શોધખોળ કરો

ગાંધીનગરની ગટર સમસ્યાનો અંત લાવવા મુખ્યમંત્રીની મોટી જાહેરાત, ૬૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા

જાસપુર STP સહિત ગંદા પાણીના નિકાલ અને વરસાદી પાણી વ્યવસ્થાપન માટે ભંડોળ મંજૂર, નવા વિસ્તારોમાં ડ્રેનેજ સુવિધા થશે સુદ્રઢ.

Gandhinagar sewage problem: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર મહાનગરપાલિકાના નાગરિકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે શહેરની ગંદા પાણીના નિકાલ વ્યવસ્થાપન, સ્ટ્રોમ વોટર ડિસ્પોઝલ નેટવર્ક અને સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) સહિતના વિવિધ કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ. ૬૦૬.૩૪ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ ફાળવણી અંતર્ગત જાસપુર STP અને તેને સંલગ્ન કામો માટે રૂ. ૨૪૫ કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત, ગાંધીનગર મહાનગરપાલિકાની હદ વિસ્તરણમાં સમાવિષ્ટ થયેલા નવા ગામતળ અને નવા ટી.પી. વિસ્તારોમાં ડ્રેનેજ અને વોટર ડિસ્ટ્રીબ્યુશન સહિતના કામો માટે રૂ. ૩૬૧.૩૪ કરોડનો ઉપયોગ કરવામાં આવશે.

હાલમાં ગાંધીનગરના સેક્ટર ૧ થી ૩૦ અને આસપાસના બોરીજ, પાલજ, બાસણ, ધોળાકુવા, ઈન્દ્રોડા, આદિવાડા અને ગોકુળપુરા ગામોના અંદાજે ૬૦ MLD ડ્રેનેજના પાણીને સરગાસણ પંપિંગ સ્ટેશન ખાતે એકત્રિત કરીને જાસપુરમાં આવેલા ૭૬ MLD ની ક્ષમતાવાળા STP માં મુખ્ય લાઈન દ્વારા ટ્રીટ કરવામાં આવે છે. પરંતુ મહાનગરપાલિકાનો વિસ્તાર વધવાથી વસ્તી અને પાણીના વપરાશમાં વધારો થયો છે, જેના કારણે વધારાનું ૨૨ MLD પાણી પણ સરગાસણથી જાસપુર જતી ડ્રેનેજ લાઈનમાં મોકલવામાં આવે છે.

આ ઉપરાંત, ગાંધીનગરના કેટલાક ટી. પી. વિસ્તારો, ખોરજ ગામ અને ગુડા વિસ્તારનું વધારાનું ૨૭ MLD ડ્રેનેજનું પાણી અડાલજ પંપિંગ સ્ટેશનથી પંપિંગ દ્વારા જાસપુર STP તરફ જતી લાઈનમાં મોકલવામાં આવે છે. પરિણામે, જાસપુર STP ની ૭૫ MLD ની ક્ષમતા સામે ૧૦૯ MLD ડ્રેનેજ વોટર એકત્રિત થાય છે.

આ વધારાના પાણીના કારણે જાસપુર STP, અદાણી કેમ્પસ, ખોરજ ગામ અને અડાલજ ત્રિમંદિર ક્લોવર લીફ ખાતે ઇનલેટ અને આઉટલેટની મેઈન લાઈન ઓવરફ્લો થવાની સમસ્યા સર્જાય છે, જેના લીધે આ વિસ્તારોમાં ગટરનું ગંદુ પાણી ગ્રામ્ય વિસ્તારો, ખેતરો અને રોડ-રસ્તા પર ફરી વળે છે. આના કારણે આસપાસના વિસ્તારોમાં રોગચાળો ફેલાવવાની પણ શક્યતાઓ વધી જાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધ્યાને આ બાબત આવતા તેમણે તાત્કાલિક આ સમસ્યાના નિરાકરણ માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ ફંડની ફાળવણીથી સરગાસણથી જાસપુર સુધીની ૧૧ કિલોમીટરની અને ૨૦ વર્ષથી વધુ જૂની ગ્રેવીટી મેઇન લાઈનને પણ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં ગટરના ગંદા પાણીની સમસ્યાથી લોકોને ટૂંક સમયમાં મુક્તિ મળશે અને નાગરિકોના આરોગ્ય અને સુખાકારીમાં નોંધપાત્ર સુધારો થશે. આ નિર્ણય રાજ્ય સરકારની નાગરિકોને સુવિધાઓ પૂરી પાડવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
Embed widget