Gujarat Election 2022: બનાસકાંઠાની ડીસા બેઠક પર ખરાખરીનો જંગ, બે પૂર્વ MLAના પુત્ર મેદાનમાં
ભાજપે પૂર્વ ધારાસભ્ય ગોરધનજી માળીના પુત્ર પ્રવીણ માળીને આપી છે ટિકીટ તો કૉંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીના પુત્ર સંજય રબારીને ટિકિટ આપી છે.
![Gujarat Election 2022: બનાસકાંઠાની ડીસા બેઠક પર ખરાખરીનો જંગ, બે પૂર્વ MLAના પુત્ર મેદાનમાં Gujarat Election 2022 Election war on Disa seat of Banaskantha, Son of two former MLAs against each other Gujarat Election 2022: બનાસકાંઠાની ડીસા બેઠક પર ખરાખરીનો જંગ, બે પૂર્વ MLAના પુત્ર મેદાનમાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/14/6412a030b3d25cc3060d62329adff373166839074389675_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gujarat Election 2022: બનાસકાંઠાની ડીસા વિધાનસભા બેઠક પર બે પૂર્વ ધારાસભ્યોના પુત્રો વચ્ચે જામશે ચૂંટણી જંગ. ભાજપે પૂર્વ ધારાસભ્ય ગોરધનજી માળીના પુત્ર પ્રવીણ માળીને આપી છે ટિકીટ તો કૉંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીના પુત્ર સંજય રબારીને ટિકિટ આપી છે.
બન્ને યુવા ઉમેદવારો હાલ જનતાને રિઝવવા ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. ભાજપના ઉમેદવાર પ્રવીણ માળી રહી ચૂક્યા છે ડીસા નગરપાલિકાના પ્રમુખ પદે તો કૉંગ્રેસના ઉમેદવાર રહી ચુક્યા છે જિલ્લા પંચાયતના સભ્ય. સંજય રબારીની સાથે તેમના પિતા ગોવાભાઈ રબારી પણ કરી રહ્યા છે પ્રચાર. તો 1998 બાદ ડીસામાં માળી સમાજને ટિકીટ મળતા પ્રવીણ માળીએ પ્રચાર શરૂ કર્યો છે.
કોંગ્રેસની વધુ એક યાદી જાહેર
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ગઈકાલે વધુ 33 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં વાવ બેઠક પરથી ગેની બેન ઠાકોર, વડગામ બેઠક પરથી જીગ્નેશ મેવાણી, થરાદ બેઠક પરથી ગુલાબસિંહ રાજપુત અને પાટણ બેઠક પરથી કિરીટ પટેલ,રધુ દેસાઇથી રાધનપુર, મોહનસિંહના વેવાઇ સુખરાખનુ જેતપુર (ST), માણસાથી ઠાકોર બાબુસિંહ, કલોલથી બળદેવજીનુ નામ જાહેર કરવામાં આવ્યું છે.
જાણો કઈ બેઠક પર ભાજપને ઉમેદવાર બદલવાની પડી ફરજ
ઉમેદવારોના માન જાહેર થયા બાદ ઘણી બેઠકો પર સ્થાનિક લોકોથી લઈને નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે. જેના કારણે ઘણી જગ્યાએ પાર્ટીને ઉમેદવાર બદલવાની ફરજ પણ પડી છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે. વઢવાણ બેઠક માટે ભાજપે જાહેર કરેલા જિજ્ઞા પંડ્યાનુ નામ પાછુ ખેંચવામાં આવ્યું છે. તેની જગ્યાએ જગદીશ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, સમગ્ર સૌરાષ્ટ્રમા સતવારા સમાજને એક પણ ટિકિટ ન મળતા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ મકવાણાને ઉમેદવારોની તક મળે તેવી માગ તેમના સમાજના આગેવાનોએ કરી હતી. ભાજપના વઢવાણના ઉમેદવાર કમલમ ખાતે પણ પહોંચ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દલવાડી સમાજના ઉમેદવાર બનાવવાની સ્થાનિકોની માગ હતી. તો બીજી તરફ વઢવાણ બેઠકમાં ભાજપના ઉમેદવાર જિજ્ઞાબેન પડ્યાએ નિવેદન આપતા કહ્યું કે, પક્ષ જે નિર્ણય કરે તે યોગ્ય છે. જો કે આ દરમિયાન તેમનો એક પત્ર પણ સામે આવ્યો છે જેમાં તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી અને કોઈ બીજા ઉમેદવારને ટિકિટ આપવા કહ્યું હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)