરોનાથી સતત વધી રહેલો મૃત્યુઆંક ચિંતાનો વિષય છે. 27 મે બાદ સૌથી વધુ 33 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાંથી સૌથી વધુ 8, સુરત-રાજકોટ-ભાવનગરમાંથી 5, વડોદરામાંથી 3, આણંદ-વલસાડમાંથી 2, જામનગર-બોટાદ-ખેડામાંથી 1-1 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મરણાંક હવે 10408 છે.

આ પૈકી જાન્યુઆરીમાં જ 290 વ્યક્તિ કોરોના સામે જીવ ગુમાવી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 3990-ગ્રામ્યમાંથી 76 સાથે 4066 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ ઉપરાંત વડોદરા એવો જિલ્લો છે જ્યાં કોરોનાના 1 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. વડોદરા શહેરમાં 1816-ગ્રામ્યમાં 441 સાથે 2257 કેસ નોંધાયા છે.આમ, રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 11,44,585 છે.છેલ્લા 24 કલાકમાં 21655 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 10,36,156 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર 90.53 ટકા છે.

Kia Carens Petrol Review: 7 સીટર સેલ્ટોસથી ખૂબ આગળની કાર છે કિયા કેરેન્સ, વાંચો રિવ્યૂ

અમદાવાદમાં વન ડે સીરિઝ માટે BCCI ચાર્ટર પ્લેન નહીં કરે, દરેક ભારતીય ક્રિકટરને કઈ રીતે અને ક્યાં સુધી અમદાવાદ પહોંચવા ફરમાન ?

'તારક મહેતા.....' સીરિયલમાંથી હવે જેઠાલાલ પણ નીકળી જશે ? જાણો વિગતે

Investment Tips: SIP માં પૈસા લગાવતી વખતે નવા રોકાણકારો કરે છે આ ભૂલો, થઈ શકે છે મોટું નુકસાન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
Embed widget